'ગિન્ની વેડ્સ સની 2'માં હાસ્ય, પ્રેમ અને ટ્વિસ્ટ:મેધા શંકર-અવિનાશ તિવારીએ સંબંધો અને લગ્ન પર ખૂલીને વાત કરી; કેમેસ્ટ્રીનો રાઝ ખોલ્યો
‘ખાખીઃ ધ બિહાર ચેપ્ટર’ ફેમ અવિનાશ તિવારી અને ’12th ફેઇલ’ એક્ટ્રેસ મેધા શંકરની ફિલ્મ ‘ગિન્ની વેડ્સ સની 2’ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ માત્ર લવ સ્ટોરી નથી, પરંતુ સંબંધો, પરિવાર અને આજના સમયની ગૂંચવણોને હળવાશથી દર્શાવે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં મેધા શંકરે કહ્યું કે, ‘સ્ક્રિપ્ટ સાંભળતા જ હું વાર્તા સાથે જોડાઈ ગઈ. ગિન્નીનું પાત્ર મને ખૂબ જ રિલેટેબલ લાગ્યું, જેનું જીવન, પ્રેમ અને પરિવાર વાસ્તવિક જેવા છે.’ અવિનાશ તિવારીએ કહ્યું કે, ‘શરૂઆતમાં હું મૂંઝવણમાં હતો, પરંતુ વાર્તાની તાજગી અને હ્યુમરે મને બાંધી રાખ્યો.’ બંનેનું કહેવું છે કે, ‘ફિલ્મમાં કોમેડી સાથે મજબૂત ઇમોશન પણ છે, જે દર્શકોને હસાવવાની સાથે સ્પર્શી જશે. સંબંધોની સચ્ચાઈ, લગ્નનું દબાણ અને પ્રેમની ગૂંચવણો ફિલ્મને ખાસ બનાવે છે.’ અવિનાશ તિવારી અને મેધા શંકરે પર્સનલ લાઇફ, સંબંધો અને એકબીજાની ખૂબીઓ-ખામીઓ પર વાત કરી. રજૂ છે કેટલાક ખાસ અંશો… પ્રશ્ન : ‘ગિન્ની વેડ્સ સની 2’ તમારા માટે શું છે? સ્ક્રીપ્ટમાં એવું શું હતું, જેના કારણે તમે તેને પસંદ કરી? મેધા શંકર: આ સ્ક્રીપ્ટ રાઈટર અને ડિરેક્ટર પ્રશાંત વર્માએ સંભળાવી હતી. હું બહુ ઓછી વાર આટલી જોરથી હસી છું, જેટલી તેને સાંભળતી વખતે હસી. ત્યારે જ લાગ્યું કે આ ફિલ્મ ખાસ છે. મને ગિન્નીનું પાત્ર મારા જેવું લાગ્યું. તેની લવ સ્ટોરી અને પરિવાર ખૂબ જ રિલેટેબલ છે. ફિલ્મનો પરિવાર થોડો પાગલપન ભરેલો પણ વાસ્તવિક લાગે છે. દરેક પાત્ર વાસ્તવિક છે અને પ્રેમ કહાણી હૃદયને સ્પર્શી જાય તેવી છે. ફિલ્મમાં મજા અને કોમેડી છે. સ્ક્રીપ્ટ સાંભળીને જ હું તૈયાર થઈ ગઈ હતી. પ્રશ્ન: અવિનાશ, તમને ફિલ્મમાં શું ખાસ લાગ્યું? અવિનાશ તિવારી: જ્યારે પ્રશાંતે વાર્તા સંભળાવી, ત્યારે હું દર 3-4 મિનિટે હસી રહ્યો હતો. સાચું કહું તો, શરૂઆતમાં મન હતું કે ફિલ્મને ના પાડી દઉં, કારણ કે હું કંઈક અલગ કરવા માંગતો હતો. પરંતુ જેમ જેમ વાર્તા આગળ વધી, લાગ્યું કે હું આ જ શોધી રહ્યો હતો. આ લગ્નની ફિલ્મ છે, પરંતુ તેને અલગ અને તાજી રીતે બનાવવામાં આવી છે. પ્રશ્ન: વાર્તામાં તમને સૌથી વધુ શું રિલેટેબલ લાગ્યું? અવિનાશ તિવારી: આમાં બે લોકોની વાર્તા છે, જેમના લગ્ન નથી થઈ રહ્યા. કેમ નથી થઈ રહ્યા, તે જ રસપ્રદ છે. સંબંધોની ગૂંચવણો અને પરિવારના મહેણાં સાચા લાગે છે. લાગ્યું કે જાણે મારા ઘરના લોકો આવી વાતો કરતા હોય. સંબંધોની આજની સમસ્યાઓ આમાં સ્પષ્ટ દેખાય છે. તેથી લાગ્યું કે લોકો આ વાર્તા સાથે જોડાઈ શકશે. પ્રશ્ન: શું આ ફિલ્મે તમને ભાવનાત્મક રીતે પ્રભાવિત કર્યા? અવિનાશ તિવારી: હા, આ વાર્તાએ મને હસાવ્યો અને રડાવ્યો. પહેલીવાર સાંભળીને બધી ભાવનાઓ અનુભવાઈ. પછી સ્ક્રિપ્ટ વાંચી અને ખબર પડી કે ગિન્ની માટે મેધાને લેવામાં આવી રહી છે, તો આ વધુ ખાસ બની ગયું. સાથે જ નિર્માતા વિનોદ બચ્ચન જોડાયેલા હતા, જેમનું હું સન્માન કરું છું. આ કારણોસર મેં ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો. પ્રશ્ન : શું તમે સંબંધમાં કોઈ મજેદાર ખોટું બોલ્યા છો, જેનાથી મોટી સ્થિતિ બની હોય? મેધા શંકર: ના, મેં ખોટું નથી બોલ્યું. પરંતુ સંબંધોમાં ગૂંચવણો અને થોડું કન્ફ્યુઝન થયું છે. અવિનાશ તિવારી: મારામાં એટલી હિંમત નહોતી કે સંબંધમાં ખોટું બોલું. પરંતુ ફિલ્મની જેમ અલગ અને જોખમી પ્રેમ સુંદર હોય છે. પ્રશ્ન: તમારો એક્શન અવતાર પસંદ કરવામાં આવે છે, શું આમાં કંઈક એવું જોવા મળશે? અવિનાશ તિવારી: આ ફિલ્મમાં પણ મેં એક્શન કર્યું છે. લોકોને ઉઠાવીને પછાડ્યા પણ છે. હવે દર્શકો જોશે કે કોણે કોને પછાડ્યા! પ્રશ્ન : લગ્ન કરવા અને ન કરવાના ત્રણ-ત્રણ ફાયદા શું છે? અવિનાશ તિવારી: લગ્નના ફાયદા એ છે કે જીવનમાં ઉદ્દેશ્ય મળે છે, અનુશાસન આવે છે અને જીવન શેર કરવાની તક મળે છે. ન કરવાના ફાયદા એ છે કે, જવાબ આપવો પડતો નથી, પોતાની મરજીથી જીવી શકાય છે અને કોઈ રોકનારું હોતું નથી. મેધા શંકર: મારા માટે લગ્ન અને સંબંધ લગભગ એક જેવા છે. સાચા વ્યક્તિ સાથે હોઈએ, તો જીવનમાં બહુ ફરક પડતો નથી. સૌથી સુંદર વાત એ છે કે કોઈ તમારી જિંદગીનો સાક્ષી બને છે, ખુશીઓ અને તકલીફો વહેંચાય છે. પ્રશ્ન : સંબંધમાં કઈ વસ્તુઓ ન હોવી જોઈએ? અવિનાશ તિવારી: વ્યક્તિએ ડિફેન્સિવ ન હોવું જોઈએ. ભૂલ બતાવવા પર તેને સ્વીકારીને સુધાર કરવો જોઈએ. સાથે જ વેલ્યુ સિસ્ટમ મળવી જોઈએ અને હાસ્ય ભાવ હોવો જોઈએ. પ્રશ્ન : આદર્શ સાથીમાં કઈ ખૂબીઓ હોવી જોઈએ? મેધા શંકર: મારા માટે આ મૂળભૂત બાબતો છે – પ્રેમ, પ્રામાણિકતા અને વફાદારી. કોઈ એવું હોય જે જીવનને સમજે, સાથે ઊભું રહે અને સુખ-દુઃખનો ભાગીદાર બને. પ્રશ્ન : સંબંધથી તમારી શું અપેક્ષાઓ છે? અવિનાશ તિવારી: મને સ્પષ્ટ નથી કે શું અપેક્ષા રાખવી જોઈએ. લાગે છે કે સાચો પ્રેમ હશે, તો જ હું સામેવાળાને સમજી શકીશ અને પોતાને વધુ સારો બનાવી શકીશ. પ્રશ્ન: તમે બંને એકબીજાની બે સારી વાતો અને એક ખામી જણાવો? મેધા શંકર: અવિનાશ સમજદાર છે અને સારી વાતો કરે છે. કવિતા પણ સારી કરે છે. તે સંવેદનશીલ વ્યક્તિ છે. ખામી એ છે કે ક્યારેક-ક્યારેક ડિફેન્સિવ થઈ જાય છે. અવિનાશ તિવારી: મેધા મુશ્કેલ સમયમાં પણ પોતાની કોમળતા જાળવી રાખે છે. તે પોતાના વિચારો પર મજબૂતીથી અડગ રહે છે અને જ્યાં જાય છે, ત્યાં ખુશીનું વાતાવરણ બનાવે છે. જ્યાં સુધી ખામીની વાત છે, મને તેની કોઈ ખામી દેખાઈ નથી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

