બજેટ 2026- સોનું અને ચાંદી સસ્તું થઈ શકે છે:સરકારે ડ્યુટીમાં 2% ઘટાડો કર્યો, ગ્રાફિક્સમાં જુઓ શું મોંઘુ થઈ શકે છે ને શું સસ્તું થઈ શકે છે

Last Updated: February 1, 2026By

બજેટમાં તો ઈમ્પોર્ટ ડ્યૂટીના વધ-ઘટથી સામાનોના ભાવ થોડા-વધુ ઉપર-નીચે થાય છે. સમજીએ કે આ બજેટથી શું સસ્તું થયું અને શું મોંઘું થયું…
GST કાઉન્સિલ નક્કી કરે છે મોટાભાગની વસ્તુઓના ભાવ આજે તમારી થાળીના શાક લઈને તમારા હાથમાં સ્માર્ટફોન સુધી, મોટાભાગની વસ્તુઓના ભાવ નાણામંત્રી નહીં, પણ GST કાઉન્સિલ નક્કી કરે છે. 22 સપ્ટેમ્બર 2025થી GSTના ચાર સ્લેબ ઘટાડીને બે કરવામાં આવ્યા હતા.
હવે માત્ર 5% અને 18% વચ્ચેના સ્લેબમાં GST લાગે છે. GST કાઉન્સિલની 56મી મિટિંગમાં આના પર નિર્ણય લેવામાં આવ્યો હતો. આનાથી ઘી, પનીર ખરીદવાથી લઈને કાર અને AC ખરીદવાનું પણ સસ્તું થઈ ગયું છે. હવે બે જરૂરી સવાલોના જવાબ… સવાલ 1: જો આજે બજેટમાં ડ્યુટીમાં ફેરફાર કરવામાં આવે છે, તો શું આવતીકાલથી દુકાનોમાં માલ સસ્તો થશે?
જવાબ: ના. આ સૌથી મોટી ગેરસમજ છે. બજેટમાં કર ફેરફારની અસર “નવા સ્ટોક” પર પડે છે. દુકાનની અંદર પડેલી વસ્તુઓ જૂની કિંમતે જ વેચાશે. બજેટની અસર અનુભવવામાં સમય લાગે છે. ભાવ વધવા કે ઘટના તે નક્કી નથી હોતું. તે સંપૂર્ણપણે કંપનીઓ પર આધાર રાખે છે. કેટલીકવાર સરકાર ડ્યુટી ઘટાડે છે, પરંતુ કંપનીઓ તેમના નફાના માર્જિન વધારવા માટે ભાવ ઘટાડતી નથી. તેવી જ રીતે જો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચો માલ વધુ મોંઘો થાય છે, તો ટેક્સ ઘટાડા છતાં ભાવ સ્થિર રહી શકે છે અથવા વધી પણ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, કંઈપણ નક્કી હોતું નથી. સવાલ 2: 22 સપ્ટેમ્બર 2025થી GSTમાં બદલાવ થયા, શું બજેટ તેને બદલી શકે છે?
જવાબ: ના. નાણામંત્રી પાસે બજેટમાં GST સ્લેબમાં ફેરફાર કરવાનો અધિકાર નથી. આના માટે GST કાઉન્સિલની એક અલગ બેઠક થાય છે. બજેટ ફક્ત ઈમ્પોર્ટ ડ્યૂટીને વધારી કે ઘટાડી શકે છે.

Leave A Comment