બોલિવૂડ પર 'રાની' નું 30 વર્ષથી 'રાજ':કદ-કાઠી, રંગ અને અવાજની મજાક સહન કરી 'મર્દાની' છાપ બનાવી, 8 ફિલ્મફેર-નેશનલ એવોર્ડ જીતી બધાંના મોં પર તાળાં લગાવ્યા

Last Updated: January 23, 2026By

બોલિવૂડમાં અવારનવાર એવું માનવામાં આવે છે કે ફિલ્મી પરિવારમાંથી આવતા કલાકારો માટે રસ્તા સરળ હોય છે, પરંતુ રાની મુખર્જીની વાર્તા આ ધારણાને સંપૂર્ણપણે તોડી નાખે છે. પિતાના સખત વિરોધ, ઇન્ડસ્ટ્રીમાં મજાક, આર્થિક મુશ્કેલીઓ અને તેમના આત્મવિશ્વાસ પર સતત હુમલા કરવામાં આવ્યા. ક્યારેક એવું કહીને ધુત્કારવામાં આવી કે તે હિરોઈન મટીરીયલ નથી. ક્યારેક તેની કદ-કાઠી, રંગ અને અવાજને લઈને મજાક ઉડાવવામાં આવી. તેમ છતાં રાની મુખર્જીએ માત્ર પોતાની જગ્યા જ ન બનાવી, પરંતુ ત્રણ દાયકા સુધી સિનેમા પર રાજ કર્યું. આજે તે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતી ચૂકેલા એક સશક્ત, ગંભીર અને સન્માનિત એક્ટ્રેસ છે. આજની સક્સેસ સ્ટોરીમાં જાણીશું રાની મુખર્જીના કરિયર અને લાઈફ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.. પિતાની ના હોવા છતાં બોલિવૂડમાં એન્ટ્રી રાની મુખર્જીનો જન્મ 21 માર્ચ 1978ના રોજ મુંબઈમાં થયો હતો. તે જાણીતા ફિલ્મમેકર રામ મુખર્જીની દીકરી અને એક્ટ્રેસ તનુજાની ભત્રીજી છે. એટલે કે તેનું ફિલ્મી બેકગ્રાઉન્ડ મજબૂત હતું, પરંતુ તેમ છતાં તેમના પિતા રામ મુખર્જી નહોતા ઈચ્છતા કે રાની ફિલ્મોમાં જાય. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીત દરમિયાન રાનીએ આ વિશે વાત કરી. રાણી મુખર્જી કહે છે – મારા પપ્પા પોતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી હતા, પરંતુ તે સમયનું વાતાવરણ એટલું સરળ નહોતું. માતા-પિતાની પહેલી ફરજ બાળકોને બચાવવાની હોય છે. આ વાત મને ત્યારે સમજાઈ જ્યારે હું માતા બની. આપણો પહેલો વિચાર બાળકોની સુરક્ષાનો હોય છે. જ્યારે બાળકો 12મું પાસ કરીને કારકિર્દી પસંદ કરવાના હોય છે, ત્યારે માતા-પિતા વધુ રક્ષણાત્મક બની જાય છે, પરંતુ આપણે બધાએ તો દુનિયામાં આગળ વધવું જ પડે છે, પોતાની રાહ જાતે બનાવવી પડે છે. દરેકની યાત્રા અલગ હોય છે. ‘સ્ત્રીની સહનશક્તિને એક સ્ત્રી જ સમજી શકે’ તે સમયે પિતાને લાગ્યું હશે કે ઇન્ડસ્ટ્રીના ઉતાર-ચઢાવ હું સહન નહીં કરી શકું. કદાચ તેમને ડર હતો કે તેમની દીકરી આ બધું સંભાળી ન શકે. એટલે તે વધુ ખુશ નહોતા કે હું ઇન્ડસ્ટ્રીમાં છું. હંમેશા લોકો છોકરીઓને ઓછી આંકી છે. વિચારે છે કે આપણે મુશ્કેલીઓ સહન નહીં કરી શકીએ, પરંતુ એક સ્ત્રીની સહનશક્તિ ખૂબ મજબૂત હોય છે. આ વાત ફક્ત સ્ત્રી જ સમજી શકે છે. ‘કારકિર્દીની શરૂઆતમાં ખૂબ મજાક ઉડી’ રાની મુખર્જીએ તેમના પિતા રામ મુખર્જીના નિર્દેશનમાં બનેલી બંગાળી ફિલ્મ ‘બિયેર ફૂલ’ (1996) થી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ પછી, તેણે હિન્દી ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. કારકિર્દીની શરૂઆતમાં કદ-કાઠી, રંગ અને અવાજને લઈને ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. તેમ છતાં, રાનીએ બોલિવૂડમાં પોતાની એક અલગ જગ્યા બનાવી. રાની કહે છે- હું મારા ચાહકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. કલાકાર જેવો હોય, તેને અપનાવવો એ દર્શકોનો નિર્ણય હોય છે. ઇન્ડસ્ટ્રીએ શરૂઆતમાં મારો અવાજ પસંદ ન આવતા ડબ કરી દીધો, પરંતુ ચાહકોએ દિલથી વખાણ કર્યા. તેની તાકાતથી જ ટીકાકારોની બોલતી બંધ થઈ ગઈ. ‘હાર પછી જ જીતનો સાચો સ્વાદ ખબર પડે’ ‘મારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ ઉપરવાળાએ જે જીવન આપ્યું છે, તેને આપણે સહેલાઈથી હારી ન શકીએ. એટલે હંમેશા કૃતજ્ઞ રહેવું જરૂરી છે. ભલે આગળ ગમે તે થાય, આ તો માત્ર ઘટનાઓ છે. સૌથી મોટી વાત એ છે કે આપણે આ દુનિયામાં જન્મ્યા છીએ અને કંઈક ને કંઈક કરવાનું છે. ભલે હું ફિલ્મોમાં કામ કરી રહી છું, પરંતુ કોઈ વર્દીમાં દેશની સેવા કરી રહ્યું છે, કોઈ ડોક્ટર હોસ્પિટલમાં દર્દીઓની મદદ કરી રહ્યું છે. દરેકનો પોતાનો રોલ છે. મારું કામ એવા પાત્રો લાવવાનું છે જે બધાને પ્રેરણા આપે. નિરાશાજનક કે હારવાના પળો પણ અનુભવવા જોઈએ. ત્યારે જ જીતનો સાચો આનંદ આવે છે.’ ‘કુછ કુછ હોતા હૈ’ થી બદલાઈ કિસ્મત 1998માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ રાની મુખર્જીના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. કાજોલ અને શાહરૂખ ખાન સાથે મર્યાદિત સ્ક્રીન ટાઈમ હોવા છતાં, રાનીએ ટીના મલ્હોત્રાના પાત્રથી દર્શકો પર ઊંડી છાપ છોડી. આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો અને બોલિવૂડે પહેલીવાર રાની મુખર્જીને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. ‘કુછ કુછ હોતા હૈ’ ઉપરાંત, રાનીને ‘હમ તુમ’, ‘બ્લેક’, ‘યુવા’, ‘સાથિયા’, ‘બ્લેક’, ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’ જેવી ફિલ્મો સહિત 8 ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યા છે. રાની મુખર્જીની ખાસિયત એ રહી છે કે તેમણે પોતાને માત્ર રોમેન્ટિક ફિલ્મો સુધી સીમિત રાખ્યા નથી. તેણે સતત અલગ-અલગ અને જોખમી