રણબીર કપૂરે આદિત્ય રોય સાથે ફોટો ન પડાવ્યો:કહ્યું- મારા કરતા વધુ હેન્ડસમ છે; મુંબઈમાં બંને સાથે જોવા મળ્યા
બોલિવૂડ એક્ટર્સ રણબીર કપૂર અને આદિત્ય રોય કપૂર તાજેતરમાં મુંબઈમાં એક ઇવેન્ટ દરમિયાન સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે અદ્ભુત બોન્ડિંગ જોવા મળ્યું. પાપારાઝી સામે રણબીરે મજાકિયા અંદાજમાં આદિત્ય સાથે ફોટો ક્લિક કરાવવાની ના પાડી દીધી. મુંબઈના એક રસ્તા પર જ્યારે બંને એક્ટર્સ પાપારાઝીને પોઝ આપી રહ્યા હતા, ત્યારે એક ફોટોગ્રાફરે તેને સાથે ફ્રેમમાં આવવાની વિનંતી કરી. આના પર રણબીરે તરત જ મજાકિયા અંદાજમાં કહ્યું, “ના, આની સાથે નહીં, આ બહુ હેન્ડસમ છે.” રણબીરની આ વાત સાંભળીને આદિત્ય હસી પડ્યો અને તેણે હળવેથી રણબીરને ધક્કો માર્યો. 11 વર્ષ જૂની છે ઓન-સ્ક્રીન મિત્રતા
રણબીર અને આદિત્યની મિત્રતા ઘણી જૂની છે. ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’માં રણબીરે ‘બની’ અને આદિત્યએ તેમના સૌથી સારા મિત્ર ‘અવિ’નો રોલ કર્યો હતો. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી હતી. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને કલ્કિ કેકલાં પણ મુખ્ય ભૂમિકાઓમાં હતાં. ઓફ-સ્ક્રીન પણ બંને ઘણીવાર સાથે સમય વિતાવતા જોવા મળે છે. ‘રામાયણ’ની તૈયારીમાં વ્યસ્ત રણબીર
વર્કફ્રન્ટની વાત કરીએ તો, રણબીર કપૂર હાલમાં નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ને લઈને ચર્ચામાં છે. તે ફિલ્મમાં ભગવાન રામનો રોલ નિભાવી રહ્યો છે. લગભગ 4000 કરોડના બજેટમાં બની રહેલી આ ફિલ્મમાં સાઈ પલ્લવી, સની દેઓલ અને યશ જેવા સિતારાઓ પણ જોવા મળશે. ફિલ્મનો પહેલો ભાગ દિવાળી 2026માં રિલીઝ થવાની સંભાવના છે. આદિત્યનો આગામી પ્રોજેક્ટ ‘રક્ત બ્રહ્માંડ’
બીજી તરફ, આદિત્ય રોય કપૂર ટૂંક સમયમાં વેબ સિરીઝ ‘રક્ત બ્રહ્માંડ: ધ બ્લડી કિંગડમ’માં જોવા મળશે. તેને રાજ એન્ડ ડીકે બનાવી રહ્યા છે. આ સિરીઝમાં તેમની સાથે સામંથા રૂથ પ્રભુ અને અલી ફઝલ પણ હશે. આ એક ફૅન્ટેસી એક્શન સિરીઝ છે, જેની વાર્તા એક કાલ્પનિક સામ્રાજ્યની આસપાસ ગૂંથાયેલી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

