આમિર ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે રજિસ્ટર્ડ મેરેજ કરશે:61 વર્ષીય 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' ઘરે જ ત્રીજા લગ્ન કરશે, માત્ર નજીકના મિત્રો-સંબંધીઓ હાજર રહેશે

Last Updated: June 20, 2026By

બોલિવૂડનો ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન, 61 વર્ષની ઉંમરે ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. આ લગ્ન 5 જુલાઈએ થશે, જેમાં આમિર અને ગૌરીના કેટલાક સંબંધીઓ ઉપરાંત માત્ર નજીકના મિત્રો જ સામેલ થશે. લગ્ન માટે આમિર ખાન ફિલ્મોમાંથી બ્રેક લેવાનો છે. લગ્ન વિશે વાત કરતા આમિર ખાને ‘ડેકન ક્રોનિકલ’ને જણાવ્યું, ‘આ ઘરમાં થનારા એક અત્યંત સાદા રજિસ્ટર્ડ મેરેજ હશે, જેમાં ફક્ત બંને પરિવારોના સભ્યો અને કેટલાક અત્યંત નજીકના મિત્રો સામેલ થશે. અમે બંને આ સમારોહને ખૂબ જ સાદો અને ખાનગી રાખવા માંગીએ છીએ.’ 5 જુલાઈએ થશે લગ્ન આમિર ખાને ગયા વર્ષે 60મા જન્મદિવસના અવસરે મીડિયા સામે ગૌરી સ્પ્રેટનો પરિચય કરાવ્યો હતો. ત્યારથી જ બંને અનેક પ્રસંગોએ સાથે જોવા મળે છે. ગયા મહિને તેમના લગ્નના સમાચાર ચર્ચામાં રહ્યા હતા. આમિરે ‘વેરાયટી ઇન્ડિયા’ને આપેલા ઇન્ટરવ્યુમાં લગ્નના સમાચારો પર મહોર લગાવી હતી. તેણે કહ્યું હતું, ‘હું અત્યારે અમેરિકામાં છું. લગ્નના સમાચાર સાચા છે. અમારા લગ્ન 5 જુલાઈએ થશે.’ તેણે આગળ કહ્યું હતું કે, ગૌરી અને હું એકબીજા પ્રત્યે ગંભીર છીએ. અમે એક મજબૂત સંબંધમાં છીએ. મનોમન તો હું પોતાને પહેલેથી જ તેમનો પતિ માનું છું. હવે આ સંબંધને લગ્નનું નામ આપવું એ અમારા સાથેની એક સ્વાભાવિક આગામી શરૂઆત છે. પહેલા કહ્યું હતું- લગ્ન વગર જ ખુશ છું લગ્નની પુષ્ટિ આપવાના થોડા સમય પહેલા જ આમિરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરવા મારી પ્રાથમિકતા નથી. હું લગ્ન વગર જ તેમની સાથે ખુશ છું.’ ‘હું ભાગ્યશાળી છું કે મને ગૌરી મળી’ મે 2026માં NBTને આપેલા ઇન્ટરવ્યુમાં આમિરે ગૌરી સાથેના પોતાના સંબંધો વિશે કહ્યું હતું, ‘હું ખૂબ નસીબદાર છું કે મને ગૌરી મળી અને અમારો સંબંધ શરૂ થયો. તે ઉત્તમ છે અને તેમની સાથે મને ખૂબ શાંતિ મળે છે. જોકે, રીના દત્તા અને કિરણ રાવ સાથે પણ મારો સંબંધ ખૂબ ઊંડો હતો, પરંતુ વસ્તુઓ આગળ વધી શકી નહીં. હું મારી જાતને નસીબદાર માનું છું કે ગૌરી મારા જીવનમાં આવી. મને લાગે છે કે, હવે હું સંપૂર્ણ થયો છું.’ જુઓ આમિર ખાન અને ગૌરી સ્પ્રેટની કેટલીક ઝલક- આમિરના અગાઉના લગ્નો સાથે જોડાયેલી આ વાર્તાઓ પણ વાંચો- આમિર રોજ બારીમાંથી પહેલી પત્ની રીનાને નિહાળતો હતો આમિરે વર્ષ 1986માં રીના દત્ત સાથે લગ્ન કર્યા હતા. આ એક લવ મેરેજ હતા. લગ્ન પહેલા રીના અને આમિર પાડોશી હતા. આમિર દરરોજ સામેની બારી પર ઉભેલી રીનાને નિહાળતો હતો. તેને લાગતું હતું કે રીના પણ તેને પસંદ કરે છે, તેથી તે દરરોજ બારી પર આવતી હતી, પરંતુ એવું નહોતું. તે મોસમનો આનંદ લેવા માટે બારી પર આવતી હતી. રીનાને ઇમ્પ્રેસ કરવા માટે લોહીથી પ્રેમ પત્ર લખ્યો એક દિવસ આમિરે હિંમત ભેગી કરીને રીનાને પોતાના દિલની વાત