'અબ બિગડને કા વક્ત આ ગયા હૈ':'ધુરંધર 2'નું પોસ્ટર રિલીઝ, રણવીર સિંહનો લોહીથી લથપથ ભયાનક લુક

Last Updated: February 3, 2026By

રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ સુપરહિટ સાબિત થઈ છે. ત્યારથી જ દર્શકો તેના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, મેકર્સ આજે બપોરે ‘ધુરંધર 2’નું ટીઝર રિલીઝ કરી શકે છે. આ પહેલા ફિલ્મનું એક નવું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રણવીર સિંહ લોહીથી લથપથ ભયાનક લુકમાં જોવા મળી રહ્યો છે. જાહેર કરાયેલા પોસ્ટરમાં રણવીર સિંહ ખૂબ જ ડરામણા અવતારમાં દેખાઈ રહ્યો છે. પોસ્ટરમાં તે વરસાદ વચ્ચે લાલ રોશનીમાં ઊભો જોવા મળી રહ્યો છે, જેનાથી એવું લાગી રહ્યું છે કે જાણે તેના પર લોહીનો વરસાદ થઈ રહ્યો હોય. પોસ્ટર શેર કરતા એક્ટરે કેપ્શનમાં લખ્યું છે- ‘અબ બિગડને કા વક્ત આ ગયા હૈ’ તે જ સમયે, પોસ્ટર સાથે મેકર્સે ફિલ્મના ટાઇટલની પણ જાહેરાત કરી દીધી છે. ફિલ્મનું નામ ‘ધુરંધર: ધ રિવેન્જ’ હશે. આ ફિલ્મ 19 માર્ચ 2026ના રોજ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે. આ સાથે, ફિલ્મનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવશે. ભારતમાં ‘ધુરંધર’નું કલેક્શન 32મો દિવસ (સોમવાર)- 5.40 કરોડ રૂપિયા 33મો દિવસ (મંગળવાર)- 5.70 કરોડ રૂપિયા ભારતમાં કુલ નેટ કલેક્શન- 831.40 કરોડ રૂપિયા ‘ધુરંધર’ એક સ્પાય થ્રિલર ફિલ્મ છે. ફિલ્મમાં રણવીર સિંહ, અર્જુન રામપાલ, અક્ષય ખન્ના, સંજય દત્ત અને આર. માધવન મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ઉપરાંત સારા અર્જુન, રાકેશ બેદી અને દાનિશ પંડોરે પણ કામ કર્યું છે. હવે ધુરંધરની સિક્વલ 19 માર્ચ 2026 ના રોજ રિલીઝ થવાની છે.