નેપાળના પ્રખ્યાત પર્વતારોહક નિર્મલ પુર્જા પાકિસ્તાનમાં ગુમ:10 સભ્યો સાથે બ્રોડ પીક પર ચઢાણ કરી રહ્યા હતા; 4 મૃતદેહ મળ્યા, રેસ્ક્યૂ શરૂ

Last Updated: July 31, 2026By

નેપાળના જાણીતા પર્વતારોહક નિર્મલ પુર્જા પાકિસ્તાનમાં હિમપ્રપાત એટલે કે એવલાંચની ઝપેટમાં આવ્યા બાદ ગુમ થઈ ગયા છે. આલ્પાઇન ક્લબ ઓફ પાકિસ્તાન (ACP) અનુસાર, કારાકોરમ વિસ્તારમાં 8,051 મીટર ઊંચા બ્રોડ પીક પર ચઢાણ દરમિયાન લગભગ 7,000 મીટરની ઊંચાઈ પર આ દુર્ઘટના થઈ. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, પુર્જા સાથે 9 સભ્યો હતા. શિખર પર ચઢવાનો પ્રયાસ કરતી વખતે બરફીલા તોફાને 10 સભ્યોની ટીમને પોતાની ઝપેટમાં લઈ લીધી. ગુમ થયેલા લોકોમાં નેપાળના 6, પાકિસ્તાન, ઓમાન, અમેરિકા અને ચીનનો એક-એક પર્વતારોહક સામેલ છે. તેમાંથી 4ના મૃતદેહ મળી આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ ખરાબ હવામાનને કારણે બચાવ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે. GPS ટ્રેકરમાં હલચલના સંકેત એવરેસ્ટ ક્રોનિકલના રિપોર્ટ અનુસાર નિર્મલ પુર્જાના GPS ટ્રેકરમાં હળવી હલચલ જોવા મળી છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આ ટેકનિકલ ખામી પણ હોઈ શકે છે. ટ્રેકિંગ ડેટા અનુસાર ગુરુવારે સવારે 9:38 વાગ્યે પુર્જા 6,659 મીટરની ઊંચાઈ પર હતા. ત્યારબાદ સવારે 10:18 વાગ્યે 800 મીટરનો ઝડપી ઘટાડો નોંધાયો હતો, જે હિમપ્રપાતના સમય સાથે મેળ ખાય છે. રેસ્ક્યુ હેલિકોપ્ટર પહાડી વિસ્તારોમાં પહોંચી શકતા નથી નેપાળ પર્વતારોહણ સંઘના પૂર્વ અધ્યક્ષ આંગ શેરિંગ શેરપાએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર પહાડી વિસ્તારમાં ઉતરી શકતા નથી, જેના કારણે બચાવ કાર્ય પ્રભાવિત થયું છે. પાકિસ્તાન સરકારના સંપર્કમાં નેપાળ નેપાળના સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે તેઓ પાકિસ્તાનમાં સ્થિત નેપાળી દૂતાવાસ દ્વારા પાકિસ્તાની સરકાર સાથે સતત સંપર્કમાં છે. નેપાળના પર્યટન મંત્રી ખડક પ્રસાદ પૌડેલે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પર્વતારોહકોના સુરક્ષિત પરત ફરવાની આશા રાખી રહ્યા છે. અલ્પાઇન ક્લબ કરી રહ્યું છે સંકલન અલ્પાઇન ક્લબ ઓફ પાકિસ્તાનના ઉપાધ્યક્ષ કરાર હૈદરીએ જણાવ્યું કે હિમસ્ખલન પછી આખી ટીમ સાથે સંપર્ક તૂટી ગયો છે. ક્લબે જણાવ્યું કે તેઓ સરકારી અધિકારીઓ સાથે મળીને દરેક સંભવિત સંસાધનો એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Leave A Comment