મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો નફો 47% વધીને ₹4,675 કરોડ થયો:ત્રીજા ક્વાર્ટરમાં રેવન્યુ 26% વધી, એક વર્ષમાં કંપનીનો શેર 20% વધ્યો
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ક્વાર્ટરમાં કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે (YoY) 47% વધીને ₹4,675 કરોડ થયો છે. એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટર (Q3FY25)માં કંપનીને ₹3,181 કરોડનો નફો થયો હતો. આજે (11 ફેબ્રુઆરી) કંપનીએ નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર)ના પરિણામો જાહેર કર્યા છે. પરિણામો પછી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર 0.16%ના વધારા સાથે ₹3,681 પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં શેર 20% વધ્યો છે. કંપનીનું માર્કેટ કેપ ₹4.41 લાખ કરોડ છે. રેવન્યુ 26% વધીને ₹52,100 કરોડ રહ્યું મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઓપરેશનમાંથી રેવન્યુમાં વાર્ષિક ધોરણે 26%નો વધારો થયો છે. FY26ના ત્રીજા ક્વાર્ટરમાં ઓપરેશનમાંથી રેવન્યુ ₹52,100 કરોડ રહી. એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટર એટલે કે FY25ના ત્રીજા ક્વાર્ટરમાં રેવન્યુ ₹41,470 કરોડ રહી હતી. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે (YoY) 26% વધીને 52,958 કરોડ રૂપિયા થઈ, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 41,881 કરોડ રૂપિયા હતી. જ્યારે ત્રિમાસિક ધોરણે કંપનીની કુલ આવક 13% વધી છે. કંપનીના વાહનોનું વેચાણ પણ વાર્ષિક ધોરણે 23% વધીને 3.02 લાખ યુનિટ્સ થયું. કંપનીની કમાણી વધવાના 5 મોટા કારણો કન્સોલિડેટેડ એટલે કે આખી કંપનીનો રિપોર્ટ કંપનીઓના પરિણામો બે ભાગમાં આવે છે – સ્ટેન્ડઅલોન અને કન્સોલિડેટેડ. સ્ટેન્ડઅલોનમાં ફક્ત એક યુનિટનું નાણાકીય પ્રદર્શન દર્શાવવામાં આવે છે. જ્યારે, કન્સોલિડેટેડ અથવા સંકલિત નાણાકીય રિપોર્ટમાં આખી કંપનીનો રિપોર્ટ આપવામાં આવે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

