પાકિસ્તાની PMએ કહ્યું- બાંગ્લાદેશની સાથે ઊભા રહેવું સાચો નિર્ણય:ભારતનો બહિષ્કાર સમજી-વિચારીને કર્યો; બાંગ્લાદેશના સ્પોર્ટ્સ એડવાઈઝર બોલ્યા- થેન્ક યુ, પાકિસ્તાન
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સામે T20 વર્લ્ડ કપ મેચના બહિષ્કારને યોગ્ય અને સુવિચારિત નિર્ણય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આ મુદ્દે બાંગ્લાદેશ સાથે મજબૂતીથી ઊભું છે. 1 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સરકારે X પોસ્ટમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ICCએ PCBને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા જણાવ્યું હતું. ત્યારથી PCBનું કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ ત્યાંના વડાપ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાની સરકાર નિર્ણય બદલવાની નથી. સરકારની બેઠક બાદ શરીફે કહ્યું- ‘અમે T20 વર્લ્ડ કપ પર બિલકુલ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે અમે ભારત સામે મેચ નહીં રમીએ, કારણ કે રમતના મેદાન પર રાજકારણ ન હોવું જોઈએ.’ શરીફે કહ્યું- ‘અમે ખૂબ જ વિચારપૂર્વક આ નિર્ણય લીધો છે અને આપણે સંપૂર્ણપણે બાંગ્લાદેશ સાથે ઊભા રહેવું જોઈએ.’ પાકિસ્તાની સરકારે આ નિર્ણય બાંગ્લાદેશના સમર્થનમાં લીધો. કારણ કે, ICCએ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી હટાવી દીધું હતું. બાંગ્લાદેશ સુરક્ષાનો હવાલો આપીને પોતાની મેચ ભારતને બદલે શ્રીલંકામાં કરાવવાની માગ કરી રહ્યું હતું. આ આખો વિવાદ મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી હટાવ્યા પછી શરૂ થયો. BCCIએ બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંદુઓની હત્યાઓના વિરોધમાં રહેમાનને ભારતીય લીગમાંથી હટાવી દીધો હતો. નઝરુલે પાકિસ્તાન સરકારનો આભાર માન્યો
બાંગ્લાદેશના સ્પોર્ટ્સ એડવાઈઝર આસિફ નઝરુલે ફેસબુક પેજ પર શાહબાઝ શરીફના નિવેદનને ટાંકીને ‘થેન્ક યુ, પાકિસ્તાન’ લખ્યું. નઝરુલની પોસ્ટ જુઓ… ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ચેતવણી આપી છે કે જો ટીમ આ હાઈ-પ્રોફાઇલ મેચ માટે નહીં ઉતરે, તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. ICCએ કહ્યું છે કે તેનાથી પાકિસ્તાનમાં ક્રિકેટના ભવિષ્ય અને ગ્લોબલ ક્રિકેટ ઇકોસિસ્ટમ પર લાંબા ગાળાની અસર પડી શકે છે, જેનો પાકિસ્તાન પોતે પણ સભ્ય અને લાભાર્થી છે. પાકિસ્તાનની ટીમ કોલંબો પહોંચી
પાકિસ્તાનની ટીમ પોતાની અન્ય શરૂઆતની મેચ માટે કોલંબો પહોંચી ચૂકી છે. શનિવારે તેની મેચ નેધરલેન્ડ્સ સામે છે. PCB પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તેઓ સરકારના નિર્ણયનું સમર્થન કરે છે અને નોકઆઉટ તબક્કામાં પણ ભારત સામે મેચની સ્થિતિ બનવા પર સરકારની સલાહ પર જ ચાલશે. PCB અધ્યક્ષ મોહસિન નકવીએ કહ્યું હતું કે બાંગ્લાદેશને હટાવવાનો નિર્ણય યોગ્ય નહોતો. તેમની સુરક્ષા ચિંતાઓને દૂર કરવી જોઈતી હતી. જ્યારે, ICCની સુરક્ષા સમીક્ષામાં ભારતના સ્થળો પર બાંગ્લાદેશ માટે ખતરાનું સ્તર ઓછામાં ઓછું મધ્યમ જણાવ્યું. ————————– પાકિસ્તાનના ભારત સામેની મેચ બૉટકૉટ કરવાના સમાચાર વાંચો… T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મેચ નહીં રમાય: પાકિસ્તાન સરકારની જાહેરાત; ICCએ કહ્યું- PCB પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરે T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ મેચ નહીં થાય. પાકિસ્તાન સરકારે રવિવાર સાંજે આ મેચના બોયકોટનું એલાન કર્યું. બંને ટીમ ગ્રુપ સ્ટેજમાં કોલંબોમાં એકબીજા સામે ટકરાવાની હતી. જોકે, અત્યાર સુધી એ નક્કી નથી કે જો નોકઆઉટમાં ભારત સામે આવ્યું તો પાકિસ્તાન મેચ રમશે કે નહીં? સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

