તિલક વર્માની ટીમ ઈન્ડિયામાં વાપસી ટળી:ટી-20 વર્લ્ડ કપની વોર્મ-અપ મેચોમાં રમવું શક્ય, શ્રેયસ કિવીઓ સામેની બાકીની 2 મેચ રમશે
ટી-20 વર્લ્ડ કપ પહેલાં ટોપ ઓર્ડર બેટ્સમેન તિલક વર્માની ટીમ ઈન્ડિયામાં વાપસી ટળી ગઈ છે. તે હવે ભારતના વોર્મ-અપ મેચોથી વાપસી કરી શકે છે. તેની જગ્યાએ શરૂઆતી 3 મેચો માટે ભારતીય ટીમમાં સામેલ કરાયેલા શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી બે મેચોમાં પણ સ્ક્વોડનો ભાગ રહેશે. BCCIએ સોમવારે તિલકની ફિટનેસ અપડેટ આપી. બોર્ડ મુજબ તિલક વર્માએ ફિઝિકલ ટ્રેનિંગ ફરી શરૂ કરી દીધી છે. તે બેંગલુરુ સ્થિત BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબિલિટેશનમાં સતત રિકવરી કરી રહ્યો છે. જોકે, તેને સંપૂર્ણ મેચ ફિટનેસ હાંસલ કરવામાં હજુ વધુ સમય લાગશે. તિલક 3 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ સાથે જોડાશે
BCCIએ જણાવ્યું કે તિલક વર્મા 3 ફેબ્રુઆરીએ સંપૂર્ણપણે ફિટ થયા બાદ મુંબઈમાં ભારતીય ટીમ સાથે જોડાશે. આ પછી તેઓ ICC મેન્સ T-20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારતના વોર્મ-અપ મેચ માટે ઉપલબ્ધ રહેશે. શ્રેયસ અય્યર છેલ્લી 2 મેચ રમશે
આ દરમિયાન પુરુષ પસંદગી સમિતિએ ભલામણ કરી છે કે તિલક વર્માની જગ્યાએ ટીમમાં સામેલ કરાયેલા શ્રેયસ અય્યર બાકીની મેચોમાં પણ ભારતીય ટીમનો ભાગ રહેશે. આ માહિતી BCCI દ્વારા આપવામાં આવી છે. તિલક વર્માની જગ્યાએ અય્યર ટીમમાં સામેલ થયા હતા
10 દિવસ પહેલા શ્રેયસ અય્યરને તિલક વર્માની જગ્યાએ ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્યારે તેને શરૂઆતની 3 મેચો માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. ટેસ્ટિક્યુલર ટોર્શનને કારણે તિલકની સર્જરી થઈ હતી. 7 જાન્યુઆરીના રોજ રાજકોટમાં નાસ્તો કર્યા બાદ તેના શરીરના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો થયો હતો. તેને તરત જ ગોકુલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

