ગોવિંદાએ દીકરાના કરિયરને સપોર્ટ ન કર્યો?:પત્ની સુનીતા આહુજાના આરોપો પર એક્ટરની સ્પષ્ટતા, કહ્યું- મને પૂછવામાં જ નહોતું આવ્યું
ગોવિંદા આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં તેણે એ આરોપો પર પ્રતિક્રિયા આપી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે પોતાના પુત્રના કરિયરને સપોર્ટ કર્યો નથી. આના પર ગોવિંદાએ કહ્યું, હું ફિલ્મો અને સંબંધોમાં નિષ્ફળ રહ્યો છું. ANI સાથેની વાતચીતમાં ગોવિંદાએ કહ્યું, મેં મારા પરિવાર માટે રાજકારણ છોડી દીધું હતું, કારણ કે હું નહોતો ઈચ્છતો કે મારા કોઈ પણ દ્વેષની અસર મારા પરિવારના જીવન પર પડે, ખાસ કરીને મારા બાળકો પર. હું ફક્ત મારા બાળકો માટે બહાર આવ્યો હતો. મેં સાજિદ નાડિયાડવાલાને મારા પુત્રને માર્ગદર્શન આપવા કહ્યું હતું. સાજિદે યશવર્ધનને ફિલ્મ મેકિંગના અલગ-અલગ પાસાં શીખવવામાં મદદ પણ કરી. મને વધારે કંઈ પૂછવામાં આવ્યું નહોતું. ઘરમાં એવું વાતાવરણ હતું કે હું ફિલ્મો અને સંબંધોમાં નિષ્ફળ છું. એક્સ્ટ્રા મેરિટલ અફેરના આરોપો પર ગોવિંદાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જે લોકો મારા પર પ્રેમ સંબંધોને લઈને આરોપ લગાવી રહ્યા છે, તે ખોટા છે. મેં ચાર સુપરસ્ટાર્સ અને મિસ યુનિવર્સ રહી ચૂકેલી એક્ટ્રેસ સાથે કામ કર્યું છે, પરંતુ મેં ક્યારેય કોઈની તરફ ખોટી નજરથી જોયું નથી. મારી કોઈ પણ હીરોઈન એવું કહી શકતી નથી કે મેં તેને પરેશાન કરી હોય કે કોઈના માટે અપશબ્દો કહ્યા હોય. ગોવિંદાએ કહ્યું કે તે તેના કરિયરમાં સાથે કામ કરનારા તમામ કલાકારોના આભારી છે. તેણે કહ્યું, હું તમામ આર્ટિસ્ટ્સ અને હીરોઈન્સનો આભાર માનું છું. મારી જે ફિલ્મો ચાલી છે, તેના માટે હું મારા ડિરેક્ટર્સ, ગીતો અને ફિલ્મોની હીરોઈન્સનો આભાર માનવા માંગું છું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

