ઇટલીમાં 2 શીખોની ગોળી મારીને હત્યા:કારમાં આવેલા હુમલાખોરોએ કર્યુ ફાયરિંગ, ગુરુદ્વારાની બહાર 10 ગોળીઓ મારી
ઇટલીના બર્ગામોમાં ગુરુદ્વારા સાહિબની બહાર 2 શીખ સેવાદારોની હત્યા કરવામાં આવી. આરોપીઓએ તેમના પર લગભગ 10 રાઉન્ડ ગોળીઓ મારી. બંનેને ઘાયલ હાલતમાં તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. ઇટલી પોલીસ હજુ ગોળી મારવાના કારણોની તપાસ કરી રહી છે. મૃતકોની ઓળખ રાજિંદર સિંહ અને ગુરમીત સિંહ તરીકે થઈ છે. બંને ઘણા સમયથી ગુરુદ્વારા સાહિબમાં સેવાદાર તરીકે જોડાયેલા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોર ભારતીય મૂળનો જ છે. પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરીને આરોપીઓની શોધ શરૂ કરી દીધી છે. ગુરુદ્વારા સાહિબના એન્ટ્રી ગેટ પર હાજર હતા બંને ઇટલીના કોવોમાં શુક્રવારે રાત્રે રાજિંદર સિંહ (48) અને ગુરમીત સિંહ (48) સેવા આપી રહ્યા હતા. બંને ગુરુદ્વારા સાહિબના પ્રવેશ દ્વાર પર હાજર હતા. આ દરમિયાન કેટલાક આરોપીઓ એક કારમાં સવાર થઈને ગુરુદ્વારા સાહિબ પહોંચ્યા. ગેટ પાસે પહોંચતા જ તેમણે સેવાદારો પર આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો. ગોળીઓના અવાજ સાંભળીને ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ કારમાં જ ફરાર થઈ ગયા. નગર કીર્તન રદ થયું ઘટના બાદ કોવોમાં યોજાનાર નગર કીર્તનને પણ રદ કરી દેવામાં આવ્યું છે. ગુરુદ્વારા પાસે વૈશાખી નિમિત્તે નગર કીર્તન થવાનું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મામલો અંગત અદાવત સાથે જોડાયેલો છે. રાજિંદર સિંહ ત્રણ અને ગુરમીત બે બાળકોના પિતા હતા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

