Gujarati News | Breaking News in Gujarati | ગુજરાતી સમાચાર
અમદાવાદની અમરાઈવાડી બેઠક પર ભાજપના આંતરિક રાજકારણમાં મોટો વંટોળ આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય હસમુખ પટેલ સામે પક્ષના જ કાર્યકરો અને દાવેદારોએ મોરચો માંડ્યો છે. આરોપ છે કે, ટિકિટ ફાળવણીમાં સક્ષમ ઉમેદવારોની અવગણના કરવામાં આવી છે અને પક્ષના નીતિ-નિયમોને નેવે મૂકીને મનસ્વી રીતે નિર્ણયો લેવાયા છે.
‘સારા નહીં, મારા’ના મંત્રથી નારાજગી
અમરાઈવાડી ભાજપમાં અત્યારે એક જ ચર્ચા છે કે, ધારાસભ્યએ ‘સારા’ (કામ કરનારા) ઉમેદવારોને બદલે ‘મારા’ (પોતાના નજીકના) લોકોને ટિકિટ આપી છે. કાર્યકરોનો આક્ષેપ છે કે, જે લોકો વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો પાડે છે, તેમને બાકાત રાખીને માત્ર વફાદારોને જ રેવડી વહેંચવામાં આવી છે. આ ‘ભાઈ-ભત્રીજાવાદ’ને કારણે પાયાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


