Kamal Haasan Questions Film Certification Process | ‘જનતાનો વિશ્વાસ નબળો પડે છે’: ફિલ્મ ‘જન નાયકન’ વિવાદ વચ્ચે કમલ હાસને ફિલ્મ સર્ટિફિકેશન પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યો
8 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટર વિજયની ફિલ્મ ‘જન નાયકન’ કાનૂની મુશ્કેલીમાં છે. ફિલ્મ 9 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર સર્ટિફિકેટને કારણે રિલીઝ અટકી પડી છે. જે બાદ કોર્ટે હવે આ મામલાની સુનાવણી 21 જાન્યુઆરી માટે નક્કી કરી છે. આ દરમિયાન, આજે શનિવારે કમલ હાસને સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને ફિલ્મ સર્ટિફિકેશન પ્રોસેસ પર સવાલો ઉઠાવ્યા છે.
X પર શેર કરેલા એક નિવેદનમાં કમલ હાસને કહ્યું- “ભારતનું બંધારણ અભિવ્યક્તિની સ્વતંત્રતાની ગેરંટી આપે છે, જે તર્ક દ્વારા સંચાલિત છે અને ક્યારેય અસ્પષ્ટતાથી નબળી પડતી નથી. આ ક્ષણ કોઈ એક ફિલ્મ કરતાં મોટી છે; તે દર્શાવે છે કે એક બંધારણીય લોકશાહીમાં આપણે કલા અને કલાકારને કેટલી જગ્યા આપીએ છીએ.”
તેણે આગળ કહ્યું- સિનેમા કોઈ એક વ્યક્તિનું કામ નથી હોતું, પરંતુ તેમાં લેખકો, ટેકનિશિયન, કલાકારો, થિયેટર માલિકો અને નાના વ્યવસાયો જોડાયેલા હોય છે. આ બધાની રોજીરોટી એક યોગ્ય અને સમયસર મળતી સર્ટિફિકેશન પ્રક્રિયા પર નિર્ભર કરે છે.
કમલ હાસન તમિલનાડુથી રાજ્યસભાના સભ્ય છે.
હાસને કહ્યું, જ્યારે સ્પષ્ટતા હોતી નથી, ત્યારે સર્જનાત્મકતા અટકી જાય છે, આર્થિક પ્રવૃત્તિઓ પ્રભાવિત થાય છે અને જનતાનો વિશ્વાસ નબળો પડે છે. તમિલનાડુ અને ભારતના સિનેમા પ્રેમીઓ કલા પ્રત્યે ઉત્સાહ, સમજણ અને પરિપક્વતા ધરાવે છે; તેઓ પારદર્શિતા અને સન્માનના હકદાર છે.
કમલ હાસને એમ પણ કહ્યું, હવે જરૂર છે કે સર્ટિફિકેશન પ્રક્રિયાઓ પર સિદ્ધાંતોના આધારે પુનર્વિચાર કરવામાં આવે, જેમાં સર્ટિફિકેશન માટે નિર્ધારિત સમય-મર્યાદાઓ હોય, પારદર્શક મૂલ્યાંકન હોય અને દરેક સૂચવેલા કટ કે એડિટ માટે લેખિત, તર્કસંગત કારણો આપવામાં આવે.
અંતમાં તેણે કહ્યું- આ સમય સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એકજૂટ થવાનો અને સરકારી સંસ્થાઓ સાથે સાર્થક, રચનાત્મક સંવાદ કરવાનો પણ છે. આવા સુધારા ક્રિએટિવ ફ્રીડમનું રક્ષણ કરશે, બંધારણીય મૂલ્યોને જાળવી રાખશે અને કલાકારો તથા જનતા પર ભરોસો રાખીને ભારતના લોકતાંત્રિક સંસ્થાનોને વધુ મજબૂત કરશે.
‘જન નાયકન’ની રિલીઝ ડેટ અટકી પડી છે
ફિલ્મ ‘જન નાયકન’ની રિલીઝને લઈને મદ્રાસ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ જજના તે આદેશ પર અસ્થાયી રોક લગાવી દીધી છે, જેમાં ફિલ્મને U/A સર્ટિફિકેટ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મદ્રાસ હાઈકોર્ટમાં 9 જાન્યુઆરીના રોજ ફિલ્મ સાથે જોડાયેલા કેસની બીજી સુનાવણી થઈ. પહેલી સુનાવણીમાં કોર્ટની સિંગલ જજ બેન્ચે સવારે 10:30 વાગ્યે જ CBFCને U/A સર્ટિફિકેટ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
પરંતુ હાઈકોર્ટના આ નિર્ણયને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ પડકારતા ફિલ્મની ફરીથી તપાસ કરવા માટે રિવાઇઝિંગ કમિટી બનાવવાની માંગ કરી.
સેન્સર બોર્ડે આ નિર્ણય વિરુદ્ધ રિટ અરજી દાખલ કરી, જેના પછી મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની બેન્ચે રિલીઝ પર રોક લગાવતા આગામી સુનાવણી 21 જાન્યુઆરી નક્કી કરી છે.

વિજયની ફિલ્મ ‘જન નાયકન’માં બોબી દેઓલ મુખ્ય વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે.
બેન્ચે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી કે CBFC ને ફિલ્મની રિલીઝનો વિરોધ કરવા માટે યોગ્ય સમય આપવો જોઈતો હતો. ચીફ જસ્ટિસ મનિન્દ્ર મોહન શ્રીવાસ્તવ અને જસ્ટિસ જી અરુલ મુરુગનની ડિવિઝન બેન્ચે ફિલ્મમેકર્સ દ્વારા સર્ટિફિકેટ મળ્યા પહેલા જ રિલીઝની તારીખ નક્કી કરવા પર પણ સવાલ ઉઠાવ્યો.
બેન્ચે મેકર્સને કહ્યું- ‘તમારી પાસે સર્ટિફિકેટ નથી તો પછી તમે ફિલ્મને રિલીઝ કેવી રીતે કરી શકો છો? તમે રિલીઝની તારીખ નક્કી કરી શકતા નથી અને ન તો સિસ્ટમ પર દબાણ લાવી શકો છો.’
બચાવમાં, કેવીએન પ્રોડક્શન્સનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી કે સર્ટિફિકેશન પેનલ દ્વારા ફિલ્મની સમીક્ષા કરવામાં આવી હોવા છતાં, બોર્ડના માત્ર એક સભ્યએ જ ફરિયાદ નોંધાવી હતી. તેણે કોર્ટને યાદ અપાવ્યું કે ‘જન નાયકન’ને 9 જાન્યુઆરીએ રિલીઝ કરવાની યોજના હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

