ભારતના 'કોકરોચ'થી પાકિસ્તાની સરકાર ફફડી ઊઠી:દેશમાં બળવાનો ડર; ગૃહમંત્રીએ નાકામી સ્વીકારી, કહ્યું- 'યુવાનો એકસાથે આવશે, તો સિસ્ટમ ઊથલાવી દેશે'

Last Updated: July 31, 2026By

પાકિસ્તાન સરકાર પર પણ યુવાનોના વિરોધનો ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ આશંકા વ્યક્ત કરી છે કે જો સિસ્ટમ ઠીક નહીં થાય, તો આ ‘કોકરોચ’ બધું જ બદલી નાખશે. મોહસિન નકવીએ પોતાની જ સરકારને એલર્ટ કરતા કહ્યું છે કે તમે તેમને યુથ કહો, કોકરોચ કહો કે ગમે તે કહો, જો તેઓ એક થઈ જશે તો બધું જ ઉથલ-પાથલ કરી નાખશે. પાકિસ્તાન આ સમયે મોંઘવારી, નબળી અર્થવ્યવસ્થા, દેવું, હિંસા અને બેરોજગારીથી ઝઝૂમી રહ્યું છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ તાજેતરમાં આ વાતનો ઉલ્લેખ કર્યો અને દેશની આર્થિક નાકામીઓને ખુલ્લેઆમ સ્વીકારી. ‘કોકરોચ’ બધું ઊથલાવી દેશે’
તેમણે કહ્યું કે, “જો આ ‘કોકરોચ’ એકસાથે આવી જાય, તો તેઓ બધું જ પલટી શકે છે. તેઓ ઈચ્છે છે કે સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે. તેઓ ન્યાય, મેરિટ, નોકરીની તકો અને સરકારી નોકરીઓ સુધી સમાન પહોંચ ઈચ્છે છે. આપણે આપણા યુવાનોને આ બધું આપી શક્યા નથી. તેમને યુથ કહો, કોકરોચ કહો કે ગમે તે કહો, પરંતુ જો તેઓ એક થઈ જાય, તો તેઓ બધું જ બદલી શકે છે.” મોહસિન નકવીએ પોતાની જ સરકારને સાવધ કરી અને કહ્યું કે આના પહેલાં કે ‘કોકરોચ’ ભડકી ઉઠે, આપણે તેમની અપેક્ષાઓ પૂરી કરવી પડશે. તેમની માંગણીઓ સરળ છે: મેરિટના આધારે નોકરીઓ અને રોજગારીની બેહતર તકો. આપણે આના પર ધ્યાન આપવું જોઈએ. પાકિસ્તાનના ગૃહમંત્રી નકવીએ યુવાનોમાં વધી રહેલા રોષ વિશે પણ વાત કરી અને ભારતથી ‘કોકરોચ’ પ્રોટેસ્ટનો રેફરન્સ લઈને ચેતવણી આપી કે ‘કોકરોચ’ જેવો વિદ્રોહ થઈ શકે છે. તેમણે કહ્યું કે, “આપણે આપણા યુવાનોને તે નથી આપી શકતા જે તેઓ ઈચ્છે છે.” પાકિસ્તાનની શાસન વ્યવસ્થા ધ્વસ્ત થઈ
ગૃહમંત્રીએ સાર્વજનિક મંચથી સ્વીકાર્યું છે કે પાકિસ્તાનની વર્તમાન શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ચૂકી છે અને દેશનું 70 વર્ષ જૂનું માળખું સંપૂર્ણપણે નાકામ સાબિત થયું છે. મોહસિન નકવી પાકિસ્તાન ઈકોનોમિક સમિટમાં બોલી રહ્યા હતા. તેમણે નવા પ્રશાસનિક યુનિટ અને નવા પ્રાંતો બનાવવાની વાત કરી. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. શિયા સમુદાયમાંથી આવતા મોહસિન નકવી પ્રેક્ટિકલ, સિસ્ટમ રિફોર્મ પર ફોકસ કરવાની માંગ કરી રહ્યા છે. તેમણે પ્રશાસનિક સુધારાઓની જોરદાર વકાલત કરી અને નવા પ્રશાસનિક યુનિટ અથવા નવા પ્રાંતો બનાવવાની વાત કરી. ભારતનું ઉદાહરણ આપીને જણાવ્યું કે ત્યાં આઝાદીના સમયે 14 પ્રાંત હતા, હવે 29 છે. સિસ્ટમને લોકોની નજીક લાવવી જરૂરી છે, જેથી ન્યાય અને પાયાની સુવિધાઓ સરળતાથી મળી શકે. નકવીએ રાજકીય પક્ષોને કહ્યું કે તેઓ મતભેદો ભૂલીને એક રૂમમાં બેસે અને સુધારાઓ પર સહમતિ બનાવે. તેમણે વ્યાપારી સમુદાયને અપીલ કરી કે તેઓ માત્ર ચૂંટણી ફંડિંગ ન કરે, પરંતુ રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવે. યુવાનો પર વાત કરતા તેમણે ચેતવણી આપી કે યુથ માત્ર લેપટોપ કે થોડી રકમ નથી ઈચ્છતા, પરંતુ મેરિટ પર રોજગાર ઈચ્છે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન કલાકો સુધી કામ કરે, તો પણ વગર સિસ્ટમ રીસેટના કાયમી સુધારા મુશ્કેલ છે.

Leave A Comment