પાત્રો પસંદ કર્યા. ‘સાથિયા’, ‘બ્લેક’, ‘બંટી ઔર બબલી’, ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘મર્દાની’ જેવી ફિલ્મોથી રાનીએ પોતાને સાબિત કર્યા છે. ‘બ્લેક’ બની કરિયરનો માઈલસ્ટોન ફિલ્મ ‘બ્લેક’ને રાની મુખર્જીના કરિયરનો માઈલસ્ટોન કહેવામાં આવે છે. આ ફિલ્મમાં તેના અભિનયને આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણવામાં આવ્યો હતો. અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ સામે રાનીનું પ્રદર્શન બરાબરીનું હતું. લગભગ 30 વર્ષના કરિયરમાં રાની મુખર્જીએ પોતાને વારંવાર સાબિત કર્યા છે. તેને ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’ માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે તેના સંઘર્ષ, ધૈર્ય અને પ્રતિભાની સત્તાવાર મહોર છે. નેશનલ એવોર્ડ પોતાના પિતાને સમર્પિત કર્યો નેશનલ એવોર્ડ મળવા પર રાની મુખર્જી ભાવુક થઈ ગઈ હતી. આ એવોર્ડ તેણે પોતાના પિતા રામ મુખર્જીને સમર્પિત કર્યો હતો. રાની કહે છે- આ એક એવી ખોટ છે જે ક્યારેય પૂરી નહીં થાય. પપ્પા મારા સૌથી મોટા સપોર્ટ સિસ્ટમ હતા. તેના ગયા પછી દરેક ખુશી અધૂરી લાગે છે. નેશનલ એવોર્ડ જ નહીં, મારી જિંદગીની દરેક મોટી પળ તેમની સાથે જોડાયેલી છે. જ્યારે પણ કંઈ સારું કે ખરાબ થાય છે, સૌથી પહેલા પપ્પા યાદ આવે છે. આ ખોટ હંમેશા રહેશે. રાની મુખર્જી કહે છે- મારે ક્યારેય એક્ટ્રેસ બનવું નહોતું. બાળપણથી એવું સપનું નહોતું કે મારે આ હાંસલ કરવું છે. બસ મારે મમ્મી-પપ્પાને એક ખૂબ જ શ્રેષ્ઠ જીવન આપવું હતું. હું બસ સંયોગથી એક્ટ્રેસ બની. પછી મેં મારી માનવીય અને સ્ત્રી સહજ વૃત્તિને અનુસરી. કોઈને કંઈ સાબિત કરવું નહોતું. બસ દર્શકો સુધી સારી વાર્તાઓ અને મજબૂત સ્ત્રી પાત્રો પહોંચાડવાના હતા. સ્ટારડમને ક્યારેય પોતાનો લક્ષ્ય બનાવ્યો નથી લોકોને લાગતું હતું કે મેં આવા પાત્રોની પસંદગી કરીને જોખમ લીધું છે, પરંતુ મને ક્યારેય એવું ન લાગ્યું કે હું કોઈ જોખમ લઈ રહી છું, કારણ કે મેં ક્યારેય સ્ટારડમને પોતાનો લક્ષ્ય બનાવ્યો જ નથી. મારા માટે જરૂરી હતું કે હું એવી વાર્તાઓનો ભાગ બનું જે મને અંદરથી સ્પર્શે છે. જો કોઈ પાત્ર સમાજને અસ્વસ્થ કરે છે, પ્રશ્નો ઊભા કરે છે અથવા કોઈ સ્ત્રીની તાકાત દર્શાવે છે, તો મને લાગે છે કે હું સાચી દિશામાં કામ કરી રહી છું. ‘નાની ઉંમરમાં જ મોટા સ્ટાર્સ સાથે તક મળી’ ‘જ્યારે મેં કારકિર્દી શરૂ કરી હતી, ત્યારે હું ખૂબ નાની હતી. જે સ્ટાર્સ સાથે કામ કરી રહી હતી, તેને પણ લાગ્યું હશે કે આ આટલી