Lifestyle: શું તમે ઓછા પ્રકાશમાં ફોનનો ઉપયોગ કરો છો?, તો આંખો થઇ શકે છે ખરાબ

Last Updated: February 20, 2026By

નવા સંશોધનમાં બહાર આવ્યું કે, મોબાઇલ અથવા કમ્પ્યુટર સ્ક્રીન જ નહીં, ઓછા પ્રકાશમાં કામ કરવાથી આંખો બગડે છે.

નવા અભ્યાસમાં શું આવ્યુ સામે ?

SUNY કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રીના વૈજ્ઞાનિકોએ આ સંશોધન હાથ ધર્યું હતું અને સેલ રિપોર્ટ્સમાં પ્રકાશિત થયું હતું. સંશોધન દર્શાવે છે કે મોબાઇલ ફોન, લેપટોપનો ઉપયોગ કરવાથી અથવા ઓછા પ્રકાશમાં પુસ્તક વાંચવાથી રેટિના સુધી પહોંચતા પ્રકાશનું પ્રમાણ ઓછું થાય છે. આ આંખો પર વધુ તાણ લાવે છે, જેનાથી માયોપિયાનું જોખમ વધે છે. અભ્યાસના લેખક જોસ મેન્યુઅલના મતે, મ્યોપિયા એ વિશ્વભરમાં ઝડપથી વિકસતી સમસ્યા છે. અમારા સંશોધન સ્પષ્ટપણે દર્શાવે છે કે ઓછા પ્રકાશમાં કામ કરવું એ આ સ્થિતિનું મુખ્ય કારણ છે.

મ્યોપિયા વૈશ્વિક સ્તરે ઝડપથી વધ્યો

યુએસ અને યુરોપમાં, લગભગ 50% યુવાનો મ્યોપિયાથી પીડાય છે, જ્યારે કેટલાક પૂર્વ એશિયાઈ દેશોમાં, આ આંકડો 90% સુધી પહોંચી ગયો છે. નિષ્ણાતો કહે છે કે ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાવાની ટેવો પણ આ સ્થિતિનું મુખ્ય કારણ છે. મ્યોપિયાના કિસ્સામાં ચિંતાજનક પરિબળ એ છે કે જો સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો તે ગંભીર બની શકે છે. આ સ્થિતિ બાળકોમાં પણ વધુ પ્રચલિત છે.

મ્યોપિયાના સામાન્ય લક્ષણો શું ?

દૂરની વસ્તુઓ સ્પષ્ટ રીતે જોવામાં અસમર્થતા, માથાનો દુખાવો, આંખમાં દુખાવો, ક્યારેક ઝાંખી દ્રષ્ટિ વગેરે આ રોગના લક્ષ્ણો છે.

કેવી રીતે કરશો ઉપચાર ?

દર 20 મિનિટે 20 સેકન્ડ માટે દૂર જુઓ, સારા પ્રકાશમાં અભ્યાસ કરો, દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક કસરત કરો, સ્ક્રીનનો ઉપયોગ કરતી વખતે સુરક્ષિત અંતર જાળવો.

આ પણ વાંચોઃ Lifestyle: હૃદયરોગીઓ માટે કઈ કસરતો ફાયદાકારક?, જાણો

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.