સોનુ મિશ્રાએ મેકર્સની લીગલ નોટિસ ફાડી:'કાલા હિરણ'ના પ્રોડ્યુસરને કહ્યું- ધમકીથી ડરવાનો નથી; હું હનુમાનજીનો ભક્ત છું

Last Updated: July 13, 2026By

એક્ટર સોનુ મિશ્રાએ ફિલ્મ ‘કાલા હિરણ’ના નિર્માતાઓ તરફથી મળેલ કાનૂની નોટિસ ફાડી નાખી અને કહ્યું કે તે ડરવાના નથી. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરીને સોનુએ કહ્યું, ‘છેલ્લા કેટલાક દિવસોથી ‘કાલા હિરણ’ મૂવીનો વિવાદ ચાલી રહ્યો છે અને તમે બધાએ મારું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં જોયું હશે, સાંભળ્યું હશે. મેં મીડિયામાં સાચું કહ્યું હતું અને તે સાચું બોલવાને કારણે ‘કાલા હિરણ’ મૂવીના નિર્માતા અમિત જાનીએ મને એક કાનૂની નોટિસ મોકલી છે. કેમ ભાઈ સાહેબ? સાચું બોલવું ગુનો છે શું? મને કહો અને જે લેખિત ધમકી તમે કાનૂની નોટિસના નામે આપી છે, તેને ઇન્ડિયન પીનલ કોડના સેક્શન 351 હેઠળ ક્રિમિનલ ઇન્ટિમિડેશન કહેવાય છે. એટલે કે કાનૂની નોટિસના નામે તમે લેખિત ધમકી આપી દો, એટલે કે ગેરકાયદે ધમકી કહી શકાય.’ તેણે આગળ કહ્યું, ‘હું તમને કહી દઉં કે, આ ગીધડ ધમકીથી હું ડરવાનો નથી. હું હનુમાનજીનો ભક્ત છું. નાના ગામમાંથી નીકળીને મુંબઈ સુધીનો પ્રવાસ કર્યો છે. તમારી જેમ એવું નથી કે પ્રખ્યાત લોકોના નામનો ઉપયોગ કરીને હું ચર્ચામાં આવી જાઉં. હું મહેનત કરું છું. બરાબર છે? અને તમે જે સલમાન ખાન સાહેબની નોટિસ ફાડી કે ન ફાડી, તે મને ખબર નથી. તમારી આ જે ગેરકાયદે ધમકી છે ને… તે તમારી પાસે રાખો. બરાબર છે? અને જેટલા પણ લોકો છે, બધાને મારી વિનંતી છે કે, આવા લોકોથી દૂર રહો. અને હું હંમેશા સત્યની સાથે હતો અને હંમેશા સત્ય જ બોલીશ.’ સોનુએ મેકર્સ પર ગંભીર આરોપો લગાવ્યા હતા ફિલ્મ ‘કાલા હિરણ’ને લઈને એક્ટર સોનુ મિશ્રાએ દાવો કર્યો હતો કે ફિલ્મમાં સલમાન ખાનનો રોલ ભજવવા માટે પહેલા તેને પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેણે પોતે જ પ્રોજેક્ટ છોડી દીધો. તેણે કહ્યું હતું કે ફિલ્મમાં સલમાનને નેગેટિવ રીતે બતાવવામાં આવી રહ્યા છે. દિવ્ય ભાસ્કર સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં એક્ટર સોનુ મિશ્રાએ દાવો કર્યો હતો કે તેમને ફિલ્મ ‘કાલા હિરણ’માં તેની જિંદગીનો સૌથી મોટો રોલ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. ઉતાવળમાં તેને યુપીમાં શૂટિંગ માટે બોલાવવામાં આવ્યા, પરંતુ સેટ પર પહોંચ્યા પછી તેને ન તો સ્ક્રિપ્ટ આપવામાં આવી કે ન તો કોઈ એગ્રીમેન્ટ કરાવવામાં આવ્યો.

Leave A Comment