Local body election 2026 Harsh Sanghvis acid attack today Dadas bulldozer has reached Dhandhuka every fourteenth was straightened | Gujarat News
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં એક ચૂંટણીલક્ષી સભાને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભૂતકાળના ભયના માહોલને યાદ કરતા જણાવ્યું હતું કે, જ્યારે ભાજપ શાસનમાં નહોતી ત્યારે જનતા સતત ડરના ઓથાર હેઠળ જીવતી હતી. ખાસ કરીને ખાડિયાની સાંકડી ગલીઓમાં ભાજપના કાર્યકરોએ જ જનતાનું રક્ષણ કર્યું છે.
રથયાત્રામાં ભગવાનને પણ બુલેટપ્રૂફ રથમાં લઈ જવા પડતા
સંઘવીએ લતીફના યુગનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “એક સમયે લતીફના નામે આખું કર્ણાવતી ભયમાં જીવતું હતું. સ્થિતિ એવી હતી કે રથયાત્રામાં ભગવાનને પણ બુલેટપ્રૂફ રથમાં લઈ જવા પડતા હતા અને વડીલો સાંજ પડતા જ દીકરીઓને ઘરમાં સુરક્ષિત કરી લેતા હતા.” તેમણે ઉમેર્યું કે ભાજપના રાજમાં હવે દીકરીઓ સુરક્ષિત છે અને લોકો આખી રાત નવરાત્રી રમી શકે છે. નાના વેપારીઓના હિતોનું પણ આ સરકારે પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

