'શું હું ભગવાન રામ બનવાને લાયક છું?':'રામાયણ'માં ભૂમિકા માટે રણબીર કપૂર પણ અસમંજસમાં હતો, પહેલીવાર ટ્રોલ્સને આપ્યો સણસણતો જવાબ
નિતીશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ થયા બાદ એક્ટર રણબીર કપૂરની કાસ્ટિંગને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેને આ રોલ માટે ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. હવે ખુદ રણબીરે આ પ્રશ્નો પર પોતાની ચૂપકીદી તોડી છે. સેન ડિએગો કોમિક-કોનમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં રણબીર કપૂરે પહેલીવાર આ ટ્રોલિંગ પર પોતાનો પક્ષ રજૂ કર્યો. રણબીરે કહ્યું કે, ‘ભગવાન રામનો કોઈ એક નિશ્ચિત ચહેરો હોતો નથી. જે એક્ટરની નિયત સાફ છે અને જેને ભગવાન રામના આદર્શો પર વિશ્વાસ છે, તે જ આ પાત્ર માટે યોગ્ય પસંદગી છે.’ ઓફર મળતાં મનમાં પ્રશ્ન ઉઠ્યો- ‘શું હું આના લાયક છું?’
સેન ડિએગો કોમિક-કોનમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન જ્યારે રણબીરને પૂછવામાં આવ્યું કે, રોલ ઓફર થતાં પહેલો વિચાર શું આવ્યો? તો તેણે પોતાની ખચકાટ વિશે જણાવ્યું. રણબીરે કહ્યું, ‘મારા મનમાં સૌથી પહેલો પ્રશ્ન એ જ આવ્યો કે, શું હું આ જવાબદારીને લાયક છું? હું માત્ર એક પાત્ર નથી ભજવી રહ્યો, પરંતુ પડદા પર ભગવાન રામને રજૂ કરી રહ્યો છું.’ તેણે આગળ કહ્યું કે, ‘સમય જતાં મને સમજાયું કે આ એક ખૂબ મોટી જવાબદારી છે, જેને પૂરી નિષ્ઠાથી નિભાવવી પડશે.’ રામનો કોઈ નિશ્ચિત ચહેરો નથી, દરેક વ્યક્તિનો પોતાનો દૃષ્ટિકોણ
કાસ્ટિંગ પર ઉઠી રહેલા પ્રશ્નોનો જવાબ આપતા રણબીરે કહ્યું કે, ‘દરેકની પોતાની વિચારસરણી હોય છે. રામાયણ સાંભળનારા અને જોનારા દરેક વ્યક્તિના મનમાં ભગવાન રામની પોતાની અલગ છબી વસેલી છે. તેથી કેટલાક લોકોને લાગશે કે, મારું કાસ્ટિંગ ખોટું છે અને કેટલાક લોકોને સાચું લાગશે. પરંતુ સાચી વાત એ છે કે, જે કલાકારના મનમાં સાચી ભાવના અને આસ્થા છે, તે જ આ ભૂમિકાને યોગ્ય રીતે ભજવી શકે છે.’ રાવણનો રોલ ભજવી રહેલા યશે રણબીરના વખાણ કર્યા
ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવી રહેલા સાઉથ સુપરસ્ટાર યશે પણ રણબીર કપૂરને સમર્થન આપ્યું. યશે કહ્યું કે, ‘પડદા પર ભગવાન રામનું પાત્ર ભજવવું બિલકુલ સરળ કામ નથી. રણબીરે આ માટે દિવસ-રાત મહેનત કરી છે. જ્યારે દર્શકો સિનેમાઘરોમાં આ ફિલ્મ જોશે, ત્યારે તેમને રણબીરના અભિનયમાં ત્યાગ, સમર્પણ અને ભાવનાઓનું સુંદર સ્વરૂપ જોવા મળશે.’ 4,000 કરોડના બજેટમાં બની રહી છે દેશની સૌથી મોટી ફિલ્મ
નિતીશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’ ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે. તેનું કુલ બજેટ આશરે 4,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ફિલ્મનું નિર્માણ નમિત મલ્હોત્રા અને સાઉથ સ્ટાર યશ સાથે મળીને કરી રહ્યા છે. ફિલ્મમાં રણબીર કપૂર અને યશ ઉપરાંત ઘણા મોટા કલાકારો મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. ટીઝર રિલીઝ થયા બાદથી જ ફિલ્મને લઈને દર્શકોમાં ચર્ચા ચાલી રહી છે. ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડાયેલી અગત્યની વાતો-
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

