સૌરવ ગાંગુલીને જાનથી મારી નાખવાની ધમકી:કુરિયરથી 2 પત્રો મળ્યા; જેમાં પૂર્વ ક્રિકેટર, પત્ની અને સ્ટાફને મારી નાખવાની વાત લખી હતી

Last Updated: August 10, 2026By

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કુરિયર દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા પત્રમાં સૌરવ સહિત તેમની પત્ની ડોના ગાંગુલી અને તેમના સ્ટાફને જાનથી મારી નાખવાની વાત કહેવામાં આવી. ગાંગુલી પરિવારે કોલકાતાના ઠાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે. વાંચો આખો પત્ર CAB ઓફિસમાં પત્રો મોકલ્યા, લખ્યું- ખતમ કરી દઈશું
પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)ની ઓફિસમાં એક કુરિયર પેકેટ પહોંચ્યું. લિફાફો ખોલતા તેમાં અંગ્રેજીમાં લખેલા બે પત્રો મળ્યા, જેમાં સૌરવ ગાંગુલી, તેમની પત્ની ડોના અને તેમની સાથે કામ કરતા કર્મચારીઓને ‘ખતમ કરવાની’ (જાનથી મારી નાખવાની) સીધી ધમકી આપવામાં આવી હતી. પત્રમાં અત્યંત આક્રમક અને હિંસક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના પછી મામલાને ગંભીરતાથી લઈને તરત જ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો. 6 મહિનાથી પત્રો મળી રહ્યા હતા, ગાંગુલીએ અવગણના કરી ગાંગુલી પરિવારને આવા પત્રો છેલ્લા 6 મહિનાથી સતત મળી રહ્યા હતા. શરૂઆતના દિવસોમાં પરિવારે તેને કોઈ પાગલ ચાહક અથવા અંગત નારાજગી વ્યક્ત કરનાર વ્યક્તિની કરતૂત સમજીને અવગણના કરી હતી.