સમય રૈના મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો:ભારે ભીડમાં હાથ પકડીને પોઝ આપ્યા, ગોથું ખાઈ ગયેલા વ્યક્તિની મદદ કરી; અગાઉ મેધા શંકર સાથે ડેટિંગની ચર્ચા હતી

Last Updated: July 15, 2026By

કોમેડિયન સમય રૈનાનો મંગળવારે એક વીડિયો સામે આવ્યો, જેમાં તે એક મિસ્ટ્રી ગર્લનો હાથ પકડીને ભીડમાંથી બહાર કાઢતો જોવા મળી રહ્યો છે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે, તેની સાથે જે યુવતી હતી, તે કોણ છે? ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સમય રૈના અને ફિલ્મ ’12th ફેલ’ની એક્ટ્રેસ મેધા શંકર વચ્ચે ડેટિંગની અફવાઓ ચર્ચામાં હતી. હવે સામે આવેલા નવા વીડિયો બાદ ફરી એકવાર તેના અંગત જીવનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ બની ગઈ છે. ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2’ના શૂટિંગ પછી મિસ્ટ્રી ગર્લ સાથે સ્પોટ થયો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ સીઝન 2ના શૂટિંગ પછી સમય રૈના બહાર નીકળતો જોવા મળે છે. આ દરમિયાન ત્યાં પાપારાઝી અને ચાહકોની ભીડ હાજર હતી. ભીડ વચ્ચે સમય એક માસ્ક પહેરેલી છોકરીનો હાથ પકડીને તેને સુરક્ષિત રીતે બહાર કાઢીને કાર સુધી લઈ જતા જોવા મળે છે. સમય રૈના જ્યારે મિસ્ટ્રી ગર્લનો હાથ પકડીને બહાર નીકળી રહ્યો હતો, ત્યારે એક વ્યક્તિ પડી ગયો. આ પછી સમયે તરત જ તેનો હાથ પકડીને તેને ઊભો કર્યો. સમય-મેધાની ડેટિંગ અફવાઓ ચર્ચામાં હતી આ પહેલા સમય અને મેધા શંકરને લઈને પણ ડેટિંગની અફવાઓ સામે આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંનેને એક જ જગ્યાએ સાથે જોવામાં આવ્યા હતા. પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે પાપારાઝીને જોતા જ બંને અલગ-અલગ રસ્તાઓ પરથી નીકળી ગયા. જોકે, આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સુપ્રીમ કોર્ટે સમય પર 3 લાખનો દંડ ફટકાર્યો સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્ટેન્ડ-અપ કોમેડિયન અને યુટ્યુબર સમય રૈના, રણવીર અલાહાબાદિયા, વિપુલ ગોયલ, બલરાજ પરમજીત સિંહ ઘાઈ, સોનાલી ઠક્કર, નિશાંત જગદીશ તંવર પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અદાલતે દિવ્યાંગો પર વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં આ આદેશ આપ્યો છે. તેની સુનાવણી CJI સૂર્યકાંત, જોયમાલ્યા બાગચી અને વી મોહનની બેન્ચે કરી હતી. બેન્ચે કહ્યું કે અમારા આદેશ છતાં રૈનાએ પોતાના શોમાં કોઈ દિવ્યાંગને બોલાવ્યા નહોતા. અદાલતે કહ્યું- અમને લાગે છે કે રૈનાએ અદાલતને ગેરમાર્ગે દોરી અને અમારા આદેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું. અમે તેમના પર દંડ ફટકારીએ છીએ, જે 2 અઠવાડિયામાં જમા કરાવવો પડશે. અદાલત ક્યોર એસએમએ ઇન્ડિયા ફાઉન્ડેશનની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં રૈનાના શો પર સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની સારવારના ખર્ચ પર અસંવેદનશીલ ટિપ્પણી કરવા અને દિવ્યાંગોની મજાક ઉડાવવાનો આરોપ છે. સંસ્થા વતી વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહે જણાવ્યું કે રૈનાએ પોતાના કોઈપણ શોમાં સામેલ થવા માટે તેમની કે અન્ય કોઈ દિવ્યાંગ વ્યક્તિનો ક્યારેય સંપર્ક કર્યો નથી. દિવ્યાંગની ગરિમાના ઉલ્લંઘનનો આરોપ, કોર્ટના નિર્દેશ અરજીમાં દિવ્યાંગોના જીવન અને ગરિમાના અધિકારનું ઉલ્લંઘન કરતી ઓનલાઈન સામગ્રીના પ્રસારણ પર નિયમો બનાવવાની માગ કરવામાં આવી છે. અરજી નવેમ્બર 2025માં દાખલ કરવામાં આવી હતી. 