જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા જામનગરમાં લગ્ન કરશે?:વર્ષના અંતમાં સાત ફેરા લેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું, પિતા બોની કપૂરે ખુલાસો કર્યો
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર અને શિખર પહાડિયાના લગ્ન થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. બંને આ વર્ષના અંતમાં લગ્ન કરવાના હોવાની અટકળો પર હવે જાહ્નવીના પિતા અને ફિલ્મમેકર બોની કપૂરે સ્પષ્ટતા કરી છે. દીકરીના લગ્નની ચર્ચા પર પિતાનો ખુલાસો ખરેખરમાં, છેલ્લા કેટલાક દિવસોથી ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, આ કપલ સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનાની વચ્ચે ગુજરાતના જામનગરમાં એક પરંપરાગત સમારોહમાં લગ્ન કરી શકે છે. જ્યારે આ અટકળો વિશે બોની કપૂરને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ઈ-ટાઈમ્સ સાથેની વાતચીતમાં સીધા જ કહ્યું, “ના, આ સાચું નથી.” શિખર પહાડિયા પરિવારની નજીકનો વ્યક્તિ
શિખર અવારનવાર કપૂર પરિવારના ખાનગી કાર્યક્રમો અને રજાઓમાં જોવા મળે છે. તે માત્ર જાહ્નવી સાથે વેકેશન પર જ નથી જતો, પરંતુ ઘણીવાર મંદિરોના દર્શન માટે પણ પરિવાર સાથે જોવા મળે છે. જાહ્નવીએ પણ એપ્રિલ 2024માં ‘કોફી વિથ કરણ’ના એક એપિસોડમાં ઇશારામાં જણાવ્યું હતું કે, તે કોઈની સાથે રિલેશનશિપમાં છે. બંનેનું નામ સૌથી પહેલા ત્યારે જોડાયું હતું, જ્યારે જાહ્નવીએ બોલિવૂડમાં ડેબ્યૂ પણ નહોતું કર્યું. વર્ષ 2016માં થોડા સમય સુધી એકબીજાને ડેટ કર્યાં પછી બંને અલગ થઈ ગયાં હતાં. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી બંને અવારનવાર જાહેર સ્થળોએ સાથે જોવા મળે છે. પ્રેમમાં સુરક્ષિત અનુભવે છે જાહ્નવી
તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન જાહ્નવીએ પ્રેમ અને તેના પાર્ટનર વિશે ખૂલીને વાત કરી હતી. તેણે શિખરનું નામ લીધા વિના કહ્યું, “પ્રેમ સુરક્ષિત અનુભવ કરાવે છે. તેની હાજરીને કારણે હવે હું પોતાને એટલી લાચાર અનુભવતી નથી.” તેણે આગળ કહ્યું કે, તે આ સંબંધમાં એક બાળકીની જેમ રહી શકે છે અને તેની સાથે તેને સૌથી વધુ મજા આવે છે. એક્ટ્રેસના મતે, આ પ્રેમે તેને તેના સૌથી સાચા સ્વરૂપમાં રહેવામાં મદદ કરી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

