રાજપાલ યાદવે દિલ્હીની તિહાડ જેલમાં આત્મસમર્પણ કર્યું:2010ના ચેક બાઉન્સ કેસમાં એક્ટરને 6 મહિનાની જેલની સજા થઈ હતી, હાઇકોર્ટે એક્ટરની રાહત અરજી ફગાવી

Last Updated: February 5, 2026By

બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવે ગુરુવારે દિલ્હીની તિહાડ જેલમાં આત્મસમર્પણ કર્યું છે. વર્ષ 2010માં નોંધાયેલા ચેક બાઉન્સ કેસમાં અગાઉ દિલ્હી હાઇકોર્ટ એક્ટરને છ મહિનાની કેદની સજા સંભળાવી ચૂકી છે. જોકે, મામલો ઉકેલવા માટે રાજપાલ યાદવને સમય આપવામાં આવ્યો હતો. જોકે, તે વારંવાર નિષ્ફળ જતાં તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવને 4 ફેબ્રુઆરી 2026ના રોજ સંબંધિત જેલ અધિક્ષક સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. રાજપાલ યાદવની રાહતની અરજી હાઇકોર્ટે ફગાવી ‘ઈન્ડિયા ટીવી’ના રિપોર્ટ અનુસાર, આત્મસમર્પણ કર્યા બાદ રાજપાલ યાદવ ફરી એકવાર વ્યક્તિગત રીતે દિલ્હી હાઈકોર્ટમાં હાજર થયા અને રાહતની માંગ કરી. તેણે કોર્ટને જણાવ્યું કે, તે 25 લાખ રૂપિયાનો ચેક લઈને આવ્યા છે અને બાકીની રકમ પણ ચૂકવવાની ખાતરી આપી. તેણે આ જ આધારે રાહત આપવાની માંગ કરી. જોકે, કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોઈપણ રાહત પર વિચાર કરતા પહેલા આત્મસમર્પણ કરવું જરૂરી છે. કોર્ટે કહ્યું કે, ‘આત્મસમર્પણ કર્યા પછી જ જોવામાં આવશે કે કોઈ રાહત આપી શકાય છે કે નહીં.’ હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, અગાઉ જે રાહત આપવામાં આવી હતી, તે વારંવાર આપવામાં આવેલી ખાતરીઓના આધારે હતી કે, વિવાદને પરસ્પર સમજૂતીથી ઉકેલવામાં આવશે અને ફરિયાદ કરનાર કંપનીને ચુકવણી કરવામાં આવશે, પરંતુ કોર્ટે જોયું કે ઘણી તકો મળવા છતાં આ વચનો પૂરા કરવામાં આવ્યા ન હતા.’ વારંવાર નિયમો તોડવા બદલ રાહત પાછી ખેંચી લેવામાં આવી આ પહેલા જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ કહ્યું હતું કે, ટ્રાયલ કોર્ટની સજા જૂન 2024માં માત્ર એટલા માટે રોકવામાં આવી હતી, જેથી રાજપાલ યાદવને મામલો ઉકેલવાનો સમય મળી શકે. કોર્ટે જણાવ્યું કે, ‘ઘણી વખત નિર્ધારિત તારીખો આપવામાં આવી હતી, પરંતુ કરોડો રૂપિયાની ચુકવણી થઈ ન હતી.’ કોર્ટે ડિમાન્ડ ડ્રાફ્ટમાં ટેકનિકલ અથવા ટાઈપિંગ ભૂલના બહાનાને પણ ફગાવી દીધો. કોર્ટે કહ્યું કે, ‘આ દલીલો ભરોસાપાત્ર નથી.’ કોર્ટે એમ પણ કહ્યું કે, ‘વચનો ખુલ્લેઆમ વરિષ્ઠ વકીલો દ્વારા આપવામાં આવ્યા હતા અને વધારાનો સમય માત્ર અરજદારના નિર્દેશોના આધારે આપવામાં આવ્યો હતો.’ વારંવાર નિયમો તોડવા અને જવાબદારી સ્વીકાર્યા પછી, હાઈકોર્ટે વધુ કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો. કોર્ટે આદેશ આપ્યો કે રજિસ્ટ્રાર જનરલ પાસે જમા રકમ ફરિયાદકર્તા કંપનીને આપવામાં આવે અને રાજપાલ યાદવને ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા ભોગવવા માટે આત્મસમર્પણ કરવું પડશે. શું છે આખો મામલો? ખરેખર, ચેક બાઉન્સનો આ મામલો વર્ષ 2010નો છે. રાજપાલ યાદવે પોતાની પહેલી નિર્દેશિત ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે એક પ્રાઈવેટ કંપની પાસેથી લગભગ 5 કરોડ રૂપિયાનું દેવું લીધું હતું. ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી નહીં. ત્યારબાદ દેવું ચૂકવવામાં વિલંબ થયો અને આપેલા ચેક બાઉન્સ થઈ ગયા. કંપનીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ કેસ દાખલ કર્યો. ટ્રાયલ કોર્ટે રાજપાલ યાદવને છ મહિનાની સજા સંભળાવી હતી. બાદમાં હાઈકોર્ટે સજા પર રોક લગાવીને સમાધાનની તક આપી હતી.

Leave A Comment