Udhayanidhi Stalin Remarks Trisha Krishnan; Chinmayi Sripada & Khushbu Slam Statement
- Gujarati News
- Entertainment
- Udhayanidhi Stalin Remarks Trisha Krishnan; Chinmayi Sripada & Khushbu Slam Statement | Vijay Thalapathy
2 દિવસ પેહલા
- કૉપી લિંક
તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજય (થલાપતિ વિજય)ની ખાસ મિત્ર અને એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણન પર અયોગ્ય ટિપ્પણી કર્યા બાદ ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિન વિવાદોમાં ઘેરાઈ ગયા છે. સિંગર ચિન્મયી શ્રીપદા અને એક્ટ્રેસ ખુશ્બુ સુંદરે આ ટિપ્પણીની સખત શબ્દોમાં નિંદા કરતા તેને મહિલાઓનું અપમાન ગણાવ્યું છે.
વધતા વિવાદ વચ્ચે ચેન્નઈ પોલીસે મંગળવારે ઉદયનિધિ સ્ટાલિનને કસ્ટડીમાં લીધા. જોકે, પોતાની સ્પષ્ટતામાં ઉદયનિધિએ કહ્યું કે, તેમણે મુખ્યમંત્રી સિવાય કોઈનું નામ લીધું ન હતું.

થલાપતિ વિજયના પત્નીએ છૂટાછેડાની અરજીમાં એક્ટ્રેસ સાથે લગ્નેત્તર સંબંધના આરોપ લગાવ્યા બાદથી ત્રિશાની સાથે અફેર ચાલતું હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યું છે.
‘રાજકારણમાં મહિલાઓને ખેંચવાનું બંધ કરો’ સિંગર ચિન્મયી શ્રીપદાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ શેર કરીને નેતાઓની વિચારસરણી પર પ્રશ્ન ઉઠાવ્યા. તેણે લખ્યું કે, ‘જો રાજકારણમાં સામેલ પુરુષો પોતાની યોજનાઓમાં એવી મહિલાઓને ખેંચવાનું બંધ કરી દે, જેમનો આની સાથે કોઈ લેવાદેવા નથી, તો તે ઘણું સારું રહેશે.’
ચિન્મયીએ આગળ કહ્યું કે, શરૂઆતમાં તે ઉદયનિધિની વાતનો અર્થ સમજી શકી નહોતી. પછી જ્યારે કોઈએ તેનો અર્થ સમજાવ્યો, ત્યારે જાણવા મળ્યું કે આ મહિલાઓને નિશાન બનાવતી અપમાનજનક ભાષા હતી. તેણે કહ્યું કે, ‘યુવા નેતાઓ પાસેથી સારા વર્તનની અપેક્ષા હતી, પરંતુ તેમણે નિરાશ કર્યા.’

ચિન્મયી શ્રીપદાની પોસ્ટ.
ખુશ્બુ સુંદરે કહ્યું- ‘આ શરમજનક રાજનીતિ છે’ એક્ટ્રેસ અને ભાજપ નેતા ખુશ્બુ સુંદરે પણ ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી. તેમણે આ ટિપ્પણીને અત્યંત શરમજનક ગણાવી. ખુશ્બુએ કહ્યું કે, ‘રાજકીય મતભેદોના નામે મહિલાઓની ગરિમા સાથે ચેડા કરી શકાય નહીં. સાર્વજનિક મંચો પર આ પ્રકારની ભાષાને સામાન્ય બનાવવી ખોટું છે.’ તેમણે માંગ કરી કે ઉદયનિધિ સ્ટાલિને એક્ટ્રેસ ત્રિશાની સાર્વજનિક રીતે બિનશરતી માફી માંગવી જોઈએ.

ખુશ્બુ સુંદરની પોસ્ટ.
ભીડના નારા પર ઉદયનિધિએ ટિપ્પણી કરી હતી આ આખો વિવાદ તંજાવુરમાં આયોજિત ડીએમકેના એક પ્રદર્શન દરમિયાન શરૂ થયો હતો. કાવેરી જળ વિવાદ પર મુખ્યમંત્રી સી જોસેફ વિજય પર નિશાન સાધતા જ્યારે ઉદયનિધિ ભાષણ આપી રહ્યા હતા, ત્યારે ભીડમાંથી કેટલાક લોકોએ ‘ત્રિશા-ત્રિશા’ના નારા લગાવવાનું શરૂ કર્યું. આરોપ છે કે આના પર ઉદયનિધિએ કહ્યું, ‘પાણી ક્યાંય પહોંચે કે ન પહોંચે, ત્યાં જરૂર પહોંચવું જોઈએ.’
પાછળથી સ્પષ્ટતા કરી કે તેમનો ઇશારો કાવેરીના પાણી તરફ હતો. વિવાદ વધતા જ્યારે પોલીસે તેમને ચેન્નઈમાં અટકાયતમાં લીધા, ત્યારે તેમણે તેને સરકારની ‘બદલાની કાર્યવાહી’ ગણાવી.

ચેન્નઈ પોલીસે મંગળવારે ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત કરી છે.
સ્પષ્ટતામાં કહ્યું- મેં કોઈનું નામ લીધું નથી પોલીસ કસ્ટડીમાં લેવાયા બાદ મીડિયા સાથે વાત કરતા ઉદયનિધિ સ્ટાલિને પોતાનો બચાવ કર્યો. તેમણે કહ્યું, ‘તમે પોતે નક્કી કરો, તમે મારું ભાષણ સાંભળ્યું છે. શું મેં કંઈ ખોટું કહ્યું? શું મેં મુખ્યમંત્રી સિવાય કોઈ અન્ય વ્યક્તિનું નામ લીધું હતું?’ જોકે, વિવેચકો અને વિપક્ષી નેતાઓએ કહ્યું કે તેમની ટિપ્પણી સ્પષ્ટપણે એક્ટ્રેસ ત્રિશા અને મુખ્યમંત્રી વિજય સાથે જોડાયેલા સોશિયલ મીડિયા અટકળો તરફ ઈશારો કરી રહી હતી.

latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


