ગૌતમ અદાણીએ પરિવાર સાથે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા:કહ્યું- આ એક ભાવુક ક્ષણ, 30 મિનિટ મંદિરમાં રોકાયા; ગુરુકુળના વિદ્યાર્થીઓને પણ મળ્યા
જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ગુરુવારે પરિવાર સાથે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા. વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કર્યા બાદ આરતી કરી. પૂજારી પાસેથી તિલક કરાવ્યું. પ્રસાદ ગ્રહણ કર્યો. રામ મંદિર નિર્માણ વિશે ટ્રસ્ટના સભ્યો પાસેથી માહિતી લીધી. ગૌતમ અદાણી ગુરુવારે સવારે 8.30 વાગ્યે પત્ની અને પરિવારના અન્ય સભ્યો સાથે અયોધ્યા પહોંચ્યા. અમદાવાદથી 2 ચાર્ટર્ડ ફ્લાઈટ્સ દ્વારા મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઉતર્યા. ત્યાંથી સીધા શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા. અહીં તેમનું અંગ વસ્ત્ર ભેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું. 30 મિનિટ સુધી મંદિરમાં રહ્યા બાદ બહાર આવીને ગૌતમ અદાણીએ કહ્યું- મને અને મારા પરિવારને અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. આ એક ભાવુક ક્ષણ છે, એક ગર્વની ક્ષણ છે. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ભારતની સંસ્કૃતિ, એકતા અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. ભગવાન રામના આદર્શો આપણને સત્ય અને કર્તવ્યના માર્ગે ચાલવા પ્રેરિત કરે છે. હું પ્રાર્થના કરું છું કે ભગવાન રામના આશીર્વાદ આપણા સૌ પર બની રહે અને આપણો દેશ પ્રગતિના પંથે આગળ વધતો રહે. ગૌતમ અદાણીએ અયોધ્યાના નિઃશુલ્ક ગુરુકુળ મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. તેમનું સન્માન કર્યું. ગુરુકુળની જૂની અને આધુનિક પરંપરા વિશે જાણ્યું. તેમણે કહ્યું કે બાળકો સાથે સમય વિતાવ્યો. ગુરુકુળ આજના યુગમાં આપણી સંસ્કૃતિને જાગૃત રાખવાનું કામ કરી રહ્યું છે. અદાણી ફાઉન્ડેશન AI ના આ યુગમાં આ ગુરુકુળ સંસ્કૃતિને સંરક્ષિત કરવામાં શક્ય તમામ સહયોગ આપશે. ગૌતમ અદાણી પછી લખનઉ જવા રવાના થશે. સીએમ યોગી સાથે મુલાકાત કરશે. આ પહેલા ગૌતમ અદાણી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા આવ્યા હતા. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થયા હતા. જુઓ 5 તસવીરો 16 વર્ષની ઉંમરે બિઝનેસ શરૂ કર્યો હતો અપહરણ કરીને 11 કરોડની ખંડણી માંગવામાં આવી હતી વર્ષ 1998નો પહેલો દિવસ હતો. ગૌતમ અદાણી અને શાંતિલાલ પટેલ અમદાવાદના કર્ણાવતી ક્લબથી કારમાં સવાર થયા. આ કાર મોહમ્મદપુરા રોડ તરફ જઈ રહી હતી. રસ્તામાં વચ્ચે એક સ્કૂટર ઊભું મળ્યું. કાર જેવી જ રોકાઈ, ત્યારે ત્યાં એક વાન પહોંચી. વાનમાં સવાર લોકોએ અદાણી અને પટેલનું અપહરણ કરી લીધું અને કોઈ અજાણી જગ્યાએ લઈ ગયા. પોલીસ ચાર્જશીટ મુજબ આ બંનેને છોડતા પહેલા 11 કરોડ રૂપિયા ખંડણી માંગવામાં આવી હતી. 26/11ના હુમલામાં પણ માંડ માંડ બચ્યા આવી જ એક ઘટના 26 નવેમ્બર 2008ની છે. ગૌતમ અદાણી મુંબઈની તાજ હોટલમાં આવેલા વેધર ક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં દુબઈ પોર્ટના સીઈઓ મોહમ્મદ શર્રાફ સાથે ડિનર કરી રહ્યા હતા. તેમણે જોયું કે કેટલાક આતંકવાદીઓ હોટલમાં ઘૂસી આવ્યા છે અને આડેધડ ગોળીબાર કરી રહ્યા છે. 26 નવેમ્બરની આખી રાત તેમણે હોટલના બેઝમેન્ટમાં દહેશતના ઓથાર હેઠળ વિતાવી. 27 નવેમ્બરની સવારે તેમને બચાવવામાં આવ્યા. પોતાના પ્રાઈવેટ વિમાનથી અમદાવાદ પહોંચતા જ તેમણે કહ્યું, ‘મેં 15 ફૂટના અંતરેથી મોત જોયું છે.’
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