કહી દીધી, પરંતુ રીનાએ ના પાડીને તેનું દિલ તોડી નાખ્યું. તેની નાથી આમિરનું દિલ તો તૂટ્યું, પણ તેણે હાર ન માની. આ પછી પણ તે રીનાને પ્રભાવિત કરવાના દરેક સંભવ પ્રયાસ કરતો રહ્યો. તેમ છતાં દર વખતે જવાબમાં ના જ મળતી. એક દિવસ આમિરે પોતાના લોહીથી રીનાને પ્રેમ પત્ર લખ્યો. રીનાએ પત્ર જોઈને તેને કહ્યું કે તે જીવનમાં ક્યારેય આવી હરકત ન કરે. આમિરને પણ પછીથી પોતાની ભૂલનો અહેસાસ થયો. આ વલણને કારણે તેણે રીનાથી અંતર બનાવી લીધું અને માની લીધું કે તેનો પહેલો પ્રેમ અધૂરો જ રહેશે. આ વાતને થોડા જ દિવસો વીત્યા હતા કે અચાનક થયેલી એક મુલાકાત દરમિયાન રીનાએ તેને કહી દીધું કે તે પણ તેને પસંદ કરે છે. પછી આ રીતે આમિરનો પહેલો પ્રેમ પૂર્ણ થયો. ચુપચાપ લગ્ન કર્યા, ખર્ચ માત્ર 10 રૂપિયા હતો જ્યારે આમિર અને રીનાએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું, ત્યારે આમિર 20 વર્ષનો હતો અને રીના 18 વર્ષની હતી. આ કારણે તરત લગ્ન કરવા શક્ય નહોતા અને આમિર પુખ્ત થાય ત્યાં સુધી બંનેને રાહ જોવી પડી. ઉંમર ઉપરાંત, અલગ-અલગ ધર્મ પણ લગ્નમાં મોટો અવરોધ હતો. બંનેએ 18 એપ્રિલ 1986ના રોજ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. 21 વર્ષના આમિર અને 19 વર્ષની રીનાએ ત્રણ સાક્ષીઓની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે આ લગ્નમાં માત્ર 10 રૂપિયાનો ખર્ચ થયો હતો. લગ્નના 16 વર્ષ પછી રીનાથી છૂટાછેડા લીધા લગ્નના થોડા સમય પછી, બંને એક દીકરો જુનૈદ અને દીકરી આયરા ખાનના માતા-પિતા બન્યાં, પરંતુ આ સુંદર સંબંધનો લગ્નના 16 વર્ષ પછી અંત આવ્યો. જોકે, છૂટાછેડા પછી પણ રીના અને આમિર સારો સંબંધ જાળવી રાખે છે. આમિરે ઘણા ઇન્ટરવ્યુમાં આ વાત પર ભાર મૂક્યો છે કે, આજે પણ રીના તેમના પરિવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને હંમેશા રહેશે. ‘લગાન’ના સેટ પર કિરણ રાવને મળ્યો હતો ફિલ્મ ‘લગાન’ના શૂટિંગ દરમિયાન રીના અને આમિરનો સંબંધ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી તેમના છૂટાછેડા થયા હતા. આ જ ફિલ્મના સેટ પર આમિરની પહેલી મુલાકાત કિરણ રાવ સાથે થઈ હતી. તે ફિલ્મમાં AD (આસિસ્ટન્ટ ડિરેક્ટર) તરીકે કામ કરી રહી હતી. આમિર માટે આ છૂટાછેડા લેવા સહેલા નહોતા. તે આ દિવસોમાં ખૂબ પરેશાન રહેતો હતો. આ ખરાબ સમયમાં કિરણ એક મિત્ર તરીકે તેની ખૂબ મદદ કરી હતી. આ દિવસો વિશે આમિરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘આઘાતના તે સમયગાળામાં એક દિવસ કિરણનો ફોન આવ્યો અને મેં તેમની સાથે અડધો કલાક ફોન પર વાત કરી. જ્યારે મેં ફોન મૂક્યો ત્યારે કહ્યું, ‘હે ભગવાન! જ્યારે હું તેમની સાથે વાત કરું છું ત્યારે મને ખૂબ ખુશી થાય છે.’ જોકે ત્યાં સુધી બંને એકબીજાને મિત્ર માનતા હતા. બંને વચ્ચે નિકટતા આમિર અને રીનાના છૂટાછેડાના થોડા સમય પછી શરૂ થઈ. આમિરને ફરી એકવાર કોઈ પ્રેમ કરનાર મળી ગયું. પછી તેણે 28 ડિસેમ્બર 2005 ના રોજ લગ્ન કરી લીધા. લગ્ન પછી તેઓ દીકરા આઝાદ રાવ ખાનના માતા-પિતા બન્યાં. પછી લગ્નના 15 વર્ષ પછી કિરણ અને તેના છૂટાછેડા થઈ ગયા.