Weight Loss Fitness Influencer Lost 47 Kg with 5 Simple Habits | Gujarat News

Last Updated: August 5, 2026By

વજન ઘટાડવાની શરૂઆત અવારનવાર મોટા વાયદાઓથી થાય છે, પરંતુ સફળતા તેને જ મળે છે જે ધીરજ અને નિયમિતતા જાળવી રાખે છે. આનું ઉત્તમ ઉદાહરણ ફિટનેસ ઇન્ફ્લુઅન્સર હેલે છે, જેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વજન ઘટાડવાની શાનદાર સફર શેર કરીને લાખો લોકોને પ્રેરણા આપી છે. હેલેએ માત્ર 3 વર્ષમાં 116 કિલોમાંથી 69 કિલો સુધી પહોંચીને અંદાજે 47 કિલો વજન ઘટાડ્યું છે. તેણે પોતાની દિનચર્યામાં કરેલા 5 મોટા ફેરફારો વિશે વિગતવાર માહિતી આપી છે:

1. દૈનિક વોકિંગ 

હેલેના જણાવ્યા મુજબ, ચાલવું એ વજન ઘટાડવા માટેની સૌથી સસ્તી અને અસરકારક કસરત છે. દરરોજ તાજી હવામાં ૩૦ થી ૪૫ મિનિટ વોક કરવાથી માત્ર ફેટ ઝડપથી બર્ન નથી થતું, પરંતુ શરીર એક્ટિવ રહે છે અને મન પણ શાંત થાય છે.

2 પૂરતા પ્રમાણમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ

વજન ઘટાડવામાં પાણી પીવાની આદતે મહત્વનો ભાગ ભજવ્યો હતો. વધારે પાણી પીવાથી વારંવાર થતી ક્રેવિંગ્સ (અસમયે ભૂખ લાગવી) ઘટી ગઈ અને દિવસભર એનર્જી જળવાઈ રહી. આ સાથે જ શરીરમાં મિનરલ્સનું સંતુલન જાળવવા દરરોજ એક ગ્લાસ ઇલેક્ટ્રોલાઇટ્સ લેવાની પણ તેણે સલાહ આપી છે.

3. ખોરાકમાં 100 ગ્રામ પ્રોટીન

હેલેએ દરરોજ પોતાના ડાયેટમાં ઓછામાં ઓછું ૧૦૦ ગ્રામ પ્રોટીન સામેલ કર્યું હતું. પ્રોટીનયુક્ત ખોરાક લેવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી વારંવાર ભૂખ લાગતી નથી અને મસલ્સ બનાવવામાં મદદ મળે છે.

4. મોર્નિંગ રૂટિન અને ફોનથી અંતર

સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં વર્કઆઉટ કે મેડિટેશન કરવું જોઈએ. ઉપરાંત સવારે પ્રથમ ૩૦ મિનિટ સુધી મોબાઇલ ફોનથી દૂર રહેવું જોઈએ. હેલેના મતે, આ આદતથી માનસિક તણાવ ઓછો થાય છે, ઊંઘ સુધરે છે અને દિવસભર ઉત્સાહ જળવાઈ રહે છે.

5. ફાઇબરથી ભરપૂર શાકભાજી

પોતાના દૈનિક ખોરાકમાં ફાઇબરથી ભરપૂર ઓછામાં ઓછી ૩ જાતની શાકભાજી સામેલ કરવી જરૂરી છે. ફાઇબર પાચનતંત્રને મજબૂત બનાવે છે અને ખોરાકને પચાવવામાં મદદ કરે છે, જેથી પેટ ભરેલું અનુભવાય છે અને બિનજરૂરી કેલરી ખાવાથી બચી શકાય છે.

આ પણ વાંચો: Gurugram: 50 હજારની સ્કૂટી પર 10 લાખ રૂપિયાનો દંડ, 96 ઇ-ચલાન પેન્ડિંગ નીકળતાં ટ્રાફિક પોલીસ પણ ચોંકી

Disclaimer: (આ આર્ટિકલમાં સૂચવવામાં આવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે છે. કોઈપણ પ્રકારનો ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા તમારા ડાયેટમાં કોઈ ફેરફાર કરતા પહેલા કે કોઈ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.)

Leave A Comment