Dharmendra Pradhan Resignation; Modi Govt Bows To Students

Last Updated: July 25, 2026By

નવી દિલ્હી2 કલાક પેહલા

  • કૉપી લિંક

શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થઈ ગયું છે. NEET પેપર લીક કેસમાં તેમના રાજીનામાની માંગ કરતા કોકરોચ જનતા પાર્ટી છેલ્લા 36 દિવસથી જંતર-મંતર પર ધરણાં કરી રહી છે.

રાજીનામા પછી BBCએ લખ્યું કે મોદી સરકારને વિદ્યાર્થીઓ સામે ઝૂકવું પડ્યું છે. જ્યારે ગાર્ડિયને લખ્યું કે મોદી સરકારના 12 વર્ષમાં પહેલીવાર જનતાના દબાણમાં કોઈ મંત્રીનું રાજીનામું થયું.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને ન્યૂયોર્ક ટાઈમ્સ, CNN, અલ જઝીરા અને ડોન સહિત અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓએ પણ ટોપ સ્ટોરીઝમાં સ્થાન આપ્યું છે.

BBC: સરકારે વિદ્યાર્થીઓના ગુસ્સાનો સાચો અંદાજ ન લગાવ્યો

2014માં સત્તામાં આવ્યા પછી, વડાપ્રધાન મોદી સરકાર સામાન્ય રીતે વિરોધ પ્રદર્શનો પ્રત્યે કડક વલણ અપનાવતી રહી છે અને ભાગ્યે જ ક્યારેય કોઈ મોટા આંદોલન સામે ઝૂકી છે.

આ પહેલા મોદી સરકારે માત્ર એક મોટા મામલામાં પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો, જ્યારે લગભગ એક વર્ષ સુધી ચાલેલા ખેડૂત આંદોલન પછી ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવા પડ્યા હતા.

આ વખતે સરકારને અંદાજ નહોતો કે વિદ્યાર્થી આંદોલન આટલું મોટું અને લાંબુ ચાલશે. શરૂઆતમાં ઘણા અઠવાડિયા સુધી આંદોલનને અવગણવામાં આવ્યું, પરંતુ આ સપ્તાહે સંસદ તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસની કડકાઈ પછી દેશભરમાં તીવ્ર પ્રતિક્રિયા થઈ અને સરકાર પર દબાણ ઘણું વધી ગયું.

ધર્મેન્દ્ર પ્રધાન જેવા વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી ખરેખર રાજીનામું આપશે કે નહીં, તે અંગે છેલ્લી ઘડી સુધી કંઈ જાણી શકાયું ન હતું. તેમના રાજીનામા પછી આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓ, ખાસ કરીને પહેલીવાર કોઈ મોટા પ્રદર્શનનો ભાગ બનેલા યુવાનોને પોતાની જીતનો અહેસાસ થઈ રહ્યો છે.

ધ ગાર્ડિયન: મોદીના સૌથી નજીકના મંત્રીઓમાંથી એકનું રાજીનામું

ભાજપના 12 વર્ષના શાસનમાં આ પહેલીવાર છે, જ્યારે વડાપ્રધાન મોદીના સૌથી નજીકના અને ભરોસાપાત્ર મંત્રીઓમાંથી એકને જાહેર દબાણને કારણે રાજીનામું આપવું પડ્યું છે. તેમનું નેતૃત્વ નવા બનેલા યુવા રાજકીય સંગઠન કોકરોચ જનતા પાર્ટી (CJP)એ કર્યું. આ સપ્તાહે આ આંદોલન દેશભરમાં યુવાનોના મોટા વિરોધ પ્રદર્શનમાં ફેરવાઈ ગયું.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના સમાચાર મળતા જ દિલ્હીમાં એકઠા થયેલા હજારો સીજેપી સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ. પ્રદર્શનકારીઓએ ઉજવણી કરી અને તેને સરકાર પાસેથી જવાબદારીની તેમની માંગણીની મોટી જીત ગણાવી.

NYT: પ્રદર્શનકારીઓને ‘આતંકવાદીઓની બી-ટીમ’ કહ્યા હતા, હવે રાજીનામું

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું. ભારતમાં ચાલી રહેલું વિદ્યાર્થી આંદોલન સરકાર સામેની સૌથી મોટી પડકારોમાંની એક બની ગયું હતું. આ આંદોલનની આગેવાની પોતાને ‘કોકરોચ’ કહેનારા વિદ્યાર્થી સમૂહો કરી રહ્યા હતા. આ નામ ભારતના ચીફ જસ્ટિસની કથિત અપમાનજનક ટિપ્પણીથી પ્રેરિત હતું.

આ સંગઠન શરૂઆતથી જ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યું હતું. આ મહિને પ્રદર્શનકારીઓ પર થયેલા બળપ્રયોગે આ આંદોલનને ભારતના ઘણા શહેરો સુધી ફેલાવી દીધું.

