BCCI Review Meeting Postponed; Devjit Saikia Health & Gautam Gambhir

Last Updated: August 5, 2026By

8 કલાક પેહલા

  • કૉપી લિંક

ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમનાં નિરાશાજનક પ્રદર્શન બાદ યોજાનારી BCCIની રિવ્યુ મિટિંગ હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાની તબિયત ખરાબ હોવાને કારણે તે નિર્ધારિત સમયે થઈ શકી નથી.

મિટિંગ ઑગસ્ટના પહેલા અઠવાડિયામાં યોજાવાની હતી. હવે એવી અપેક્ષા છે કે તે આગામી કેટલાક દિવસોમાં આયોજિત કરવામાં આવશે, જેમાં હેડ કોચ ગૌતમ ગંભીર વર્ચ્યુઅલી સામેલ થઈ શકે છે.

ભારતને ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 સિરીઝમાં 4-0થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતને ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 સિરીઝમાં 4-0થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ ખરાબ રહ્યું પ્રદર્શન

આ પછી ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ ભારતીય ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું ન હતું. પાંચ મેચની T20 સિરીઝમાં ભારતને 3-1થી હાર મળી, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ. આ પછી વન-ડે સિરીઝમાં પણ શુભમન ગિલની આગેવાનીની ટીમ 2-1થી સિરીઝ ગુમાવી બેઠી.

બેટર્સની રણનીતિ પર સવાલો ઉઠ્યા

વિદેશી પ્રવાસો પર ભારતીય બેટર્સનું પ્રદર્શન સૌથી વધુ ટીકાનો વિષય બન્યું. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે IPL 2026 અને ઘરઆંગણાના T20 વર્લ્ડ કપ પહેલા સતત સપાટ પીચ પર રમવાને કારણે બેટર્સને મુશ્કેલ પરિસ્થિતિઓ અનુસાર પોતાને ઢાળી શક્યા નહીં. હેડ કોચ ગૌતમ ગંભીરે પણ સ્વીકાર્યું હતું કે ખેલાડીઓને માત્ર પીચ જ નહીં, પરંતુ મેચની પરિસ્થિતિઓ, પવનની દિશા અને મેદાનના કદ જેવી નાની-નાની બાબતોને પણ વધુ સારી રીતે સમજવાની જરૂર છે.

ઈજાગ્રસ્ત ખેલાડીઓ પર પણ થશે ચર્ચા

રિવ્યુ મિટિંગમાં ટીમના વધતા ઇજાગ્રસ્ત ખેલાડીઓનો મુદ્દો પણ મુખ્ય રહેશે. તાજેતરમાં જસપ્રીત બુમરાહ શ્રીલંકા ટેસ્ટ પ્રવાસમાંથી બહાર થઈ ગયો, જ્યારે સાઈ સુદર્શન, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર અને નીતિશ રેડ્ડી પણ ઈજામાંથી સાજા થઈ રહ્યા છે. સતત વધતી ઈજાની ઘટનાઓ બાદ ટીમના ફિઝિયો કમલેશ જૈનની કાર્યપ્રણાલી પણ સવાલોના ઘેરામાં છે. રિપોર્ટ્સ અનુસાર કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીર પણ મુખ્ય ખેલાડીઓના વારંવાર ઈજાગ્રસ્ત થવાથી સંતુષ્ટ નથી.

BCCIની આ રિવ્યુ મિટિંગમાં વિદેશી પ્રવાસો પર ખરાબ પ્રદર્શન, ખેલાડીઓની રણનીતિ, ટીમ પસંદગી અને વધતી ઈજાની સમસ્યા જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે. આ નિર્ણયોની અસર ભારતની આગામી ઈન્ટરનેશનલ સિરીઝ અને ટીમની તૈયારીઓ પર પણ પડી શકે છે.

Leave A Comment