CM Vijay & Sangeetha Divorce Case Hearing Adjourned to Aug 7
27 મિનિટ પેહલા
- કૉપી લિંક
તમિલનાડુના મુખ્યમંત્રી અને પૂર્વ એક્ટર વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસની સુનાવણી સોમવારે ચેંગલપટ્ટુ જિલ્લાની મહિલા કોર્ટમાં થઈ, પરંતુ બંને પક્ષો કોર્ટમાં હાજર રહ્યા ન હતા. કોર્ટે અગાઉ વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી હવે 7 ઓગસ્ટે થશે. આ કેસની પ્રથમ સુનાવણી 20 એપ્રિલે થઈ હતી. ત્યારે પણ વિજય અને સંગીતા કોર્ટ પહોંચ્યા ન હતા અને તેમની તરફથી માત્ર વકીલો જ હાજર રહ્યા હતા.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, વકીલોએ સુરક્ષા અને અન્ય વ્યવસ્થાનો હવાલો આપીને ઓનલાઈન સુનાવણીની મંજૂરી માંગી હતી, પરંતુ કોર્ટે આ માંગણી ફગાવી દીધી હતી. કોર્ટે બંનેને 15 જૂનની સુનાવણીમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં સોમવારે બંને કોર્ટ પહોંચ્યા ન હતા. 2026ની શરૂઆતમાં સંગીતાએ વિજયથી છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી.
વિજય પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લાગ્યો
વિજયે 1999માં સંગીતા સોરનાલિંગમ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો જેસન સંજય અને દિવ્યા સાશા થયા.
ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, સંગીતાએ તેની છૂટાછેડાની અરજીમાં પતિ વિજય પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. જોકે, તેણે કોઈનું નામ લીધું ન હતું.

વિજય અને સંગીતા સોરનાલિંગમની જૂની તસવીર.
ત્રિશા અને વિજયની ડેટિંગની ચર્ચા, પ્રેમ માટે નિયમ પણ કુરબાન!
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ત્રિશાનું નામ સાઉથસુપરસ્ટાર અને તમિલનાડુના નવનિયુક્ત મુખ્યમંત્રી સી. જોસેફ વિજય ઉર્ફ થલાપતિ વિજય સાથે નામ જોડાઈ રહ્યું છે. જોકે, વિજય અને ત્રિશાએ અત્યાર સુધી તેમના સંબંધોને લઈને જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી.
તાજેતરમાં સીએમ વિજયના એક નિર્ણયની પણ ઘણી ચર્ચા થઈ, જેમાં તેણે ત્રિશાની ફિલ્મ ‘કરુપ્પુ’ માટે 9 વાગ્યાના મોર્નિંગ શો (સ્પેશિયલ સ્ક્રીનિંગ) માટે વિશેષ પરવાનગી આપી. નોંધનીય છે કે, મોર્નિંગ શો પર રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી પ્રતિબંધ હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…
શપથ ગ્રહણ સમારોહમાં હાજરી અને પરિવાર સાથેનું ખાસ જોડાણ
આ પહેલા 10 મેના રોજ ત્રિશા તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે વિજયના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજર રહી હતી. આ દરમિયાન વિજયની માતાએ તેને પ્રેમથી ગળે લગાવી લીધી હતી. ઉપરાંત વિજયની બહેનો અને પરિવારના અન્ય સભ્યો

શપથ ગ્રહણ સમારોહમાં ત્રિશા વિજયના પરિવારને મળી અને તેની માતાને ગળે લગાડી.
ત્રિશાના જન્મદિવસે જ થલાપતિનો ‘વિજય’
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ આવ્યા હતા, જે દિવસે ત્રિશા તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી હતી. ત્રિશાએ સવારે તિરુપતિ બાલાજીના દર્શન કર્યાં હતાં, અને વિજયની જીતના સમાચાર મળતા જ તે વિજયના નીલાંકરાઈ સ્થિત ઘરે પણ પહોંચી હતી.

ત્રિશા મંદિર પછી વિજયના ઘરે પહોંચી હતી.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


