કુટુંબ નિયોજન અભિયાન
1971માં, ભારતનો કુલ પ્રજનન દર 5.2 હતો. આનો અર્થ એ થયો કે સરેરાશ, એક ભારતીય મહિલાએ તેના જીવનકાળમાં પાંચથી વધુ બાળકોને જન્મ આપ્યો હતો. આજે, આ સંખ્યા ઘટીને 1.9 થઈ છે. પાંચ દાયકામાં આ ઘટાડો ભારતના વસ્તી વિષયક ઇતિહાસની સૌથી મોટી ઘટનાઓમાંની એક છે. SRS અહેવાલ ઘણા વિવિધ પાસાઓ પર માહિતી પ્રદાન કરે છે. આ ફેરફાર અચાનક આવ્યો નથી. 1967માં શરૂ કરાયેલા કુટુંબ નિયોજન અભિયાન અને ત્યારબાદ “બે બાળકો પૂરતા છે” સંદેશના લોકપ્રિયતાએ નાના પરિવારોની વિભાવનાને પ્રોત્સાહન આપ્યું છએ.
શું છે TFR, 2.1નો આંકડો શા માટે મહત્વનો ?
કુલ પ્રજનન દર એટલે કે, TFR દર્શાવે છે કે, જો વર્તમાન વય-વિશિષ્ટ જન્મ દર યથાવત રહે તો સ્ત્રી તેના પ્રજનન જીવનકાળ એટલ કે 15થી 49 વર્ષ દરમિયાન સરેરાશ કેટલા બાળકો પેદા કરશે. વસ્તી વિષયક દ્રષ્ટિએ, 2.1ના TFRને “રિપ્લેસમેન્ટ લેવલ” કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે, સરેરાશ, દરેક સ્ત્રીને વર્તમાન પેઢીને બદલવા માટે પૂરતા બાળકો હોવા જોઈએ. જો કોઈ દેશનો TFR લાંબા સમય સુધી 2.1 થી નીચે રહે છે. તો વસ્તી વૃદ્ધિ ધીમે ધીમે ધીમી પડે છે, અને ભવિષ્યમાં વસ્તી સ્થિર થવા અથવા ઘટવા લાગે છે.
રાષ્ટ્રીય પ્રજનન દરમાં સતત ઘટાડો
ભારતનો TFR હવે 1.9 છે, જેનો અર્થ છે કે દેશ રાષ્ટ્રીય રિપ્લેસમેન્ટ સ્તરથી નીચે પહોંચ્યો છે. આ પરિસ્થિતિ અગાઉ યુરોપ, જાપાન, દક્ષિણ કોરિયા અને ચીન જેવા દેશોમાં જોવા મળી છે. જો કે, ભારતની પરિસ્થિતિઓ અલગ છે. તાજેતરના ડેટા દર્શાવે છે કે, પ્રજનન દરમાં ઘટાડો તાજેતરની ઘટના નથી કે એકલ વલણ નથી. છેલ્લા દાયકામાં રાષ્ટ્રીય પ્રજનન દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તે 2012-14 દરમિયાન 2.3 થી ઘટીને 2022-24 દરમિયાન 1.9 થયું છે. જે લગભગ 17.4 ટકાનો ઘટાડો દર્શાવે છે.
ભારતનો પ્રજનન દર ઘટ્યો
1971થી2024: એક મોટો ફેરફાર
છેલ્લા પાંચ દાયકામાં ભારતના વસ્તી વિષયક સૂચકાંકોમાં નોંધપાત્ર સુધારો થયો છે.
-જન્મ દર 36.9 થી ઘટીને 18.3 પ્રતિ હજાર થયો છે.
-મૃત્યુ દર 14.9 થી ઘટીને 6.4 પ્રતિ હજાર થયો છે.
-શિશુ મૃત્યુ દર 129 થી ઘટીને 24 પ્રતિ હજાર થયો છે.
-કુલ પ્રજનન દર 5.2 થી ઘટીને 1.9 થયો છે.
બિહાર ટોચ પર, દિલ્હી સૌથી નીચેના સ્તેરે
જનન દર માટે રાષ્ટ્રીય સરેરાશ1.9 છે, પરંતુ રાજ્યો વચ્ચે નોંધપાત્ર તફાવત ચાલુ રહે છે. બિહારમાં સૌથી વધુ પ્રજનન દર છે, જ્યારે રાજધાની, દિલ્હી, તળિયે રહે છે. બિહાર દેશનું એકમાત્ર મુખ્ય રાજ્ય છે જ્યાં TFR 2.9 છે, જેનો અર્થ છે કે પ્રજનન દર ઘણો ઊંચો રહે છે. આ રાષ્ટ્રીય સરેરાશ કરતા આશરે 53 ટકા વધારે છે. દિલ્હીમાં દેશમાં સૌથી ઓછો પ્રજનન દર છે. અહીં એક મહિલા સરેરાશ 1.2 બાળકોને જન્મ આપે છે.
કયા રાજ્યોમાં સૌથી ઓછો પ્રજનન દર ?
અહેવાલ મુજબ, ઘણા રાજ્યો રિપ્લેસમેન્ટ સ્તરથી ઘણા નીચે આવ્યા છે.
દિલ્હી – 1.2
કેરળ – 1.3
તમિલનાડુ – 1.3
મહારાષ્ટ્ર – 1.4
આંધ્રપ્રદેશ – 1.4
જમ્મુ અને કાશ્મીર – 1.4
પંજાબ – 1.4
કર્ણાટક – 1.5
તેલંગાણા – 1.5
હિમાચલપ્રદેશ – 1.5
ભારતમાં પ્રજનન દરમાં સૌથી મોટો તફાવત ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચે જોવા મળે છે.
ગ્રામીણ ભારત માટે TFR – 2.1
શહેરી ભારત માટે TFR – 1.5
શું ભારતની વસ્તી નિયંત્રણમાં રહેશે ?
આ પ્રશ્નનો જવાબ ‘તાત્કાલિક નહીં’ છે. જોકે TFR 2.1થી નીચે આવ્યો છે. ભારતની વસ્તી ઘણા દાયકાઓ સુધી વધતી રહેશે. આ ‘વસ્તી ગતિ’ને કારણે છે. ભારતમાં હજુ પણ પ્રજનન વય જૂથમાં પ્રવેશતા યુવાનોની સંખ્યા મોટી છે. તેથી, નીચા પ્રજનન દર હોવા છતાં, જન્મની કુલ સંખ્યા થોડા સમય માટે ઊંચી રહી શકે છે. જોકે, લાંબા ગાળે વસ્તી વૃદ્ધિ નોંધપાત્ર રીતે ધીમી રહેવાની ધારણા છે.
આ પણ વાંચોઃ મિત્રની અંતિમ વિદાયમાં ભાવુક થયા સલમાન ખાન, દુઃખની ઘડીમાં સમગ્ર પરિવાર જોવા મળ્યો એકસાથે