Tej Pratap Yadav Helps Rajpal Yadav Family; 11 Lakh Rupees Financial Aid

Last Updated: February 10, 2026By

1 કલાક પેહલા

  • કૉપી લિંક

રાજપાલ યાદવે તાજેતરમાં દિલ્હીની તિહાડ જેલમાં આત્મસમર્પણ કર્યું છે. ચેક બાઉન્સ કેસમાં તેની રાહત અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાલમાં રાજપાલ યાદવ આર્થિક સંકડામણ ભોગવી રહ્યો છે. તેવામાં જન શક્તિ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ યુનિયન રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવે એક્ટરના પરિવારને ₹11 લાખની આર્થિક મદદ કરી છે.

તેજ પ્રતાપે પતિ લાલુ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળથી અલગ થઈને જન શક્તિ જનતા દળ પાર્ટી બનાવી છે.

તેજ પ્રતાપે પતિ લાલુ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળથી અલગ થઈને જન શક્તિ જનતા દળ પાર્ટી બનાવી છે.

તેજ પ્રતાપ યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યું છે-

QuoteImage

મને હમણાં મારા મોટા ભાઈ રાવ ઇન્દરજીત યાદવજીની પોસ્ટ દ્વારા માનનીય રાજપાલ યાદવજીના પરિવારની પીડા વિશે જાણકારી મળી. આ અત્યંત મુશ્કેલ સમયમાં હું અને મારો આખો JJD (જન શક્તિ જનતા દળ) પરિવાર, તેમના શોકાતુર પરિવાર સાથે પૂરી સંવેદના અને મજબૂતીથી ઊભા છીએ. માનવીય કરુણા અને સહયોગની ભાવનાથી, હું JJD પરિવાર વતી ₹11,00,000 (અગિયાર લાખ રૂપિયા)ની આર્થિક સહાય તેમના પરિવારને પ્રદાન કરી રહ્યો છું.

QuoteImage

રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં 6 મહિનાની કેદ થઈ છે

ખરેખર, રાજપાલ યાદવ વિરુદ્ધ એક જૂના ચેક બાઉન્સ કેસમાં અદાલતે સજા સંભળાવી હતી. આ મામલે રાહત મેળવવા અને ભંડોળની વ્યવસ્થા કરવા માટે રાજપાલ તરફથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી. આ પછી નિર્ધારિત પ્રક્રિયા હેઠળ રાજપાલ યાદવને તિહાડ જેલમાં આત્મસમર્પણ કરવું પડ્યું. આ ઘટનાક્રમ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેમના ચાહકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો.

રાજપાલ યાદવ તેની કોમિક ટાઇમિંગ અને રમૂજી એક્સપ્રેશનને કારણે જાણીતો છે.

રાજપાલ યાદવ તેની કોમિક ટાઇમિંગ અને રમૂજી એક્સપ્રેશનને કારણે જાણીતો છે.

આ દરમિયાન જન શક્તિ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજ પ્રતાપ યાદવે માનવીય ધોરણે રાજપાલ યાદવના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો. તેજ પ્રતાપ યાદવે ₹11 લાખની આર્થિક સહાય આપીને આ સંદેશ આપ્યો કે, મુશ્કેલ સમયમાં કોઈ કલાકાર અને તેના પરિવારને એકલા છોડવા ન જોઈએ. પાર્ટી સૂત્રો અનુસાર, આ મદદ સંપૂર્ણપણે માનવીય સંવેદના હેઠળ કરવામાં આવી છે અને તેનો કોઈ રાજકીય લાભ સાથે કોઈ સંબંધ નથી.

તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, ‘રાજપાલ યાદવે પોતાના અભિનય અને કોમેડી દ્વારા દેશભરના લોકોના ચહેરા પર સ્મિત વેર્યું છે. જ્યારે આવા કલાકારો અંગત અને કાનૂની મુશ્કેલીઓમાંથી પસાર થાય છે, ત્યારે સમાજ અને જવાબદાર લોકોએ આગળ આવીને સહયોગ કરવો જોઈએ.’ તેણે આશા વ્યક્ત કરી કે, રાજપાલ યાદવ અને તેમનો પરિવાર આ મુશ્કેલ સમયમાંથી જલ્દી બહાર આવશે.

રાજપાલ યાદવે દિલ્હીની તિહાડ જેલમાં આત્મસમર્પણ કર્યું છે.

રાજપાલ યાદવે દિલ્હીની તિહાડ જેલમાં આત્મસમર્પણ કર્યું છે.

રાજપાલ યાદવના પરિવારે પણ આ મદદ માટે તેજ પ્રતાપ યાદવનો આભાર વ્યક્ત કર્યો છે. પરિવાર તરફથી કહેવામાં આવ્યું કે, આ સહયોગ તેમના માટે માત્ર આર્થિક જ નહીં, પરંતુ માનસિક ટેકો પણ છે. આ ઉપરાંત, ફિલ્મ જગત સાથે જોડાયેલા ઘણા લોકોએ પણ આ પહેલની પ્રશંસા કરી છે.

,

જેલમાં ગયેલા રાજપાલ યાદવ માટે સોનુ સૂદ દેવદૂત બન્યો

સોનુ સૂદે રાજપાલ યાદવને એક ફિલ્મ આપી છે.

સોનુ સૂદે રાજપાલ યાદવને એક ફિલ્મ આપી છે.

કોમિક ટાઇમિંગ અને એક્સપ્રેશનથી દર્શકોને હસાવતા રાજપાલ યાદવ હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. તાજેતરમાં તેણે 9 કરોડ રૂપિયાના દેવા અને ચેક બાઉન્સ કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં આત્મસમર્પણ કર્યું છે. તેવામાં બોલિવૂડ એક્ટર સોનુ સૂદે તેની મદદ કરવાનો નિર્ણય લીધો છે. તેણે રાજપાલ યાદવને એક ફિલ્મની ઓફર આપી છે અને સાથે જ નાની સાઇનિંગ અમાઉન્ટ પણ આપવાની વાત કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…