2025માં કોર્ટે રૈના અને અન્ય સ્ટેન્ડઅપ કોમેડિયન્સને દિવ્યાંગોની સારવાર માટે ભંડોળ એકત્ર કરવા દર મહિને 2 શો કરવાનો નિર્દેશ આપ્યો હતો. એવું પણ કહ્યું હતું કે શોમાં દિવ્યાંગોને પણ સામેલ થવા માટે રાજી કરે. અરજદાર અને રૈનાની દલીલ રૈનાના વકીલે કહ્યું કે શો દ્વારા અમે 9 લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું છે. દિવ્યાંગોને બોલાવવામાં આવ્યા હતા. શો પર તેમની તસવીર પણ હતી. જો દિવ્યાંગ સંસ્થાના વકીલ અપરાજિતાના ક્લાયન્ટ સુધી અમે પહોંચી શક્યા નથી તો તે દુર્ભાગ્યપૂર્ણ છે. દિવ્યાંગ સંસ્થાના વકીલ અપરાજિતા સિંહે કહ્યું- અમને તેમની પાસેથી પૈસા નથી જોઈતા. આ અહંકાર છે અને અમે તેની સામે ઝૂકીશું નહીં. તેના પર સમયના વકીલે કહ્યું કે આ ઘમંડ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું- આઝાદી આપી જેથી સુધરે CJI સૂર્યકાંતે કહ્યું- એક કલાકાર તરીકે તમે સાર્વજનિક જીવનમાં છો. અહીં તમે જેટલું વધુ બીજાનું સન્માન કરો છો, તેટલું જ તમારું રોકાણ હોય છે. અમે લાંબા સમય સુધી તેમને આઝાદી આપી. અમને લાગ્યું કે આ સારા ઘરના છોકરાઓ છે અને આ સુધારો લાવશે, પરંતુ કંઈ થયું નહીં. અમે દંડ લગાવીએ છીએ અને જો તે ભરવામાં નહીં આવે તો વધારીને 30 લાખ કરી દઈશું. કોર્ટે એમ પણ કહ્યું કે જો તમે તમારી રીતભાત સુધારવા કે સમાજના સભ્યોની ભાવનાઓનું સન્માન કરવાનું જાણતા નથી, તો તમારે તેના પરિણામો ભોગવવા પડશે. સોલિસિટર જનરલે કહ્યું- યુવાનો પાસે તેમનાથી સારા યુથ આઇકોન છે સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું- તાજેતરમાં, રૈનાએ એક નવો શો શરૂ કર્યો જેમાં તેમણે કોઈનું નામ લીધા વિના સિસ્ટમની મજાક ઉડાવી. તેમણે શરૂઆતમાં કહ્યું, ‘હું કંઈક એવું કરી રહ્યો છું જે મેં અગાઉની સિરીઝમાં કર્યું ન હતું. તુષાર મહેતા બોલ્યા- “તેઓ લીંબુ-મરચા લટકાવે છે. તેમણે કોઈનું નામ લીધું ન હતું, પરંતુ તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. હું આ મામલામાં પડવા માંગતો ન હતો, પરંતુ જો રૈનાએ SMA ફાઉન્ડેશન કે પીડિત લોકોનો સંપર્ક કર્યો નથી, તો તે તેમનો અહંકાર દર્શાવે છે.” 2025માં શો દરમિયાન રણવીરની કોમેન્ટથી વિવાદ શરૂ થયો 2025માં રણવીરની ટિપ્પણીથી શરૂ થયો વિવાદ ફેબ્રુઆરી 2025માં રણવીર અલાહાબાદિયા રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં ગેસ્ટ જજ તરીકે પહોંચ્યા. તેમણે એક સ્પર્ધકને માતા-પિતાના જાતીય સંબંધો સાથે જોડાયેલો અત્યંત વાંધાજનક સવાલ પૂછ્યો. આ ક્લિપ વાયરલ થયા બાદ સમગ્ર દેશમાં ભારે વિરોધ શરૂ થયો. આ પછી મહારાષ્ટ્ર અને આસામ સહિત ઘણા રાજ્યોમાં FIR નોંધાઈ. ફરિયાદોમાં સમય રૈના, રણવીર અલ્હાબાદિયા અને અન્ય પેનલિસ્ટના નામ સામેલ કરવામાં આવ્યા. આરોપ લગાવવામાં આવ્યા કે શોમાં અશ્લીલ અને અભદ્ર સામગ્રી પીરસવામાં આવી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે- અભિવ્યક્તિની સ્વતંત્રતા અમર્યાદિત નથી. જાહેર મંચ પર શાલિનતા અને સામાજિક જવાબદારી પણ જરૂરી છે. કેટલાક યુવાનો પોતાને “ખૂબ ઓવરસ્માર્ટ” સમજે છે.

Leave A Comment