ઇથેનોલ બ્લેન્ડિંગ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી:પિટિશનમાં માગ- પંપ પર જણાવવામાં આવે કે પેટ્રોલમાં કેટલું ઇથેનોલ ભેળવી રહ્યા છે

Last Updated: August 30, 2026By

સુપ્રીમ કોર્ટ આજે એટલે કે સોમવારે (31 ઓગસ્ટ) તે જનહિત અરજી પર સુનાવણી કરશે, જેમાં દેશના તમામ પેટ્રોલ પંપના નોઝલ અને પેટ્રોલ બિલ પર ઇથેનોલની ચોક્કસ માત્રા એટલે કે ટકાવારી લખેલી હોવાની માગ કરવામાં આવી છે. PTI અનુસાર, ન્યાયમૂર્તિ એમ.એમ. સુંદરેશ અને ન્યાયમૂર્તિ પ્રસન્ના બી. વરાલેની બેન્ચ આ મામલાની સુનાવણી કરશે. આ અરજી નરેન્દ્ર કુમાર ગોસ્વામી દ્વારા દાખલ કરવામાં આવી છે. પંપના નોઝલ અને પેટ્રોલ બિલ પર ઇથેનોલની માત્રા લખવી પડશે અરજીમાં કેન્દ્ર સરકાર અને સંબંધિત અધિકારીઓને એ નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે કે પેટ્રોલ પંપના દરેક ડિસ્પેન્સિંગ નોઝલ પર ઇથેનોલ બ્લેન્ડિંગની ટકાવારી સ્પષ્ટપણે લખવામાં આવે. આ ઉપરાંત, જ્યારે પણ કોઈ ગ્રાહક પેટ્રોલ ખરીદે, ત્યારે તેને મળતી રસીદ પર પણ ફરજિયાતપણે લખેલું હોવું જોઈએ કે તે ઇંધણમાં કેટલા ટકા ઇથેનોલ મિશ્રિત છે. ગાડીઓ માટે ઓનલાઈન કમ્પેટિબિલિટી ડેટાબેઝ બનાવવાની માગ અરજદારે કોર્ટને માગ કરી છે કે સરકાર એક સત્તાવાર અને સાર્વજનિક ઓનલાઈન ડેટાબેઝ તૈયાર કરે. આ ડેટાબેઝમાં વાહન નિર્માતા, મોડેલ, એન્જિનના પ્રકાર અને નિર્માણના વર્ષ પ્રમાણે સર્ચ કરવાની સુવિધા હોય. આનાથી સામાન્ય નાગરિકો સરળતાથી જાણી શકશે કે તેમની ગાડી E20 કે અન્ય ઇથેનોલ મિશ્રણ માટે અનુકૂળ છે કે નહીં. E20 પેટ્રોલની અસરની તપાસ માટે નિષ્ણાત સમિતિનો સુઝાવ અરજીમાં એક સ્વતંત્ર નિષ્ણાત સમિતિ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. આ સમિતિમાં: શામેલ હોવા જોઈએ. આ સમિતિ રસ્તાઓ પર ચાલતા વાહનો પર E20 ઇંધણની વાસ્તવિક અસરની તપાસ કરીને જાહેર અહેવાલ બહાર પાડશે. માઇલેજ, એન્જિન લાઇફ અને પર્યાવરણ પર થતી અસરનું મૂલ્યાંકન કરવામાં આવશે અરજીમાં જણાવાયું છે કે આ નિષ્ણાત સમિતિ નીચેના પાસાઓનો અભ્યાસ કરીને અહેવાલ રજૂ કરે:

Leave A Comment