પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યું 'પાવર કપલ'!:સ્ટારડમ છોડીને વિરાટ-અનુષ્કા હરિ ચરણોમાં નતમસ્તક, ભક્તોની વચ્ચે બેસીને સત્સંગ સાંભળ્યો; જુઓ VIDEO

Last Updated: February 17, 2026By

ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યા હતા. મંગળવારે સવારે 5 વાગ્યે વિરાટ-અનુષ્કા પ્રેમાનંદના આશ્રમ પહોંચ્યા હતા. ત્યાં સત્સંગ સાંભળ્યો હતો. આ દરમિયાન, બંને સામાન્ય ભક્તો સાથે હાથ જોડીને બેઠા હતા. લગભગ એક કલાક સુધી સત્સંગ સાંભળ્યા પછી, બંનેએ પ્રેમાનંદ મહારાજ પાસેથી આશીર્વાદ લીધા. જોકે, આ દરમિયાન પુત્રી વામિકા દેખાઈ ન હતી. વિરાટ-અનુષ્કા સોમવારે બપોરે 3 વાગ્યે વૃંદાવન પહોંચ્યા હતા. હોટેલ રેડિસનમાં રોકાયા હતા. જોકે, પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા પછી, બંને મથુરાથી દિલ્હી પાછા ફર્યા હતા. બંનેની 2026ની પહેલી મુલાકાત છે, જયારે પાછલા વર્ષ (2025)માં ત્રણ વખત આશ્રમની મુલાકાત લીધી હતી. ભક્તો વચ્ચે બેસીને સત્સંગ સાંભળ્યો
પ્રેમાનંદ મહારાજના આશ્રમ, કેલી કુંજ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે- સમય પહેલાં જ વિરાટ-અનુષ્કા સંત્સગ સ્થળ પર પહોંચી ગયા હતા. તેણે બાકીના ભક્તો સાથે મહારાજનો સત્સંગ સાંભળ્યો. ત્યારબાદ, તેઓએ પ્રેમાનંદજી પાસેથી આશીર્વાદ લીધા અને પછી પાછા ફર્યા. પ્રેમાનંદ મહારાજને અનુષ્કા-વિરાટ ક્યારે-ક્યારે મળ્યા, અને શું વાતો થઈ 16 ડિસેમ્બર 2025: ગુરુ દીક્ષાની કંઠી પહેરી 16 ડિસેમ્બરે વિરાટ અને અનુષ્કાના ગળામાં તુલસીની કંઠી જોવા મળી. બંનેએ સંત પ્રેમાનંદ પાસેથી દીક્ષા લીધી. વૈષ્ણવ પરંપરામાં દીક્ષા લીધા પછી જ ગુરુ કંઠી આપે છે. જોકે કેલીકુંજ આશ્રમે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી. અનુષ્કાએ કહ્યું- મહારાજજી, અમે તમારા છીએ અને તમે અમારા. આના પર પ્રેમાનંદજીએ હસતા હસતા કહ્યું- આપણે બધા શ્રીજીના છીએ. ખૂબ આનંદપૂર્વક રહો. મસ્ત રહો. ભગવાનના આશ્રિત રહો. પ્રેમાનંદજીએ કહ્યું- તમારા કામને ભગવાનની સેવા સમજો. ગંભીર ભાવથી રહો. નમ્ર રહો. જીવનને પ્રગતિશીલ બનાવવું છે. જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી આપણી યાત્રા અટકવી ન જોઈએ. આપણે લૌકિક-પારલૌકિક બધા ક્ષેત્રોને પાર કરીએ છીએ. એકવાર ઠાકુરજીને પણ જુઓ, જેના આપણે ખરેખર છીએ. 14 મે, 2025: વિરાટ-અનુષ્કા 2 કલાક 20 મિનિટ આશ્રમમાં રહ્યા વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી અનુષ્કા સાથે પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યા હતા. બંનેએ દંડવત પ્રણામ કરીને આશીર્વાદ લીધા. પ્રેમાનંદ મહારાજે વિરાટ અને અનુષ્કાને પૂછ્યું- પ્રસન્ન છો? આના પર વિરાટે હસીને કહ્યું- હા. મહારાજે બંનેને આશીર્વાદ આપ્યા- જાઓ, ખૂબ આનંદિત રહો, નામ જપ કરતા રહો. આના પર અનુષ્કાએ પૂછ્યું- બાબા શું નામ જપ કરવાથી બધું શાંત થઈ જશે? મહારાજે કહ્યું- હા, બધું શાંત થઈ જશે. પ્રેમાનંદ મહારાજે કહ્યું- વૈભવ મળવો એ કૃપા નથી. આ પુણ્ય છે. ભગવાનની કૃપા અંદરનું ચિંતન બદલવું છે. આનાથી તમારા અનંત જન્મોના સંસ્કાર ભસ્મ થાય છે અને આગલો જન્મ ખૂબ ઉત્તમ હોય છે. ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે સંત સમાગમ આપે છે. બીજી કૃપા જ્યારે થાય છે ત્યારે વિપરીતતા આપે છે અને પછી અંદરથી એક રસ્તો આપે છે. આ શાંતિનો રસ્તો નથી. ભગવાન તે રસ્તો આપે છે અને જીવને પોતાની પાસે બોલાવી લે છે. પ્રતિકૂળતા વિના સંસારનો રાગ નષ્ટ થતો નથી. અનુષ્કા-વિરાટ લગભગ 2 કલાક 20 મિનિટ આશ્રમમાં રહ્યા હતા. 10 જાન્યુઆરી, 2025: પ્રેમાનંદ મહારાજે કહ્યું હતું – અભ્યાસ ચાલુ રાખો, જીત નિશ્ચિત છે વિરાટ કોહલી, પત્ની અનુષ્કા શર્મા અને બંને બાળકો સાથે પ્રેમાનંદ મહારાજના આશ્રમે પહોંચ્યા. અનુષ્કાએ પ્રેમાનંદ મહારાજ પાસેથી ભક્તિ માટે આશીર્વાદ માંગ્યા. વાતચીત દરમિયાન વિરાટે પૂછ્યું, ‘નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું.’ મહારાજે જવાબમાં કહ્યું, ‘અભ્યાસ ચાલુ રાખો, જીત નિશ્ચિત છે. તમારા અભ્યાસને નિરંતર અને નિયંત્રણમાં રાખીને આગળ વધો. જેમ મારા માટે નામ જપ એક સાધના છે, તેમ વિરાટ માટે ક્રિકેટ જ સાધના છે. બસ વચ્ચે-વચ્ચે ભગવાનનું નામ લેતા રહો.’ તેમણે કહ્યું, ‘વિજય માટે બે વસ્તુઓની આવશ્યકતા હોય છે. એક અભ્યાસ અને બીજું પ્રારબ્ધ. જો પ્રારબ્ધ નથી, ફક્ત અભ્યાસ છે, ત્યારે જીત મુશ્કેલ થઈ જાય છે. આ માટે પ્રભુના જ્ઞાનની સાથે-સાથે તેમનું નામ જપવું આવશ્યક છે.’ અનુષ્કાએ પૂછ્યું- છેલ્લી વાર જ્યારે અમે આવ્યા હતા ત્યારે મનમાં કેટલાક સવાલો હતા, પરંતુ હું પૂછી શકી નહીં. હું તમારી સાથે મનોમન વાત કરી રહી હતી. મારા મનમાં જે સવાલો હતા, તેને કોઈને કોઈ પૂછી લેતું હતું. પ્રેમાનંદ મહારાજ બોલ્યા- શ્રીજી તે વ્યવસ્થા કરી દે છે. સૌથી મોટી વાત, અમે સાધના આપીને લોકોને પ્રસન્નતા આપી રહ્યા છીએ. જો તે વિજયી થયા તો આપણા આખા ભારતમાં ફટાકડા ફૂટે છે. આખા ભારતમાં આનંદ મનાવવામાં આવે છે. શું આ એમની સાધના નથી? આ પણ તો એમની સાધના છે. એમની સાથે આખું ભારત જોડાયેલું છે. જો તેઓ વિજયી થયા તો બાળક-બાળક આનંદિત થઈ જાય છે, તો આ પણ એક સાધના છે. વિરાટે પૂછ્યું- નિષ્ફળતામાં આપણે કેવી રીતે રહેવું જોઈએ?
મહારાજ બોલ્યા- તે સમયે આપણે ભગવાનનું ચિંતન કરતા ધૈર્ય રાખવું જોઈએ. આ ખૂબ જ કઠિન છે. નિષ્ફળતામાં કોઈ ધૈર્યપૂર્વક હસીને નીકળી જાય, આ ખૂબ મોટી વાત હોય છે. નિષ્ફળતા હંમેશા રહેશે નહીં. દિવસ છે તો રાત આવશે, રાત છે તો દિવસ આવશે. આપણે ધૈર્યપૂર્વક ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. પણ આ ખૂબ કઠિન છે, કારણ કે જે સન્માન સફળતામાં મળે છે તે નિષ્ફળતામાં મળતું નથી.