મોદી 1500થી વધુ સ્થળોએ યુવાનો સાથે સંવાદ કરશે:નેશનલ સ્પોર્ટ્સ ડેના બે દિવસ પહેલા રમતગમત અને યુવા શક્તિ પર વર્ચ્યુઅલ સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દેશભરમાં 1500થી વધુ સ્થળોએ યુવાનો અને ખેલાડીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે. આ કાર્યક્રમ 29 ઑગસ્ટના રોજ ઉજવાતા નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે આયોજિત કરવામાં આવી રહ્યો છે. મોદીનું સંબોધન રમતગમત મંત્રાલયના કાર્યક્રમ ‘ખેલો ઇન્ડિયા સંવાદ-ખેલ કી બાત, પીએમ કે સાથ’નો એક ભાગ હશે. આ કાર્યક્રમ નેશનલ સ્પોર્ટ્સ ડેના બે દિવસ પહેલા આયોજિત કરવામાં આવશે. 29 ઑગસ્ટના રોજ હોકીના દિગ્ગજ ખેલાડી ધ્યાનચંદની જન્મજયંતિ હોય છે. આ જ દિવસે દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે. PM મોદી કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓ સાથે મળ્યા હતા આ પહેલા, વડાપ્રધાન મોદી 9 ઑગસ્ટના રોજ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખેલાડીઓ સાથે એક રીલ શેર કરી હતી. જોકે, આ સંવાદ વર્ચ્યુઅલ હશે. દિલ્હીમાં ચાર-પાંચ જગ્યાએ કાર્યક્રમો યોજાશે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ કાર્યક્રમ ચાર-પાંચ જગ્યાએ યોજાશે. તેમાં IIT દિલ્હીનો પણ સમાવેશ થાય છે, જ્યાં મંત્રી મનસુખ માંડવિયા કાર્યક્રમમાં હાજર રહેશે. માંડવિયાએ કહ્યું, હું 27 ઑગસ્ટે IIT દિલ્હીમાં યોજાનાર કાર્યક્રમમાં હાજર રહીશ. ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષા સહિત ભારતના વર્તમાન અને પૂર્વ ખેલાડીઓ અને આંતરરાષ્ટ્રીય પદક વિજેતાઓ પણ યુવાનો સાથે વાતચીત કરશે. આ ખેલાડીઓમાં મનિકા બત્રા, દીપા કરમાકર, સાયના નેહવાલ, ગગન નારંગ, શ્રીજેશ, મેરી કોમ, બાઈચુંગ ભૂટિયા, પુલેલા ગોપીચંદ, અંજુ બોબી જ્યોર્જ, કર્ણમ મલ્લેશ્વરી અને મીરાબાઈ ચાનુનો સમાવેશ થાય છે. કેટલાક ક્રિકેટરો પણ યુવાનો સાથે સંવાદ કરશે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

