કુવૈત એરપોર્ટ પર ઈરાની હુમલામાં ભારતીયનું મોત:63 લોકો ઘાયલ, ઘણાની હાલત ગંભીર; અમેરિકી ઠેકાણાઓ પર પણ ડ્રોન હુમલો

Last Updated: June 3, 2026By

કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇરાની ડ્રોન હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે, જ્યારે 63 લોકો ઘાયલ થયા છે. તેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે. કુવૈતમાં ભારતીય દૂતાવાસે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. કુવૈતના આરોગ્ય મંત્રાલય અનુસાર, ઘણા લોકોને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ છે. ઘટના બાદ 25 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હુમલાથી એરપોર્ટના ટર્મિનલ-1ને ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ સુરક્ષાના કારણોસર થોડા સમય માટે એરપોર્ટ ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો.આ પહેલા અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ જણાવ્યું હતું કે ઈરાને કુવૈતમાં હાજર અમેરિકી સૈનિકો પર ફરીથી ડ્રોન હુમલા કર્યા હતા. જોકે, તમામ હુમલા નિષ્ફળ રહ્યા હતા. ટ્રમ્પે સ્વીકાર્યું- નેતન્યાહૂને ફોન પર ગાળો આપી હતી
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્વીકાર્યું છે કે તેમણે સોમવારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીત દરમિયાન તેમને ‘*** પાગલ’ કહ્યા હતા. જોકે, તેમણે એમ પણ કહ્યું કે તેઓ નેતન્યાહૂનું સન્માન કરે છે અને તેમની સાથે ખૂબ સારા સંબંધો છે. એક પોડકાસ્ટમાં ટ્રમ્પે કહ્યું- ઇઝરાયલના લેબનોન પરના હુમલાને લઈને હું ચિંતિત હતો. મને બીબી (નેતન્યાહુ) ખૂબ ગમે છે અને હું તેમની સાથે ખૂબ સારી રીતે કામ કરું છું. નેતન્યાહુ વિરુદ્ધ ટ્રમ્પની અપમાનજનક ટિપ્પણીના સમાચાર સૌથી પહેલા એક્સિયોસે સોમવારે પ્રકાશિત કર્યા હતા. બાદમાં ઇઝરાયલી અધિકારીઓએ આ અહેવાલનું ખંડન કર્યું હતું. એક્સિયોસના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે નેતન્યાહૂને સીધી ફટકાર લગાવતા કહ્યું હતું કે, “શું તમે પાગલ થઈ ગયા છો… તમે કરી શું રહ્યા છો?” ઇઝરાયલના લેબનાન પરના હુમલાઓથી અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ તૂટવાનો ખતરો હતો, ટ્રમ્પ તેનાથી પરેશાન હતા. ત્યારબાદ તેમણે આ મામલે સીધો હસ્તક્ષેપ કર્યો. ટ્રમ્પે નેતન્યાહૂને કહ્યું કે આ હરકતોને કારણે દુનિયામાં ઇઝરાયલ પ્રત્યે નારાજગી વધી રહી છે. ટ્રમ્પે કહ્યું, “હવે દરેક જણ તમને નફરત કરે છે. આ કારણે દરેક જણ ઇઝરાયલને નફરત કરે છે.” છેલ્લા 24 કલાકના 4 મોટા અપડેટ્સ… ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…

Leave A Comment