Afghanistan BCCI T20 Series Schedule Change Proposal

Last Updated: August 21, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે આવતા મહિને યોજાનારી ત્રણ મેચની T20 ઇન્ટરનેશનલ સિરીઝની તારીખો બદલાઈ શકે છે.

આ મામલે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચે વાતચીત ચાલી રહી છે. જોકે, હજુ સુધી શેડ્યૂલ બદલવા અંગે કોઈ ઔપચારિક નિર્ણય લેવાયો નથી.

પહેલા આ મેચો 13, 15 અને 17 સપ્ટેમ્બરે યોજાવાની હતી. હવે BCCIને તેમને 11, 13 અને 14 સપ્ટેમ્બરે યોજવાનો પ્રસ્તાવ મળ્યો છે. તમામ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાવાની છે.

11, 13 અને 14 સપ્ટેમ્બરે મેચનો પ્રસ્તાવ

ACBએ BCCI સમક્ષ આ પ્રસ્તાવ તેના હિતધારકોના કહેવા પર મૂક્યો છે. તેનું કહેવું છે કે બદલાયેલી તારીખો પર મેચ યોજવાથી દર્શકોની સંખ્યા અને સ્ટેડિયમમાં આવનારા લોકોની સંખ્યા વધશે.

પહેલીવાર અફઘાનિસ્તાન ભારત સામે બાઇલેટર સિરીઝની યજમાની કરશે, જોકે તમામ મેચ ભારતમાં જ રમાશે.

બાંગ્લાદેશનો પ્રવાસ ટળી શકે છે, BCCIના પ્રસ્તાવ સ્વીકારવાની અપેક્ષા

અફઘાન બોર્ડના અધિકારીઓને આશા છે કે BCCI આ પ્રસ્તાવ સ્વીકારી શકે છે. કારણ કે, ટીમ ઈન્ડિયાની બાંગ્લાદેશ સામે સિરીઝ યોજાવાની શક્યતા લગભગ સમાપ્ત માનવામાં આવી રહી છે.

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ 27 ઑગસ્ટે સમાપ્ત થશે. જ્યારે એશિયન ગેમ્સ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ બંને આયોજનો વચ્ચે ભારતીય ટીમ પાસે ખાલી સમય છે.

ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યા છે બંને દેશ

જૂનમાં ભારતે અફઘાનિસ્તાનની યજમાની કરી હતી. ત્યારે બંને ટીમ વચ્ચે એક ટેસ્ટ અને ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાઈ હતી.

આગામી T20 ઇન્ટરનેશનલ સિરીઝ પછી ભારત અને અફઘાનિસ્તાન ત્રણેય ફોર્મેટમાં એકબીજા સામે રમી ચૂક્યા હશે.

પહેલાની તારીખોની જાહેરાત કરતી વખતે BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે- ‘અમે જૂનમાં અફઘાનિસ્તાનની યજમાની કરી હતી, જેમાં ટેસ્ટ અને વન-ડે સિરીઝ રમાઈ હતી.

આ T20 ઇન્ટરનેશનલ સિરીઝ પછી બંને ટીમ ત્રણેય ફોર્મેટમાં એકબીજા સામે રમી ચૂકી હશે.