ધર્મ પરિવર્તનના લીધે એજાઝ-પવિત્રાનો સંબંધ તૂટ્યો?:એક્ટરે ચર્ચાઓ પર સ્પષ્ટતા કરી, કહ્યું- 'મારી અંગત જિંદગીને જાહેર ચર્ચાનો ભાગ બનાવવા માંગતો નથી'
ટીવીના પોપ્યુલર એક્ટર એજાઝ ખાન અને એક્ટ્રેસ પવિત્રા પુનિયાના બ્રેકઅપને લઈને તાજેતરમાં એક નવો વળાંક આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, બંનેના સંબંધો તૂટવાનું મુખ્ય કારણ ધર્મ પરિવર્તન હતું. આ અટકળો પર હવે ખુદ એજાઝ ખાને સ્પષ્ટ શબ્દોમાં પોતાની વાત રજૂ કરી છે. ‘મેં ક્યારેય પવિત્રાનો ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ કર્યો નથી’ ABPના રિપોર્ટ અનુસાર, એજાઝ ખાને પોતાના લગ્ન અને સંબંધો વિશે ખૂલીને વાત કરી છે. એજાઝે જણાવ્યું કે, તેમના સંબંધો અને બ્રેકઅપને લઈને ઘણીવાર ગેરસમજો ફેલાય છે. ખાસ કરીને જ્યારે ધર્મ પરિવર્તન જેવા સંવેદનશીલ વિષયની વાત આવે છે, ત્યારે તેના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવે છે. તેણે કહ્યું કે, ‘કથિત રીતે કોઈ પોડકાસ્ટમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે, મેં પવિત્રાનો ધર્મ બદલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સાચું નહોતું.’ તેનું કહેવું છે કે, આવું ક્યારેય બન્યું નથી અને બાદમાં આ વિશે જે નિવેદન આવ્યું તે પણ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. ‘સંબંધોનો અંત ભલે આવે, સન્માન હંમેશા જાળવી રાખવું જોઈએ’ એજાઝે આગળ જણાવ્યું કે, તે પોતાની અંગત જિંદગીને સાર્વજનિક ચર્ચાનો ભાગ બનાવવા માંગતો નથી. તેણે કહ્યું કે, સંબંધો ભલે ગમે તે કારણોસર સમાપ્ત થાય, સન્માન હંમેશા જાળવી રાખવું જોઈએ. એજાઝે એ પણ શેર કર્યું કે, તેણે બાળપણમાં મુશ્કેલ અનુભવોનો સામનો કર્યો છે, જેના કારણે તે ભાવનાત્મક રીતે સંવેદનશીલ રહ્યો છે, પરંતુ હવે પોતાને વધુ સ્થિર અને સમજદાર અનુભવે છે. પવિત્રા પુનિયાએ પણ દાવાઓને ફગાવી દીધા બીજી તરફ, પવિત્રા પુનિયાએ પણ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, ધર્મ ક્યારેય તેમના બ્રેકઅપનું કારણ નહોતો. તેણે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેણે એજાઝને શરૂઆતમાં જ કહી દીધું હતું કે, તે પોતાનો ધર્મ બદલશે નહીં. આમ છતાં મીડિયામાં એવા સમાચાર ફેલાઈ ગયા કે આ જ મુદ્દો કારણ હતો, જેને બાદમાં પવિત્રાએ પણ નકારી કાઢ્યો. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે પવિત્રાને ત્યાં સુધી કહી દીધું કે, તેણે ધર્મ પરિવર્તન કરી લેવું જોઈએ, પરંતુ પવિત્રાએ સખત અંદાજમાં આ કોમેન્ટનો જવાબ આપ્યો અને કહ્યું કે, તેને ધર્મ વિશે શીખવવાની જરૂર નથી. વિશ્લેષકોના મતે, આ આખો વિવાદ સોશિયલ મીડિયાના પ્રભાવ અને સંવેદનશીલ મુદ્દાઓ પર ઝડપથી ફેલાતી અફવાઓનું પરિણામ છે. વાસ્તવમાં, એજાઝ-પવિત્રાના સંબંધોનો અંત વ્યક્તિગત કારણોસર થયો હતો, ધર્મ સંબંધિત કોઈ મજબૂરીને કારણે નહીં.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

