અનુરાધા પૌડવાલ મોદી સરકાર પર ભડક્યાં:સિંગરે કહ્યું, '93 હજાર શાળાઓ બંધ પડી છે, આમાં વિશ્વગુરુ ક્યાંથી બનીશું? આ નોનસેન્સ બંધ કરો'

Last Updated: July 13, 2026By

નેશનલ એવોર્ડ વિજેતા અને પદ્મશ્રીથી સન્માનિત સિંગર અનુરાધા પૌડવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે, લોકો વિશ્વગુરુ બનવાની વાતો કરે છે, પરંતુ ભારતમાં હાલના સમયમાં 93 હજાર શાળાઓ બંધ પડી છે. ‘આપણે વિશ્વગુરુ ક્યાંથી બનીશું?’ અનુરાધા પૌડવાલે તાજેતરમાં શુભાંકર મિશ્રાના પોડકાસ્ટમાં કહ્યું છે, ‘કેટલાક વર્ષો પહેલાં સુધી મારા મનમાં ખૂબ આવતું હતું કે, આપણે વિશ્વગુરુ બનીશું, પરંતુ અત્યારે હું જોઉં છું કે, વિશ્વગુરુને વિરોધાભાસી બનાવતી બાબતો જ વધુ થઈ રહી છે. ક્યાંથી આપણે વિશ્વગુરુ બનીશું. કાં તો આપણે વિશ્વગુરુ-વિશ્વગુરુ કરવાનું બંધ કરીએ, કાં તો આ બધી નોનસેન્સ બંધ કરીએ.’ ‘વિશ્વગુરુનો આધાર શું છે?’ અનુરાધાએ કહ્યું, ‘શું આપણે શિક્ષિત નહોતા બનવું? મને સમજાતું નથી કે, આપણે શિક્ષિત બનવા માંગીએ છીએ, પરંતુ આપણા દેશમાં 93 હજાર શાળાઓ બંધ પડી છે. તો વિશ્વગુરુનો આધાર શું છે? સપના પર તો તમે ચાલી શકતા નથી. તમારે કંઈક તો કરવું પડશે ને?’ સિંગરે આગળ કહ્યું, ‘રામ રાજ્યની વાત કરીએ છીએ, અહીં તો મંદિર પર જ લૂંટ થઈ ગઈ. હું એ કહેવા માંગુ છું કે, હું વિશ્વગુરુની વિરુદ્ધ નથી, પરંતુ આનાથી સંબંધિત જે વસ્તુઓ છે, તે કઈ છે, તેની યાદી મોકલો. જેથી આપણે તેના પર ચાલી શકીએ.’ સરકાર સંબંધિત નિવેદનો આપીને ચર્ચામાં રહ્યા છે આ સેલેબ્સ… અનુપમ ખેરે રામ મંદિરના દાનની ચોરીનો બચાવ કર્યો- અનુપમ ખેરે તાજેતરમાં ‘ઇન્ડિયા ટુડે’ને આપેલા ઇન્ટરવ્યુમાં રામ મંદિરની ચોરીનો બચાવ કર્યો. એક્ટરોએ દલીલ કરી કે, ‘લૂંટ ત્યારે મચી હતી, જ્યારે મુઘલોએ આપણા મંદિરોને તોડ્યા હતા. લૂંટ ત્યારે મચી હતી, જ્યારે મુઘલ રાજાઓએ બ્રાહ્મણોને મારીને તેમના જનોઈને એકઠા કરીને તોલ્યા હતા.’ આ નિવેદન સામે આવ્યા બાદ એક્ટરને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ઇથેનોલ પર આપેલા નિવેદન પર સૌરભ જોશી વિરુદ્ધ કાર્યવાહીની માંગ- લોકપ્રિય યુટ્યુબર સૌરભ જોશીએ તાજેતરમાં એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે, ઇથેનોલના ઉપયોગથી તેની મર્સિડીઝ કારની એવરેજ 15થી ઘટીને 5 થઈ ગઈ છે. ઇથેનોલ પર પ્રશ્ન ઉઠાવ્યા બાદ હવે ઘણા યુઝર્સ તેની 50 કરોડથી 100 કરોડ પહોંચી ગયેલી સંપત્તિ પર પ્રશ્ન કરી રહ્યા છે અને તેની વિરુદ્ધ તપાસની માંગ પણ કરી રહ્યા છે. કોણ છે અનુરાધા પૌડવાલ?