વિવેક ઓબેરોયની કોન્ફરન્સ પછી સલમાન ગુસ્સામાં હતો:પ્રોડ્યુસર શૈલેન્દ્ર સિંહ એ એક્ટરને શાંત કરાવ્યો, કહ્યું- સમયને તેનું કામ કરવા દો
ફિલ્મ પ્રોડ્યુસર શૈલેન્દ્ર સિંહે તાજેતરમાં જણાવ્યું કે વિવેક ઓબેરોય દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં સલમાન પર આરોપ લગાવ્યા બાદ સલમાન ખૂબ ગુસ્સામાં હતો. નોંધનીય છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સલમાન ખાન અને વિવેક ઓબેરોય વચ્ચે જૂનો વિવાદ રહ્યો છે. આ વિવાદ તે સમયે વધુ વકર્યો હતો, જ્યારે વિવેકે આરોપ લગાવ્યો હતો કે સલમાને તેને ધમકી આપી છે. હવે આ મામલાને લઈને પ્રોડ્યુસર શૈલેન્દ્ર સિંહે કેટલીક વાતો સામે રાખી છે. તાજેતરમાં સિદ્ધાર્થ કન્નનને આપેલા ઇન્ટરવ્યુમાં શૈલેન્દ્ર સિંહે જણાવ્યું કે વિવેકની પ્રેસ કોન્ફરન્સ પછી તે સલમાનના ઘરે ગયો હતો. તે સમયે એક્ટર ખૂબ નારાજ હતો. શૈલેન્દ્રએ કહ્યું કે- તેણે સલમાનને સલાહ આપી હતી કે ઉતાવળમાં કોઈ પગલું ન ભરે. તેણે એક્ટરને કહ્યું- જીવનમાં આપણે રિએક્ટ નહીં, પરંતુ એક્ટ કરવું જોઈએ. જે કરવાનું છે, તે પછીથી પણ કરી શકાય છે. અત્યારે શાંતિથી બેસો અને સમયને તેનું કામ કરવા દો.” શૈલેન્દ્રના મતે, સલમાને તેમની વાત માની અને તે સમયે કોઈ પ્રતિક્રિયા આપી નહીં.
‘સલમાને લડાઈ ચૂપચાપ લડી’ ફિલ્મ પ્રોડ્યુસરે ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું કે તેણે (સલમાન) તે લડાઈ ચૂપચાપ લડી. મને લાગે છે કે હવે વિવેક બોલિવૂડમાં કામ નથી કરી રહ્યો. મને સંપૂર્ણપણે ખબર નથી, પણ એવું જ લાગે છે. વિવેક એમ કહે છે કે, તે ખૂબ જ સમજદારીભર્યું પગલું હતું. કોઈને નુકસાન ન પહોંચાડવું અને પોતાના પર આરોપ ન આવવા દેવા, મને લાગે છે કે આ સાચો રસ્તો હતો. ઇન્ટરવ્યુમાં શૈલેન્દ્રએ સલમાનને લઈને એમ પણ કહ્યું કે સલમાન જંગલમાં જન્મેલો વાઘ છે, પણ હવે ઝૂમાં છે. તેના મતે સફળતા મળ્યા પછી સલમાન ડરપોક થઈ ગયો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

