Generative AI Impact in India: Job Opportunities vs Risks | Gujarat News
વૈશ્વિક સ્તરે લોકપ્રિય થઈ રહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ માનવ જીવન અને કાર્યશૈલીમાં ક્રાંતિ લાવી છે. એક તરફ જ્યાં AI એ કામકાજને અત્યંત સરળ બનાવ્યું છે, તો બીજી તરફ તે રોજગારી સામે મોટું જોખમ પણ બનીને ઉભર્યું છે. ગોલ્ડમેન સૅક્સના તાજેતરના અહેવાલ મુજબ, જનરેટિવ AI ભારતમાં મિશ્ર પ્રભાવ પાડશે. આ નવી ટેકનોલોજીથી દેશની આશરે 42 થી 48% નોકરીઓને ફાયદો થશે, જ્યારે બીજી બાજુ લગભગ 8 થી 12% નોકરીઓ પર જોખમના વાદળો ઘેરાયેલા છે.
AI ની મર્યાદિત અસર
AI વિચારણા, લેખન, જટિલ પ્રશ્નોના ઉત્તરો આપવા અને અહેવાલો તૈયાર કરવા જેવા કાર્યો ખૂબ જ ઝડપથી કરી શકે છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં લગભગ 9 થી 17% બિન-કૃષિ કાર્યો ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે, જેમાં સરેરાશ આંકડો 13 થી 15% આસપાસ છે. જોકે, મેન્યુઅલ મજૂરી અથવા શારીરિક શ્રમ માંગતા ક્ષેત્રો પર AI ની નહિવત્ અસર પડશે. જ્યાં AI ની મર્યાદિત અસર છે, ત્યાં તે કર્મચારીઓનો સમય બચાવીને નવી કુશળતા કેળવવામાં મદદરૂપ સાબિત થશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