ધર્મેન્દ્ર પ્રધાન પહેલાં આ પ્રદર્શનોને ગંભીરતાથી લઈ રહ્યા ન હતા. તેમણે સોશિયલ મીડિયા પર વિરોધ પક્ષો પર વિદ્યાર્થીઓનો ઉપયોગ કરીને અવ્યવસ્થા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. જૂનમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓને ‘આતંકવાદીઓની બી-ટીમ’ સુધી કહી દીધું હતું.

હવે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી વિદ્યાર્થી આંદોલનને વધુ બળ મળી શકે છે અને વિદ્યાર્થીઓ પોતાની બીજી માંગણીઓને લઈને પણ સરકાર પર દબાણ વધારી શકે છે.

અલ જઝીરા: ભારતમાં વિદ્યાર્થી આંદોલનની મોટી જીત થઈ

વિદ્યાર્થીઓના આંદોલનના દબાણ હેઠળ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે રાજીનામું આપ્યું. તાજેતરના વર્ષોમાં, આ મોદી સરકાર વિરુદ્ધના સૌથી મોટા વિદ્યાર્થી આંદોલનોમાંથી એક હતું.

આ આંદોલન દ્વારા યુવાનોએ બેરોજગારી, ભ્રષ્ટાચાર અને સરકારની જવાબદારી જેવા મુદ્દાઓ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.

CNN- એક મીમથી શરૂ થયેલા આંદોલને શિક્ષણ મંત્રીની ખુરશી છીનવી લીધી

ભારતમાં સતત વધી રહેલા વિદ્યાર્થી આંદોલનના દબાણ હેઠળ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું. છેલ્લા ઘણા દિવસોથી હજારો વિદ્યાર્થીઓ તેમના રાજીનામા અને પરીક્ષા વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા હતા.

જે આંદોલન શરૂઆતમાં એક મીમ તરીકે શરૂ થયું હતું, તે ધીમે ધીમે દેશભરમાં ફેલાઈ ગયું. તેણે વિદ્યાર્થીઓ અને નોકરી શોધી રહેલા યુવાનોને જવાબદારી, સારા અવસરો અને વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે એકજૂટ કર્યા.

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય રીતે આંદોલનોના દબાણ હેઠળ નિર્ણયો બદલતા નથી. જ્યારે, વિપક્ષ અને સરકારના ટીકાકારો લાંબા સમયથી આરોપ લગાવતા રહ્યા છે કે સરકાર વિરોધ પ્રદર્શનો પર સખ્તાઈથી કાર્યવાહી કરે છે.

આ આંદોલન દેશમાં વધતી યુવા બેરોજગારીના મુદ્દાને પણ મુખ્યત્વે ઉઠાવી રહ્યું છે. બેંગલુરુ સ્થિત અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના તાજેતરના અહેવાલ મુજબ, ભારત વિશ્વના સૌથી યુવા દેશોમાંનો એક છે. દેશમાં 15થી 29 વર્ષની વય જૂથના 36 કરોડથી વધુ યુવાનો છે.

અહેવાલ મુજબ, 25 વર્ષ કે તેથી ઓછી ઉંમરના લગભગ 40% સ્નાતકો બેરોજગાર છે. જ્યારે, 20થી 29 વર્ષની વય જૂથના લગભગ 20% યુવાનો નોકરીથી વંચિત છે. અહેવાલમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી રોજગાર ન મળવાને દેશના સૌથી મોટા પડકારોમાંથી એક ગણાવ્યો છે.

ધ ડોન: ‘કોકરોચ’ની જીત, વિદ્યાર્થી આંદોલનના દબાણમાં શિક્ષણ મંત્રીનું રાજીનામું

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી. પરીક્ષા પેપર લીક મામલાઓની જવાબદારી નક્કી કરવાની માંગને લઈને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે તેને પ્રદર્શનકારીઓની મોટી જીત માનવામાં આવી રહી છે.

તાજેતરના વર્ષોમાં આ આંદોલન ભારતના સૌથી મોટા જનઆંદોલનોમાં સામેલ થઈ ગયું હતું. વિપક્ષી દળોના સમર્થન અને સંસદની અંદર વિરોધને કારણે તે સરકાર સામે એક મોટો રાજકીય મુદ્દો બની ગયો હતો.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની જાહેરાત બાદ જંતર-મંતર પર ધરણા પર બેઠેલા પ્રદર્શનકારીઓમાં ખુશીની લહેર દોડી ગઈ. આ જ સ્થળે સોમવારે પોલીસે પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કર્યો હતો.

પ્રદર્શનકારીઓએ જય હિંદના નારા લગાવ્યા. સ્થળ પર લાઉડસ્પીકર પર રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું અને એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરવામાં આવી.

———————————-

પ્રધાનના રાજીનામા સંબંધિત આ સમાચાર પણ વાંચો…

પહેલીવાર સરકાર ઝૂકી:Gen Zના આક્રોશ સામે મોદી સરકારે પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું, દીપકેએ કહ્યું- ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ

શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. પેપર લીક કેસમાં તેમના રાજીનામાની માગ કરતા કોકરોચ જનતા છેલ્લા 36 દિવસથી જંતર-મંતર પર ધરણા પ્રદર્શન કરી રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો