પ્રથમ ભારતીય મહિલા મિમિક્રી આર્ટિસ્ટ આશા સિંહનું નિધન:મીના કુમારીની નકલથી ખ્યાતિ મળી, બીઆર ચોપરાની મહાભારતમાં દ્રોણાચાર્યની પત્ની બન્યા હતા

Last Updated: August 24, 2026By

જાણીતા એક્ટ્રેસ અને ભારતના પ્રથમ મહિલા મિમિક્રી આર્ટિસ્ટ આશા સિંહ જયસ્વાલનું નિધન થયું. તેમણે 22 ઓગસ્ટના રોજ સાંજે લગભગ 7:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમના દીકરા આકાશ ભારદ્વાજે પોસ્ટ શેર કરીને આ માહિતી આપી. આશાને ભારતના પ્રથમ મહિલા મિમિક્રી આર્ટિસ્ટ માનવામાં આવે છે. તેઓ હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ મીના કુમારીના અવાજની નકલ કરવા માટે જાણીતા હતા. તેઓ બી.આર. ચોપરાની મહાભારતમાં દ્રોણાચાર્યની પત્ની કૃપીના પાત્રમાં જોવા મળ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર રવિવારે સવારે 10 વાગ્યે મુંબઈના વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા. દીકરા આકાશે લખ્યું- ‘મા માટે તેમનું કામ જ સર્વસ્વ હતું’
આશાના દીકરા આકાશે લખ્યું કે, તેમની માતા માટે તેમનું કામ જ સર્વસ્વ હતું. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ સોશિયલ મીડિયા પર તેમની માતાના કામને ચોક્કસ જુએ અને યાદ રાખે, જેથી તેમની આત્માને શાંતિ મળે. માતાનો સંદેશ હતો કે મૃત્યુનો શોક મનાવવાને બદલે આનંદ અનુભવવો જોઈએ. આશા ઇવેન્ટ્સ એન્ડ ફિલ્મ્સ નામની કંપની બનાવી હતી આશા સિંહ જયસ્વાલ એક ઉદ્યોગસાહસિક પણ હતા. તેમણે ‘આશા ઇવેન્ટ્સ એન્ડ ફિલ્મ્સ’ નામની કંપની બનાવી હતી, જેના તેઓ સ્થાપક અને ઓપરેટર હતા. આ કંપની દ્વારા તેઓ ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઇવેન્ટ્સ આયોજિત કરતા હતા. જીવનના છેલ્લા દિવસો સુધી તેઓ પોતાના કામ સાથે જોડાયેલા રહ્યા.