Lifestyle: પ્રિઝર્વેટિવ્સ ખોરાક કેન્સરના કોષોના વિકાસને આપે છે પ્રોત્સાહન, જાણો શું કહે છે નિષ્ણાંતો?
ફક્ત બ્રેડ જ નહીં, વાઇન અને પ્રોસેસ્ડ માંસ પણ કેન્સરનું કારણ બની શકે છે. આ ખોરાક ખાવાથી પ્રોસ્ટેટ કેન્સર અને સ્તન કેન્સરનું જોખમ વધી શકે છે.
પ્રોસેસ્ડ મીટ કેન્સરનું કારણ
આ અભ્યાસોમાં 1.7 લાખથી વધુ લોકોના આહારનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધનનું નેતૃત્વ કરનાર વૈજ્ઞાનિક ડૉ. મેથિલ્ડે ટુવીયરના જણાવ્યા અનુસાર, આ વિશ્વનો પહેલો અભ્યાસ છે જે પ્રિઝર્વેટિવ્સને કેન્સર સાથે સીધો જોડે છે. સંશોધન સૂચવે છે કે બ્રેડ, વાઇન અને પ્રોસેસ્ડ મીટ કેન્સરનું કારણ બની શકે છે. આ ખોરાકને સાચવવા માટે ઉમેરવામાં આવતા પ્રિઝર્વેટિવ્સ કેન્સરના કોષોના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે.
સંશોધનમાં શું આવ્યુ સામે ?
વૈજ્ઞાનિકોએ આ અભ્યાસમાં 58 પ્રિઝર્વેટિવ્સનું પરીક્ષણ કર્યું. આમાંથી છ પ્રિઝર્વેટિવ્સ કેન્સર સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું. વૈજ્ઞાનિકો કહે છે કે યુએસ એફડીએએ આ છ પ્રિઝર્વેટિવ્સને સલામત જાહેર કર્યા છે, પરંતુ સંશોધનમાં તેમને કેન્સર પેદા કરતા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સોડિયમ નાઇટ્રાઇટ, પોટેશિયમ નાઇટ્રેટ, સોર્બેટ્સ, પોટેશિયમ સોર્બેટ, પોટેશિયમ મેટાબીસલ્ફાઇટ અને એસિટિક એસિડ જેવા પ્રિઝર્વેટિવ્સને ખતરનાક તરીકે ઓળખવામાં આવ્યા છે.
પ્રોસેસ્ડ ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક
ડૉ. મેથિલ્ડ ટુવિયરે જણાવ્યું છે કે બ્રેડ અને કોઈપણ પ્રોસેસ્ડ ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેને લાંબા સમય સુધી ખાવાથી કેન્સરનું જોખમ વધી શકે છે. તેમાં ઉમેરવામાં આવતા પ્રિઝર્વેટિવ્સ કેન્સરના કોષોના વિકાસનું કારણ બની શકે છે અને શરીરમાં ઓક્સિડેટીવ તણાવ પણ વધારી શકે છે. હા, એ વાત સાચી છે કે આ વસ્તુઓ એક કે બે વાર ખાવામાં કોઈ ખતરો નથી, પરંતુ લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી શરીરમાં કેન્સર થઈ શકે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
આ પણ વાંચોઃ Iran Protest: ઈરાનમાં અલી ખામેની સરકાર સામે વિરોધ કરી રહેલા Gen Zની કેટલી છે વસ્તી?, જાણો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

