વિયેતનામમાં બોટ પલટી, ભારતીયો સહિત 15નાં મોત:36 ભારતીયો સવાર હતા, મોટાભાગના તેલંગાણા અને આંધ્રપ્રદેશના ટુરિસ્ટ હતા
વિયેતનામના ફુ ક્વોક ટાપુ પાસે શનિવારે બોટ પલટી ગઈ. આ દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત થયા. બોટમાં કુલ 36 લોકો સવાર હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, તેમાંથી 32 ભારતીય હતા. તેમાંથી મોટાભાગના તેલંગાણાના હતા. 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ગુમ થયેલા પ્રવાસીઓની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક મીડિયા અનુસાર, આ દુર્ઘટના સવારે 10:30 વાગ્યે થઈ. રુટ ન્ગોઆઈ દ્વીપ ફરવા જઈ રહ્યા હતા
બોટ ભારતીય પ્રવાસીઓને ફુ ક્વોક નજીક આવેલા હોન મે રુટ ન્ગોઆઈ ટાપુ પર ફરવા લઈ જઈ રહી હતી. લગભગ 400 મીટર દૂર પલટી ગઈ. આ ટાપુ તેના સ્વચ્છ સમુદ્ર, નાના દરિયાકિનારા અને કોરલ રીફ ડાઇવિંગ માટે પ્રખ્યાત છે. અહીં પહોંચવા માટે પ્રવાસીઓ સામાન્ય રીતે એન થોઈ બંદરગાહથી હોડી અથવા સ્પીડબોટ ભાડે લે છે. દુર્ઘટનાની તસવીરો… ભારતીય દૂતાવાસે કંટ્રોલ રૂમ બનાવ્યા ભારતીય દૂતાવાસે જણાવ્યું કે દુર્ઘટના બાદ હનોઈ સ્થિત દૂતાવાસ અને હો ચી મિન્હ સિટી સ્થિત ભારતીય દૂતાવાસમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. બંને મિશન સ્થાનિક પ્રશાસનના સંપર્કમાં છે અને ભારતીય નાગરિકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. દૂતાવાસે જણાવ્યું કે દુર્ઘટના સંબંધિત સંપૂર્ણ માહિતી હજુ એકત્રિત કરવામાં આવી રહી છે. હાલ સ્થાનિક પ્રશાસન અને રાહત એજન્સીઓ ગુમ થયેલા લોકોની શોધમાં લાગી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

