આજે શેરબજાર ખુલ્લું રહેશે:NSEના આ 2 નિયમો જાણી લો, નહિંતર તમે મોટા નુકસાનમાં ફસાઈ જશો!

Last Updated: January 31, 2026By

સામાન્ય રીતે રવિવારે શેરબજારમાં રજા હોય છે, પરંતુ આજનો રવિવાર એટલે કે 1 ફેબ્રુઆરી 2026 કંઈક અલગ છે. દલાલ સ્ટ્રીટની ગલીઓમાં આ વખતે રવિવારે પણ એ જ ધમધમાટ જોવા મળશે જે સોમવારે હોય છે. કારણ છે, દેશનું કેન્દ્રીય બજેટ. સરકારની પોટલીમાંથી શું નીકળશે અને તેની બજાર પર શું અસર થશે, તે પારખવા માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)એ કમર કસી લીધી છે. સવારે 9:15 વાગ્યે બજાર શરૂ થશે NSEએ એક તાજો સર્કુલર જાહેર કરીને સ્પષ્ટ કરી દીધું છે કે બજેટના દિવસે એટલે કે આજે, 1 ફેબ્રુઆરી 2026ના રોજ બજાર તેના સ્ટાન્ડર્ડ ટાઈમિંગ મુજબ જ ચાલશે. સવારે 9:15 વાગ્યે બેલ વાગશે અને સાંજે 3:30 વાગ્યા સુધી સોદા થતા રહેશે. આવું પહેલીવાર નથી થઈ રહ્યું, ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ બજેટ શનિવાર કે રવિવારે આવ્યું છે, એક્સચેન્જોએ રોકાણકારોની સુવિધા માટે વિશેષ સત્ર આયોજિત કર્યા છે. સવારે 11 વાગ્યે લોકસભામાં બજેટ રજૂ થશે નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે લોકસભામાં બજેટ રજૂ કરશે. આ એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું પૂર્ણ બજેટ છે. બજારની નજર એ વાત પર ટકેલી હશે કે સરકાર રાજકોષીય ખાધને કેવી રીતે સંભાળે છે અને નવી યોજનાઓ માટે પૈસા ક્યાંથી લાવે છે. 30 જાન્યુઆરીના રોજ બજારમાં ઘટાડો રહ્યો હતો આ પહેલા 30 જાન્યુઆરીના રોજ શેર બજારમાં ઘટાડો રહ્યો હતો. સેન્સેક્સ 296 અંક (0.36%) ઘટીને 82,269 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 98 અંક (0.39%)નો ઘટાડો રહ્યો હતો, તે 25,320 પર બંધ થયો હતો. સેટલમેન્ટની મૂંઝવણ આજે બજાર ખુલશે તો ખરા, પરંતુ આ એક ‘સેટલમેન્ટ હોલિડે’ પણ છે. એનો અર્થ એ છે કે તમે જે શેર બજેટના દિવસે ખરીદશો અથવા જે તમે એનાથી પહેલા ખરીદ્યા છે, તેના માટે નિયમો થોડા અલગ હશે. જૂના શેર: જો તમે શુક્રવાર એટલે કે 30 જાન્યુઆરીના રોજ કોઈ શેર ખરીદ્યા છે, તો તમે તેને રવિવાર 1 ફેબ્રુઆરીના રોજ વેચી શકશો નહીં. બજેટ ડેના શેર: તેવી જ રીતે, જો તમે બજેટના દિવસે એટલે કે રવિવારે કોઈ શેર ખરીદો છો, તો તેને બીજા જ દિવસે એટલે કે સોમવારે વેચવાનું શક્ય બનશે નહીં. આવું એટલા માટે છે કારણ કે બેંકિંગ અને સેટલમેન્ટની પ્રક્રિયા રવિવારે બંધ રહે છે. તેથી, જો તમે બજેટ ડે પર મોટો દાવ લગાવવાનું વિચારી રહ્યા છો, તો આ ટેકનિકલ ગૂંચવણો મગજમાં જરૂર રાખજો. શું છે આ બજેટથી બજારની અપેક્ષાઓ? બજારના દિગ્ગજો અને એક્સપર્ટ આ વખતે ખાસ માપદંડો પર નજર ટકાવીને બેઠા છે. બજેટ દસ્તાવેજો તૈયાર કરવાની જવાબદારી આર્થિક બાબતોના વિભાગની હોય છે, જેમાં સરકારની કમાણી અને ખર્ચની પૂરી વિગત હોય છે. જાણકારોનું માનવું છે કે આ વખતે સરકારનું ધ્યાન દેવાના આંકડા અને ખાધને ઓછી કરવા પર હશે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે નાણાકીય વર્ષ 2027 માટે રાજકોષીય ખાધ GDPના 4.1 થી 4.2 ટકાની આસપાસ રહી શકે છે. વળી, સરકારની ઉધારીમાં વાર્ષિક ધોરણે અંદાજે 3 ટકાનો સામાન્ય વધારો જોવા મળી શકે છે. બજાર જોવા માગે છે કે શું સરકાર પોતાની જૂની આર્થિક મજબૂતીના માર્ગ પર ટકી રહે છે કે નહીં. નિર્મલા સીતારમણની ઐતિહાસિક સફર નિર્મલા સીતારમણ આજે પોતાનું સતત નવમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ કોઈપણ નાણામંત્રી દ્વારા સૌથી લાંબા સમય સુધી અટક્યા વગર પદ પર રહેવાના રેકોર્ડ્સમાંનો એક છે. આ પહેલા 29 જાન્યુઆરીના રોજ ઈકોનોમિક સર્વે 2025-26 રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને દેશની આર્થિક સ્થિતિનું પૂરૂ માળખું સામે રાખ્યું હતું. આજે ટ્રેડિંગમાં માત્ર આંકડા જ નહીં બદલાય, પરંતુ આ બજેટ નક્કી કરશે કે આવનારા વર્ષમાં દેશનો વિકાસ દર કઈ ગતિએ આગળ વધશે. રોકાણકારો માટે આ માત્ર એક કારોબારી દિવસ નથી, પરંતુ પોતાની રણનીતિઓને પારખવાની એક મોટી પરીક્ષા છે.

Leave A Comment