Iran Airlift: First Flight Tehran to Delhi Today

Last Updated: January 15, 2026By

નવી દિલ્હી2 કલાક પેહલા

  • કૉપી લિંક

ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી હિંસક પ્રદર્શનો વચ્ચે કેન્દ્ર સરકારે ત્યાંથી ભારતીયોને એરલિફ્ટ કરવાની તૈયારી કરી લીધી છે. પ્રથમ વિમાન આજે તેહરાનથી નવી દિલ્હી માટે રવાના થશે.

જમ્મુ અને કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશન (JKSA)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. ભારતીય દૂતાવાસે તેમની અંગત વિગતો અને પાસપોર્ટ એકત્રિત કરી લીધા છે. પ્રથમ બેચને સવારે 8 વાગ્યા સુધીમાં તૈયાર રહેવાની જાણકારી આપી દેવામાં આવી છે.

પ્રથમ બેચમાં ગોલેસ્તાન યુનિવર્સિટી, શાહિદ બહેશ્તી યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સિસ અને તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સિસના કેટલાક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

ઈરાનમાં લગભગ 10000 ભારતીયો રહે છે. તેમાંથી 2500-3000 વિદ્યાર્થીઓ છે, જેઓ મેડિકલનો અભ્યાસ કરવા ત્યાં ગયા હતા.

આ તસવીર કાશ્મીરની છે, જેના બાળકો ઈરાનમાં ફસાયેલા છે. તેમના માતા-પિતા ચિંતા કરી રહ્યા છે.

આ તસવીર કાશ્મીરની છે, જેના બાળકો ઈરાનમાં ફસાયેલા છે. તેમના માતા-પિતા ચિંતા કરી રહ્યા છે.

કાશ્મીરમાં રહેતા લોકોએ સરકાર પાસે માગ કરી છે કે અભ્યાસ કરવા ઈરાન ગયેલા બાળકોને પાછા લાવવામાં આવે.

કાશ્મીરમાં રહેતા લોકોએ સરકાર પાસે માગ કરી છે કે અભ્યાસ કરવા ઈરાન ગયેલા બાળકોને પાછા લાવવામાં આવે.

ભારત સરકારે 14 જાન્યુઆરીએ એડવાઇઝરી જાહેર કરી હતી.

ભારત સરકારે 14 જાન્યુઆરીએ એડવાઇઝરી જાહેર કરી હતી.

વિદેશ મંત્રાલયે હેલ્પલાઇન નંબર અને ઇમેઇલ જારી કર્યા

એડવાઇઝરીમાં જણાવાયું છે કે ઇરાનમાં હાજર તમામ ભારતીય નાગરિકો તેમના પાસપોર્ટ, વિઝા અને અન્ય જરૂરી દસ્તાવેજો હંમેશા પોતાની પાસે તૈયાર રાખે. આ સંબંધમાં કોઈપણ મદદ માટે તેઓ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે.

દૂતાવાસે ઇમરજન્સી સંપર્ક હેલ્પલાઇન પણ જારી કરી છે. મોબાઇલ નંબર: +989128109115; +989128109109; +989128109102; +989932179359. ઇમેઇલ: cons.tehran@mea.gov.in

ઇરાનમાં હાજર એ તમામ ભારતીય નાગરિકો જેમણે હજુ સુધી ભારતીય દૂતાવાસમાં રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તેમને વિનંતી છે કે તેઓ આ લિંક (https://www.meaers.com/request/home) દ્વારા રજીસ્ટર કરે.

આ લિંક દૂતાવાસની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. જો ઇરાનમાં ઇન્ટરનેટ અવરોધિત થવાને કારણે કોઈ ભારતીય નાગરિક નોંધણી કરવામાં અસમર્થ હોય, તો ભારતમાં તેમના પરિવારના સભ્યોને વિનંતી છે કે તેઓ તેમની વતી નોંધણી કરી શકે છે.

જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે વાતચીત થઈ

બુધવારે વિદેશ મંત્રી એસ જયશંકરને ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીનો ફોન આવ્યો. તેમણે ઈરાનની પરિસ્થિતિઓ પર ચર્ચા કરી. વિદેશ મંત્રાલય (MEA)એ ભારતીય નાગરિકોને ઈરાન ન જવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલય અનુસાર, ઈરાનમાં લગભગ 10,000 ભારતીય નાગરિકો હાજર છે.

ભારત સરકારની આ એડવાઈઝરી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તે ધમકી પછી આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો ઈરાન દેશભરમાં થઈ રહેલા પ્રદર્શનોનો હિંસાથી જવાબ આપવાનું ચાલુ રાખશે, તો અમેરિકા સૈન્ય કાર્યવાહી કરી શકે છે.

દાવો- ઈરાનમાં 12 હજાર લોકોના મોત

ઈરાની ચલણ રિયાલ ઐતિહાસિક રીતે ઘટ્યા પછી ગયા મહિને ઈરાનમાં પ્રદર્શનો શરૂ થયા હતા. ત્યારથી તે દેશના તમામ 31 પ્રાંતોમાં ફેલાઈ ગયા છે.

પ્રદર્શનોમાં મૃત્યુઆંક પર નજર રાખતી અમેરિકી સંસ્થા હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 2,550થી વધુ લોકો માર્યા ગયા છે. જેમાં 2,403 પ્રદર્શનકારીઓ અને 147 સરકાર સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે.

જોકે, ઈરાન સંબંધિત મામલાઓને કવર કરતી વેબસાઈટ ઈરાન ઈન્ટરનેશનલે દાવો કર્યો છે કે દેશભરમાં ઓછામાં ઓછા 12 હજાર લોકોના મોત થયા છે. મોટાભાગના લોકો ગોળી વાગવાથી માર્યા ગયા છે.

——————-

આ સમાચાર પણ વાંચો…

ઈરાન તરફ આગળ વધી રહ્યું છે અમેરિકી વોરશિપ:એરક્રાફ્ટ કેરિયર USS અબ્રાહમ લિંકન પણ સામેલ; વેનેઝુએલા પર હુમલા પહેલાં આવી જ ઘેરાબંધી કરી હતી

ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનો વચ્ચે અમેરિકા ઈરાનની આસપાસ પોતાની સૈન્ય હાજરી વધારવાની તૈયારીમાં છે. અમેરિકી નૌકાદળનું USS અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ સાથે સાઉથ ચાઈના સીથી મિડલ ઈસ્ટ તરફ રવાના થઈ ગયું છે. સંપૂર્ણ સમાચાર વાંચો..