Tej Pratap Yadavએ Tejashwi Yadav પર કર્યા પ્રહાર, દહીં-ચૂડામાં ગેરહાજર રહેતા 'જયચંદ'ના નામે કર્યો કટાક્ષ

Last Updated: January 14, 2026By

તેજ પ્રતાપે કહ્યું હતુ કે, જયચંદે તેમને ઘેરી લીધા હશે, તેથી જ તેઓ આવ્યા ન હતા. હું રાત્રે 9 વાગ્યા સુધી તેમની રાહ જોઈશ.

 તેજસ્વી યાદવ ગેરહાજર

તેજ પ્રતાપ યાદવના પિતા લાલુ પ્રસાદ યાદવ, નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહા, રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના વડા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસ, જનતા દળ યુનાઇટેડના વરિષ્ઠ નેતા અને બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરી, તેજ પ્રતાપ યાદવના મામા, ભૂતપૂર્વ સાંસદ સાધુ યાદવ અને મામા પ્રભુનાથ યાદવ સહિત અન્ય લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જોકે, તેજસ્વી યાદવ ગેરહાજર રહ્યા હતા.

મીડિયા સાથે થયા તેજ પ્રતાપ રૂબરુ

મીડિયાનો સામનો કરતા તેજ પ્રતાપ યાદવે કહ્યું હતુ કે, તે થોડો મોડો સૂવે છે. હું રાત્રે 9 વાગ્યા સુધી તેજસ્વી યાદવની રાહ જોઈશ. તેમણે મીડિયાને કહ્યું કે મીડિયા તેજસ્વી યાદવને પૂછી શકે છે કે શું તે આવવા માંગે છે. અમે તેમને આમંત્રણ આપ્યું હતું. તેજ પ્રતાપે કહ્યું કે તેમની માતા આવી નથી. પરંતુ તેમના પિતા આવ્યા હતા. તેમને તેમના માતા-પિતા અને બધાના આશીર્વાદ છે.

આગામી ચૂંટણી તેજ પ્રતાપે શું કહ્યુ ?

આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી લડવા અંગે, તેજ પ્રતાપ યાદવે કહ્યું કે તેઓ મમતા બેનર્જી સામે ચૂંટણી લડશે, તેમની સાથે નહીં. મમતા બેનર્જી હાલમાં જયચંદ ગેંગમાં છે. મેં ચૂંટણી લડી અને હું હારી ગયો. જો કોઈ વ્યક્તિ સતત જીતી રહ્યો છે, તો તે હારી પણ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને દરેક જગ્યાએથી ઓફરો મળે છે, પરંતુ તેમને સ્વીકારવી કે નહીં તે તેમના પર નિર્ભર છે. તેમણે જ્યાં પણ જવું પડશે, તે પહેલા મીડિયાને જાણ કરશે.

આ પણ વાંચોઃ Lifestyle: રોજ સવારે ખાલી પેટ ગરમ પાણી પીવામાં આવે તો શરીર પર શું જોવા મળે છે અસર?, જાણો નિષ્ણાત પાસેથી