Krushna Abhishek Reacts Govinda Sunita Ahuja Relationship Dispute Celebs Footage VIDEOS
1 કલાક પેહલા
- કૉપી લિંક
ગોવિંદા અને સુનીતા આહુજાના સંબંધોમાં ચાલી રહેલા અણબનાવ વચ્ચે તેમના ભાણેજ કૃષ્ણા અભિષેકે નારાજગી વ્યક્ત કરી છે. સોમવારે મુંબઈ એરપોર્ટ પર પાપારાઝીએ મામા-મામીના સંબંધો પર પ્રશ્ન કર્યો તો કૃષ્ણાએ જવાબ આપવાનો ઇનકાર કરી દીધો. તેણે કહ્યું કે તેને ફક્ત મનોરંજન અને કામ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે. સાથે જ, તેણે એ સેલેબ્સ પર નારાજગી વ્યક્ત કરી, જેઓ આ પારિવારિક મામલે સતત નિવેદનો આપી રહ્યા છે.

કૃષ્ણા અભિષેક કીકુ શારદા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો.
પાપારાઝીને કહ્યું- ‘મામાનો કોઈ પ્રશ્ન ન પૂછતા’
કૃષ્ણા અભિષેક સોમવારે કોમેડિયન કીકુ શારદા સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જ્યારે પાપારાઝીએ ગોવિંદા અને સુનીતા આહુજાના સંબંધો વિશે પ્રશ્ન કર્યો, ત્યારે તેણે કહ્યું, ‘મામા વિશે કોઈ પ્રશ્ન ન પૂછો. આપણે આપણા કામની વાત કરીએ, શોની વાત કરીએ.’
કૃષ્ણાએ કહ્યું કે, ‘પરિવારની અંગત વાતો ઘર સુધી જ સીમિત રહેવી જોઈએ.’ તેણે કહ્યું કે, તેને એ પસંદ નથી કે બીજા લોકો તેના ઘરની વાત કરીને ફૂટેજ લઈ રહ્યા છે.
‘હું મારા મામા-મામી વિશે આવી વાત નહીં કરું’
કૃષ્ણાએ કહ્યું કે, તે ક્યારેય તેના મામા-મામીના અંગત સંબંધો વિશે આવી વાત નહીં કરે. તેણે કહ્યું, ‘હું ક્યારેય તેમના વિશે આવી કોઈ વાત વ્યક્તિગત રીતે નહીં કરું. હું મારા મામા-મામીને ખૂબ પ્રેમ કરું છું.’
તેણે કહ્યું કે, તે ઈચ્છે છે કે ગોવિંદા અને સુનીતા વચ્ચે જે પણ મામલો છે, તે જલ્દી ઉકેલાઈ જાય.
બીજા સેલેબ્સની ટિપ્પણીઓ પર પણ નારાજ
ગોવિંદા અને સુનીતાના સંબંધોને લઈને છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા સેલેબ્સે અભિપ્રાય આપ્યો છે. રાખી સાવંત, એજાઝ ખાન, પૂનમ પાંડે અને શર્લિન ચોપરા જેવા સિતારાઓ આ મામલે અલગ-અલગ નિવેદનો આપી ચૂક્યા છે. કોઈએ ગોવિંદાનું સમર્થન કર્યું તો કોઈએ સુનીતાના પક્ષમાં વાત કરી.
કૃષ્ણાને આ જ વાત પર વાંધો છે. તેનું કહેવું છે કે, જ્યારે આ પરિવારનો અંગત મામલો છે તો બીજા લોકો તેના પર સતત કેમ બોલી રહ્યા છે. તેણે ઈશારો કર્યો કે કેટલાક લોકો આ મુદ્દાથી પબ્લિસિટી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
થોડા સમય પહેલા સુનીતા સાથે થયું હતું પેચઅપ
કૃષ્ણા અને તેમની પત્ની કશ્મીરા શાહના સંબંધો પણ એક સમયે સુનીતા આહુજા સાથે ખરાબ થઈ ગયા હતા. જોકે, બાદમાં પરિવારમાં સુલેહ થઈ ગઈ. સુનીતા આહુજા ‘લાફ્ટર શેફ્સ’માં મહેમાન તરીકે જોવા મળી હતી, જ્યાં કશ્મીરાએ તેમની સાથેના સંબંધોને લઈને સકારાત્મક વાત કહી હતી અને તેમને સપોર્ટ કરવાની વાત કરી હતી.
,
ગોવિંદા-સુનીતા સંબંધિત આ સમાચાર પણ વાંચો…
વર્ષોના અબોલા ભૂલીને કશ્મીરા મામીજીના સપોર્ટમાં!:સુનીતાને ખુલ્લુ સમર્થન આપતા કહ્યું, ‘કંઈક તો ખોટું થયું હશેને, એટલે આટલા વર્ષે હવે પોતાની વાત રજૂ કરી’

ગોવિંદા અને સુનીતા આહુજાના વિવાદમાં દિવસે ને દિવસે નવા વળાંક આવી રહ્યા છે. એક તરફ પરિવારના કેટલાક સભ્યો આ અંગે મગનું નામ મરી પાડવા માંગતા નથી, તો બીજી બાજુ મામી સુનીતા સાથે વર્ષો સુધી અબોલા રાખનાર ભાણેજ વહુ કશ્મીરા હવે ખૂલીને તેનું સમર્થન કરી રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


