નેપાળ બોર્ડરથી 18 કિમી ઉપર વધુ એક તળાવ બન્યું:ચીને પૂરની ચેતવણી આપી; 389નાં મોત, 84 ભારતીયોનું રેસ્ક્યુ, 290 ગુમ

Last Updated: August 27, 2026By

નેપાળમાં બુધવારના ભયાનક પૂર પછી ચીને ભોટેકોશી નદીમાં ફરી મોટા પૂરની ચેતવણી આપી છે. ચીનથી મળેલી માહિતી મુજબ, રસવાગઢી બોર્ડરથી લગભગ 18 કિમી ઉપર લ્હેંદે નદીમાં પાણી રોકાવાથી તળાવ બની ગયું છે. પ્રશાસને નીચાણવાળા વિસ્તારોના લોકોને નદી કિનારેથી દૂર સુરક્ષિત જગ્યાએ જવાની સલાહ આપી છે. લગભગ 0.11 ચોરસ કિમીમાં બનેલું આ તળાવ તૂટશે તો ભોટેકોશીમાં ફરીથી તેજ પૂર આવી શકે છે. નેપાળ પોલીસના ગુરુવાર સાંજે 5 વાગ્યા સુધીના અહેવાલ મુજબ, પૂરમાં 359 લોકોના મોત થયા છે. 8 જિલ્લામાંથી મૃતદેહો મળ્યા છે, જેમાં સૌથી વધુ ચિતવનમાં 132 છે. પૂર પછી લગભગ 1,500 લોકો ગુમ છે. આમાં 288 ભારતીયો પણ સામેલ છે. જ્યારે, 21 ભારતીયોને બચાવવામાં આવ્યા છે, જેમાંથી 11ની ઓળખ થઈ ચૂકી છે. પહાડ પરથી ઉતરતી નદીએ તબાહી મચાવી-3 તસવીરો જીવ બચાવવા દોડી રહ્યા- 2 તસવીરો પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…

Leave A Comment