Gaurav Khanna Had No Clue Akanksha Chamola Would Announce Divorce Publicly; Anuj Sachdeva Reacts
2 કલાક પેહલા
- કૉપી લિંક
‘અનુપમા’ અને ‘બિગ બોસ 19’થી ઓળખ બનાવનાર એક્ટર ગૌરવ ખન્નાની પત્ની અને ટીવી એક્ટ્રેસ આકાંક્ષા ચમોલાએ ‘લોક અપ સીઝન 2’માં છૂટાછેડાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ગૌરવ ખન્નાના મિત્ર અને એક્ટર અનુજ સચદેવાએ પ્રતિક્રિયા આપી છે. અનુજે વિકી લાલવાણીને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તે પોતે આ ખુલાસાથી સ્તબ્ધ છે.
તેના મતે, ‘ગૌરવને આ વાતનો બિલકુલ અંદાજ નહોતો કે, આકાંક્ષા શોમાં પોતાના લગ્ન તૂટવાની વાત સાર્વજનિક કરશે.’ આકાંક્ષાએ શો હોસ્ટ ફરાહ ખાન અને રિતેશ દેશમુખ સામે ખુલાસો કર્યો હતો કે, તે અને ગૌરવ એક વર્ષથી અલગ રહી રહ્યા છે.

અનુજ સચદેવાએ ‘સબકી લાડલી બેબો’, ‘છનછન’ જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.
દાવો- ગૌરવને જાણકારી નહોતી અનુજ સચદેવાએ જણાવ્યું કે સમાચાર સામે આવ્યા બાદ તેણે ગૌરવ ખન્ના સાથે વાત કરી હતી. અનુજે કહ્યું, ‘મને ખબર નહોતી કે ગૌરવ અને આકાંક્ષા છેલ્લા 9 મહિનાથી સાથે રહેતા નથી. સમાચાર આવ્યા પછી મારી ગૌરવ સાથે વાત થઈ. ગૌરવને આ વાતની બિલકુલ જાણકારી નહોતી કે આકાંક્ષા લોક અપ શોમાં તેમના સંબંધોના સ્ટેટસને આ રીતે બધાની સામે લાવશે.’

આકાંક્ષાએ ‘લોક અપ સીઝન 2’માં ગૌરવથી અલગ થવાની જાહેરાત કરી હતી.
ખાનગી વાતોને બહાર નથી લાવી રહ્યો ગૌરવ અનુજે ગૌરવને સપોર્ટ કરતા કહ્યું કે, ‘ગૌરવ પોતાની અંગત જિંદગીની વાતોને પબ્લિકમાં નથી લાવી રહ્યા. ગૌરવ આકાંક્ષાને ખૂબ પ્રેમ કરતો હતો અને તેણે આકાંક્ષાને તે બધું જ આપ્યું, જે તે ઈચ્છતી હતી. લગ્નમાં આવેલી મુશ્કેલીઓને લઈને ગૌરવે ક્યારેય બહાર કોઈની સાથે કોઈ ફરિયાદ કરી ન હતી અને તે ગરિમા જાળવી રહ્યો છે.’
બાળકોની વાત પર અનુજે શંકા વ્યક્ત કરી શોમાં આકાંક્ષાએ સ્પર્ધકોને જણાવ્યું હતું કે, ગૌરવને બાળકો જોઈતા હતા, પરંતુ તે માતા બનવા માંગતી ન હતી, તેથી બંને અલગ થઈ રહ્યા છે. આ વાત પર અનુજે કહ્યું, ‘મને નથી લાગતું કે આ સાચું કારણ છે. આમ પણ, આ ખૂબ જ અંગત મામલો છે જેના પર કોઈએ અટકળો ન લગાવવી જોઈએ. આકાંક્ષાએ આ વિશે પહેલા ક્યારેય બહાર વાત કરી ન હતી. મને શંકા છે કે કદાચ શોની ટીઆરપી અથવા ધ્યાન વધારવા માટે તેણે આવું કર્યું છે.’

બંનેએ 24 નવેમ્બર 2016ના રોજ ગૌરવના વતન કાનપુરમાં લગ્ન કર્યા હતા.
ગૌરવ ખન્ના બોલ્યો- ‘પ્રેમ આજે પણ એટલો જ છે’
ગઈકાલે ગૌરવ ખન્નાએ તેની પત્ની આકાંક્ષા ચમોલાથી છૂટાછેડા અંગે પહેલીવાર નિવેદન આપ્યું. ‘લાફ્ટર શેફ્સ’ના સેટની બહાર મીડિયા સાથે વાત કરતા ગૌરવે કહ્યું કે, તે આકાંક્ષાને હંમેશા સપોર્ટ કરશે કારણ કે તે તેની પત્ની છે. ગૌરવે આકાંક્ષાને તેના નવા શો માટે શુભેચ્છાઓ પણ પાઠવી છે.
તેણે કહ્યું, ‘પ્રેમ આજે પણ એટલો જ છે અને સપોર્ટ પણ એટલો જ છે. હું હંમેશા આકાંક્ષાને સપોર્ટ કરીશ, તે મારી પત્ની છે. પ્રેમ કર્યો તો પાછળ કેમ હટું.’ ગૌરવે આગળ કહ્યું કે તે હંમેશા આકાંક્ષાની સાથે ઊભો છે અને ઈચ્છે છે કે તે શોમાં સારું રમે અને જીતીને આવે.

ગૌરવે છૂટાછેડા પર પ્રતિક્રિયા આપી.
બંને એક વર્ષથી અલગ રહે છે આકાંક્ષાએ શોના લોન્ચ ઇવેન્ટમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તે અને ગૌરવ છેલ્લા એક વર્ષથી એકબીજાથી અલગ રહી રહ્યા છે. તેણે ગૌરવ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, જો તે આ કારણોસર અલગ થવા માંગે છે, તો આ નિર્ણય બિલકુલ સાચો છે. સોશિયલ મીડિયા પર આ જાહેરાત પછીથી જ ઘણી ચર્ચા થઈ રહી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ અને ચાહકો તેને શો માટે એક પીઆર સ્ટંટ પણ જણાવી રહ્યા છે.

ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલાના સંબંધની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી વખતે થઈ હતી.
નવેમ્બર 2016માં થયા હતા ગૌરવ-આકાંક્ષાના લગ્ન ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલાના સંબંધની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી વખતે થઈ હતી. બંનેની પહેલી મુલાકાત એક ઓડિશનના સિલસિલામાં થઈ હતી, જેના પછી તેઓ મિત્રો બની ગયા. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી, બંનેએ 24 નવેમ્બર 2016ના રોજ ગૌરવના હોમટાઉન કાનપુરમાં લગ્ન કર્યા હતા.
ગૌરવ ખન્ના જ્યાં ‘અનુપમા’ અને ‘બિગ બોસ 19’ જેવા શોથી ઓળખ બનાવી ચૂક્યો છે, ત્યાં આકાંક્ષા ચમોલાએ પણ ‘સ્વરાગિની’ જેવી ઘણી ટીવી સિરિયલોમાં મહત્વના પાત્રો ભજવ્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


