Thalapathy Vijay Last Movie Jana Nayakan Update; High Court Stays Release | થલાપતિ વિજયની ‘જન નાયકન’ની રિલીઝ પર અસ્થાયી રોક: હાઇકોર્ટે ફિલ્મમેકર્સનો ઉધડો લીધો, સેન્સર બોર્ડની ફરિયાદ બાદ રિલીઝ અટકી પડી

Last Updated: January 10, 2026By

45 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સાઉથ સ્ટાર થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ના રિલીઝને લઈને મુશ્કેલીઓ સતત વધી રહી છે. મદ્રાસ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ જજના તે આદેશ પર અસ્થાયી રોક લગાવી દીધી છે, જેમાં ફિલ્મને U/A સર્ટિફિકેટ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

CBFCએ હાઇકોર્ટના નિર્ણયને પડકાર્યો

ખરેખરમાં, મદ્રાસ હાઈકોર્ટમાં 9 જાન્યુઆરીએ ફિલ્મ સાથે જોડાયેલા કેસની બીજી સુનાવણી થઈ. પહેલી સુનાવણીમાં કોર્ટની સિંગલ જજ બેન્ચે સવારે 10:30 વાગ્યે જ CBFCને U/A સર્ટિફિકેટ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પરંતુ હાઈકોર્ટના આ નિર્ણયને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ પડકારતા ફિલ્મની ફરીથી તપાસ કરવા માટે રિવાઇઝિંગ કમિટી બનાવવાની માંગ કરી.

સેન્સર બોર્ડે આ નિર્ણય વિરુદ્ધ રિટ અરજી દાખલ કરી, જેના પછી મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની પીઠે રિલીઝ પર રોક લગાવતા આગામી સુનાવણી 21 જાન્યુઆરી નક્કી કરી છે.

'જન નાયકન' બાદ થલાપતિ વિજયે ફિલ્મમાંથી સંન્યાસ જાહેર કર્યો છે. તેની છેલ્લી ફિલ્મમાં બોબી દેઓલ વિલનની ભૂમિકામાં જોવા મળશે.

‘જન નાયકન’ બાદ થલાપતિ વિજયે ફિલ્મમાંથી સંન્યાસ જાહેર કર્યો છે. તેની છેલ્લી ફિલ્મમાં બોબી દેઓલ વિલનની ભૂમિકામાં જોવા મળશે.

‘સર્ટિફિકેટ મળે તે પહેલાં જ ફિલ્મની રિલીઝ ડેટ કેવી રીતે નક્કી કરી?’

બેન્ચે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી કે CBFCને ફિલ્મના રિલીઝનો વિરોધ કરવા માટે યોગ્ય સમય આપવો જોઈતો હતો. ચીફ જસ્ટિસ મનિન્દ્ર મોહન શ્રીવાસ્તવ અને જસ્ટિસ જી અરુલ મુરુગનની ડિવિઝન બેન્ચે ફિલ્મમેકર્સને સર્ટિફિકેટ મળ્યા પહેલા જ રિલીઝની તારીખ નક્કી કરવા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો.

બેન્ચે મેકર્સને કહ્યું- ‘તમારી પાસે સર્ટિફિકેટ નથી, તો તમે ફિલ્મને રિલીઝ કેવી રીતે કરી શકો છો? તમે રિલીઝની તારીખ નક્કી કરી શકતા નથી અને ન તો સિસ્ટમ પર દબાણ લાવી શકો છો.’

‘બોર્ડના માત્ર એક જ સભ્યએ ફરિયાદ નોંધાવી છે’

બચાવમાં, કેવીએન પ્રોડક્શન્સનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી કે, સર્ટિફિકેશન પેનલ દ્વારા ફિલ્મની સમીક્ષા કરવામાં આવી હોવા છતાં, બોર્ડના માત્ર એક સભ્યએ જ ફરિયાદ નોંધાવી હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું કે, ‘જન નાયકન’ને 9 જાન્યુઆરીએ રિલીઝ કરવાની યોજના હતી.

કેવીએન પ્રોડક્શને ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હોવાની જાણ કરી હતી.

કેવીએન પ્રોડક્શને ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હોવાની જાણ કરી હતી.

એક દિવસ પહેલાં જ રિલીઝ ટળી

નોંધનીય છે કે, આ પહેલાં થલાપતિ વિજયની ફિલ્મ ‘જન નાયકન’ 9 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી પરંતુ રિલીઝ ટળી ગઈ. ફિલ્મના પ્રોડક્શન હાઉસ KVN પ્રોડક્શને નિવેદન જારી કરીને કહ્યું, ‘અમને આ માહિતી ભારે હૃદયે શેર કરવી પડી રહી છે. 9 જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ ‘જન નાયકન’ને કેટલાક એવા કારણોસર મુલતવી રાખવામાં આવી છે, જે અમારા નિયંત્રણમાં નહોતા.’