નાની છે અને છતાં કામ કરી રહી છે. તેથી કદાચ તેમનો પ્રેમ મારા પ્રત્યે ઉભરાયો. મારા માતા-પિતા હંમેશા સાથે રહેતા હતા, તો બધા તેને પણ ખૂબ ચાહતા હતા. આ એકદમ સ્વાભાવિક પસંદ હતી. મેં મારા બધા સંબંધો ઈમાનદારીથી નિભાવ્યા, ભલે શાહરૂખ સાથે હોય, આમિર સાથે, બોબી સાથે કે સલમાન સાથે. મિત્રતા ક્યારેય કામ માટે નહોતી, તેથી આજે પણ તે જ ઈમાનદારી બરકરાર છે. કામ હોય કે ન હોય, સંબંધ તેવો જ છે.’ ‘શાહરુખને દર્શકો સ્પેશિયલ માને છે’ ‘ભલે કોઈ કેટલું પણ મોટું હોય કે નાનું. બધાની સંભાળ રાખવી, દરેકને સમાન સન્માન આપવું, શાહરુખના વ્યક્તિત્વમાં છે. આ તેની સૌથી સારી વાત લાગે છે. કામના મામલે તેની મહેનત, શિસ્ત અને ઈમાનદારી કમાલની છે. સલમાન, આમિર બધાની જેમ તેણે કરિયર બનાવ્યું, જે મારા માટે ખૂબ પ્રેરણાદાયક રહ્યું. આ જ કારણ છે કે દર્શકો તેમને આટલા સ્પેશિયલ માને છે.’ ‘આમિર સાથે કામ કરવામાં ખૂબ રોમાંચ હતો’ ‘આમિર ખાન સાથે ફિલ્મ ‘ગુલામ’માં કામ કરવું અદ્ભુત હતું. ત્યારે હું ખૂબ નાની હતી, 17-18 વર્ષની. મેં તેમની ‘કયામત સે કયામત તક’ અને ‘રંગીલા’ જોઈ હતી. બાળપણથી જ હું તેની ચાહક હતી. એક અનુભવી કલાકાર સાથે કામ કરવાનો રોમાંચ હતો. સાથે જ એ જવાબદારી પણ હતી કે અમારી જોડી દર્શકોને ગમે.’ સલમાન હંમેશા નિર્દોષ લાગે છે ‘સલમાન ખાન સાથે ખૂબ સારો સંબંધ છે. સલમા આંટી, સલીમ અંકલ, ખાસ કરીને સલમાનના ઘરનું વાતાવરણ એવું છે કે બધાને ખાવાનું મળે છે. સલમાન બધાને ખૂબ પ્રેમથી જમાડે છે. જે ખાવાનું ખવડાવે છે, તેમાં એક ખાસ આધ્યાત્મિકતા હોય છે. પોતાના લોકો માટે ઊભા રહેવાની તેમની આદત પણ અદ્ભુત છે.’ ‘મને સલમાન હંમેશા નિર્દોષ લાગે છે. તેમના વર્તનમાં એક ટકા પણ છળ-કપટ નથી. જે અનુભવે છે, તેમાં 100 ટકા પ્રામાણિક. બહારથી અને અંદરથી, બંને એક સરખા. આટલા વર્ષોમાં આ પ્રામાણિકતા જાળવી રાખવી મુશ્કેલ છે, પરંતુ સલમાનમાં તે આજે પણ છે.ટ ‘પ્રામાણિકતાથી માથું ઊંચું રાખીને કામ કર્યું’ ‘પોતાના 30 વર્ષના કરિયરમાં રાની મુખર્જીએ અનેક પ્રકારના પડકારજનક પાત્રો ભજવ્યા છે. તે કહે છે- આજે જ્યારે પાછળ વળીને જોઉં છું ત્યારે પિતાની એક શીખ યાદ આવે છે. પપ્પાએ શરૂઆતમાં કહ્યું હતું કે- આ દુનિયા ઊગતા સૂરજને સલામ કરનારી છે. સફળતા મળે તો વધુ ઉત્સાહિત ન થાઓ, નિષ્ફળતા આવે તો નિરાશ ન થાઓ. બસ માથું ઊંચું રાખીને ઈમાનદારીથી પોતાનું કામ કરતા રહો. મેં આ જ કર્યું, મારા ક્રાફ્ટ, ફિલ્મો અને વાર્તાઓને સમર્પિત રહી. આજે ઉપરવાળા માટે આભારી છું કે હું પસંદ કરીને કામ કરી શકું છું.’